PM Gujarat Visit વહેલી સવારે હીરાબાના ચરણોમાં નમાવ્યું શીશ, જાણો પ્રધાનમંત્રી મોદીના તમામ કાર્યક્રમનું શિડ્યુલ
પ્રધાનમંત્રી મોદીનું (PM Modi)ગત સાંજે દિલ્લીથી અમદાવાદ ખાતે આગમન થયું હતું. આજે તેઓ માતા હીરાબાને 100મા જન્મદિવસની શુભેચ્છા આપવા તેમજ આશીર્વાદ લેવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) આજે ગુજરાતની (PM Gujarat Visit)મુલાકાતે છે ત્યારે તેઓ હીરાબાને જન્મદિવસની શુભેચ્છા પાઠવ્યા બાદ સવારે રાજનભવનથી માતા હીરાબાના નિવાસ્થાને પહોંચ્યા હતા અને માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ ગાંધીનગર હેલિપેડથી પાવાગઢ જવા માટે રવાના થશે.પ્રધાનમંત્રી મોદીનું (PM Modi)ગત સાંજે દિલ્લીથી અમદાવાદ ખાતે આગમન થયું હતું. આજે તેઓ માતા હીરાબાને 100મા જન્મદિવસની શુભેચ્છા આપવા તેમજ આશીર્વાદ લેવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજનો કાર્યક્રમ
- સવારે 9 કલાકે પાવાગઢ પહોંચશે
- સવારે 9.15 કલાકે મહાકાળી મંદિરના દર્શન
- બપોરે 12.25 વડોદરા એરપોર્ટથી લેપ્રેસી ગ્રાઉન્ડ પહોંચશે
- બપોરે 2.30 કલાકે વડોદરાથી દિલ્લી જવા રવાના
પાવાગઢમાં પ્રધાનમંત્રી મોદી કરશે ધ્વજારોહણ
પંચમહાલ જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પરિસરનો 121 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે.આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે.નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે. જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવશે.
વડાપ્રધાનના આગમનને લઈને પાવાગઢમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સુરક્ષા વ્યવસ્થામાં ત્રણ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા છે.જેમાં 2 IG, 7 SP, 23 DySP અને 44 PI સામેલ છે.હેલિપેડ, પાવાગઢ ગામ, ડુંગર પ્રવેશ દ્વાર ખાતે SPG કમાન્ડો તૈનાત કરી દેવાયા છે.
જ્યાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર તેઓ પૂજા-અર્ચના કરશે અને મંદિર પર ધ્વજારોહણ કરશે.ધ્વજારોહણ બાદ વડાપ્રધાન ટૂંકુ પ્રવચન આપશે. બાદમાં પાવાગઢ ખાતે કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને નિરીક્ષણ પણ કરશે.પાવાગઢનો કાર્યક્રમ પૂર્ણ કરી વડાપ્રધાન વડોદરા જવા રવાના થશે.