11 મેના મહત્વના સમાચાર : PM મોદી આજે સાંજે વડોદરામાં સરદારધામ-3નું PM મોદી કરશે લોકાર્પણ
આજે 11 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદઃ સાણંદના સનાથલ ગામમાં હત્યા
Ahmedabad જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામમાં નજીવી બાબતને લઈને થયેલા ઝગડામાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ લગ્ન પ્રસંગ દરમિયાન કાર લઈને જવા બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગો ભરતસિંહ ચૌહાણ પર છરીના તીક્ષ્ણ ઘા ઝીંકી તેમની નિર્દયી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં Changodar Police તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓને રાઉન્ડ અપ કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
-
ગીર સોમનાથ: યાત્રાધામ સોમનાથ મંદિરનો અમૃત મહોત્સવ
-
-
વડોદરા: આજે સાંજે સરદારધામ-3નું PM મોદી કરશે લોકાર્પણ
નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરા ખાતે સરદારધામ-3નું ભવ્ય લોકાર્પણ કરશે. સરદારધામ પરિસરમાં ત્રણ વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મધ્ય ડોમમાં વિશાળ સ્ટેજ પરથી PM મોદી જનસભાને સંબોધશે. લોકાર્પણ કાર્યક્રમ બાદ ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી અંદાજે દોઢ કિમી લાંબો ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં 15 વિશેષ સ્ટેજ તૈયાર કરાયા છે. સમગ્ર રૂટ પર બેનર્સ, વીજ પોલ પર આકર્ષક લાઇટિંગ, LED સ્ક્રીન્સ અને થીમ આધારિત સજાવટ કરવામાં આવી છે. સાથે જ Narendra Modi અને Sardar Vallabhbhai Patelની રોશનીથી બનાવેલી પ્રતિકૃતિઓ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આજે 11 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - May 11,2026 7:28 AM
