ગુજરાતમાં કોરોનાના નવા 230 કેસ નોંધાયા, બે લોકોના મૃત્યુ
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 26 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 230 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે બે લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 26 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 230 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે બે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 491 દર્દી સ્વસ્થ થયા છે. લાંબા સમય બાદ અમદાવાદમાં પણ દૈનિક કોરોના કેસનો આંકડો 100થી નીચે પહોંચ્યો છે. અમદાવાદમાં એક દિવસમાં 98 કેસ નોંધાયા છે. તો વડોદરામાં માત્ર 22 કેસ નોંધાય છે. હાલ રાજ્યમાં માત્ર 2 હજાર 235 એક્ટીવ કેસ છે. જેમાંથી 23 દર્દી વેન્ટીલેટર પર છે અને 2252 દર્દીની હાલત સ્થિર છે. આ તરફ વધુ 491 દર્દી સાજા થતાં રાજ્યનો રિકવરી રેટ પણ વધીને 98.92 ટકાએ પહોંચી ગયો છે.
આ પણ વાંચો : Junagadh: ભવનાથમાં શિવરાત્રીના મેળામાં જનમેદની ઉમટી પડી, રવિવારે ભારે ભીડ થવાની સંભાવના
આ પણ વાંચો : Amul ડેરીમાં માં સફેદ દુધના વહીવટ માટે કાળો કકળાટ, રામસિંહ પરમાર અને પપ્પુ પાઠક સામ સામે