09 માર્ચના મહત્વના સમાચાર : નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી, રાજ્યસભાની ચૂંટણીમાં હરિયાણાના નિરીક્ષક તરીકે હર્ષ સંઘવીની નિમણૂક
આજે 09 માર્ચના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજે અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપવો મહામુકાબલો યોજાવાનો છે ત્યારે વર્લ્ડ કપને લગતી તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી
ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીમાં હરિયાણાના નિરીક્ષક તરીકે હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને નિમણૂક કરી.
-
રાજકોટમાં તમાકુ અંગે શિક્ષકોને દંડ અંગેના પરિપત્રને લઈને રાજ્યભરમાં વિરોધ
રાજકોટમાં તમાકુ-ગુટકા નિયંત્રણને લઈને શિક્ષકોને દંડના પરિપત્રની વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે. મહિસાગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજકોટના DDOના પરિપત્રનો વિરોધ કર્યો છે. શાળાની આસપાસ તમાકુ અને ગુટકા બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી હતી, પરંતુ આ કામગીરી નિષ્ફળ રહી શકે તે ગંભીરતાથી જોતા પરિપત્રને બહાર પાડવામાં આવતાં શિક્ષકોમાં રોષ ફેલાયો છે. DDO દ્વારા પરિપત્ર પાછો ખેંચવાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માગ સામે હવે રાજયભરમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
-
-
ઇરાન યુદ્ધને કારણે ભારતીય શેરબજાર ફરી કડડભૂસ
ઇરાન યુદ્ધને કારણે ભારતીય શેરબજાર ફરી કડડભૂસ થયો છે. સેન્સેક્સમાં 2 હજારથી વધુ પોઇન્ટનો કડાકો થયો છે. તો નિફ્ટી પણ 630 પોઇન્ટ તૂટ્યો.
-
ઈરાનના તહેરાનમાં ઓઈલ સ્ટોરેજની આગને કારણે ધુમાડાના વાદળ ભારત પહોંચવાની શક્યતા
ઈરાનના તહેરાનમાં ઓઈલ સ્ટોરેજની આગને કારણે ધુમાડાના વાદળો બન્યા છે. ધુમાડાના વાદળોની અસર ભારત પર પણ પડે તેવી શક્યતા છે. વાદળો મધ્ય એશિયા તરફ આગળ વધ્યા. ભારતમાં જમ્મુ કાશ્મીર, પંજાબ સુધી અસર દેખાય તેવી શક્યતા છેે.
-
યુદ્ધને કારણે એશિયાના બજારોમાં ભારે કડાકો
યુદ્ધની પરિસ્થિતિને કારણે એશિયાના શેરબજારોમાં ભારે કડાકો જોવા મળ્યો છે. જાપાન, કોરિયા અને મલેશિયા સહિતના બજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાપાનનો નીક્કી ઈન્ડેક્સ લગભગ 7 ટકા તૂટી ગયો છે, જ્યારે તાઈવાનનો ઈન્ડેક્સ પણ આશરે 6 ટકા ઘટ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લગભગ સાડા સાત ટકા જેટલો તૂટી ગયો છે. આ વૈશ્વિક પરિસ્થિતિના અસરથી ભારતીય શેરબજારમાં પણ ભારે કડાકો બોલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
-
રાજકોટઃ ભાજપના સંગઠનમાં સ્વ. વિજય રૂપાણીના પત્નીને સ્થાન
રાજકોટમાં ભાજપના સંગઠનમાં સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને શહેર કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શહેર પ્રમુખ દ્વારા શહેર કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અંજલિ રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત વિશેષ આમંત્રિતોની યાદીમાં વિજય રૂપાણીના અંગત નિતીન ભારદ્રાજનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. શહેર કારોબારીમાં 18 વોર્ડ પ્રભારી અને 70 કારોબારી સભ્યોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.
-
અમરેલી: રાજુલા પોલીસે બેંગ્લોરમાં મોટું ઓપરેશન પાર પાડ્યું
અમરેલી જિલ્લાના રાજુલા પોલીસે બેંગ્લોરમાં સફળ ઓપરેશન પાર પાડીને 19 વર્ષથી અપહરણના ગુનામાં ફરાર રહેલા આરોપી બાબુ કાતરિયાની ધરપકડ કરી છે. આરોપી લાંબા સમયથી કાયદાની નજરથી બચવા માટે વારંવાર મોબાઈલ નંબર બદલતો અને અલગ-અલગ વિસ્તારોમાં નાસતો ફરતો હતો, પરંતુ રાજુલા પોલીસે ટેકનિકલ માહિતીના આધારે બેંગ્લોરમાં પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. આ સફળ કામગીરી બદલ ઉપરી અધિકારીઓએ રાજુલા પોલીસની ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી છે.
-
-
આજથી બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ
આજથી બજેટ સત્રના બીજા તબક્કાનો પ્રારંભ થશે. સંસદનું બીજું સત્ર પણ તોફાની બની રહેવાની શક્યતા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. સંખ્યા બળ ન હોવાથી અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષોની હાર નિશ્ચિત છે. વિપક્ષો ઇરાન યુદ્ધ, બંગાળમાં SIR સહિતના મુદ્દે હોબાળો કરી શકે છે.
-
અમદાવાદઃ શેલામાં આવેલા જ્વેલર્સ શોરૂમમાં ચોરી
અમદાવાદઃ શેલામાં આવેલા જ્વેલર્સ શોરૂમમાં ચોરી થઇ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાએ જૈનમ જ્વેલર્સમાં ચોરી કરી. 1.48 લાખની બે સોનાની બુટ્ટીઓ ચોરી મહિલાઓ ફરાર થઇ છે. શંકાસ્પદ મહિલાઓ સીસીટીવીમાં કેદ થઇ છે.
-
વિદેશ મંત્રી જયશંકર આજે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સંસદમાં નિવેદન આપશે
વિદેશ મંત્રી એસ. જયશંકર પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સંસદમાં નિવેદન આપશે. તેઓ લગભગ બપોરે 12 વાગ્યે લોકસભામાં અને બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં નિવેદન આપશે. તેઓ ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષમાં ભારતની ભૂમિકા સ્પષ્ટ કરશે.
-
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ અજમેરમાં ઉજવણી, ફટાકડાથી દુકાનમાં આગ લાગી
વર્લ્ડ કપ જીતની ઉજવણી માટે ફટાકડા ફોડવા દરમિયાન અજમેરના કેસરગંજમાં ગણપતિ મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ભીષણ આગ લાગી. દુકાનદારે મેચનું પ્રસારણ કરવા માટે દુકાનની નીચે LED લગાવ્યા હતા. મોટી ભીડને કારણે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા, અને આ ફટાકડાથી દુકાનના ત્રીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.
-
સૂર્યકુમાર યાદવે અમદાવાદના હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ICC T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ અમદાવાદના હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી.
#WATCH | Gujarat | Team India Skipper Surya Kumar Yadav, offered prayers at the Hanuman Temple in Ahmedabad after winning the #icct20worldcup2026 pic.twitter.com/QoCBEa6vPm
— ANI (@ANI) March 8, 2026
આજે 09 માર્ચના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજે અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપવો મહામુકાબલો યોજાવાનો છે ત્યારે વર્લ્ડ કપને લગતી તમામ અપડેટ્સ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Mar 09,2026 7:24 AM