AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત શર્મા-અજીત અગરકર મૂડમાં ન હતા, તો પછી T20 વર્લ્ડ કપની ટીમમાં શા માટે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી?

શું રોહિત શર્મા અને અજીત અગરકર T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવાના મૂડમાં ન હતા? ના, તે અમે નહીં પરંતુ કેટલાક અહેવાલો આ દિશામાં નિર્દેશ કરી રહ્યા છે. સવાલ એ છે કે જો આવું હતું તો હાર્દિકને ટીમમાં કેમ પસંદ કરવામાં આવ્યો?

રોહિત શર્મા-અજીત અગરકર મૂડમાં ન હતા, તો પછી T20 વર્લ્ડ કપની ટીમમાં શા માટે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી?
Rohit & Hardik
| Updated on: May 14, 2024 | 8:22 PM
Share

લાગે છે કે આગ હજુ ઓલવાઈ નથી. એ જ આગ જે મુંબઈ ઈન્ડિયન્સના નિર્ણયને કારણે લાગી હતી. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચે જે આગ સળગી રહી છે. અને જેની જ્વાળાઓ હવે T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની આકાંક્ષાઓને બાળી શકે છે. 2013થી ICC ખિતાબ જીતવાની તેમની આશા ફરી એકવાર તુટી શકે છે. રોહિત શર્મા અને અજીત અગરકર હાર્દિક પંડ્યાને T20 વર્લ્ડ કપની ટીમમાં નહોતા ઈચ્છતા. હવે જ્યારે કોચ અને સિલેક્ટર્સ ટીમ હાર્દિકને લેવા ન માંગતા હતા તો હાર્દિ ટીમમાં કેવી રીતે સામેલ થયો? તો તેમના આવું કરવા પાછળ એક કારણ છે.

T20 વર્લ્ડ કપમાં હાર્દિક વાઈસ કેપ્ટન

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓની પસંદગી ગયા મહિનાના અંતિમ સપ્તાહમાં કરવામાં આવી હતી. ટીમ સિલેક્શન અમદાવાદમાં થયું હતું. હવે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, હાર્દિકને ટીમમાં પસંદ કરવા માટે ભારતીય પસંદગી સમિતિની પસંદગી નથી. રોહિત શર્મા પણ તેને ટીમમાં લેવા માંગતો ન હતો. સવાલ એ છે કે શા માટે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી? અને માત્ર પસંદ જ નહીં, તેને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો. એટલે કે તે T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનો ડેપ્યુટી હશે. કોચ અને મુખ્ય પસંદગીકારોની ઈચ્છા વિના આ બધું કેવી રીતે શક્ય બન્યું?

હાર્દિક પંડ્યાને સામેલ કરવાનું દબાણ હતું?

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યાને ભારે દબાણને કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ જ દબાણ હેઠળ તેને ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટનશિપ પણ આપવામાં આવી છે. જોકે, એ ખબર નથી પડતી કે ભારતીય ટીમના સિલેક્ટર અને કેપ્ટન પર કોનું દબાણ હતું? હવે સૌથી મોટો ડર એ હશે કે T20 વર્લ્ડ કપમાં દબાણમાં લીધેલા આ નિર્ણયનું પરિણામ ટીમ ઈન્ડિયાને ભોગવવું પડી શકે છે?

રોહિત-હાર્દિક વચ્ચે બધુ બરાબર નથી?

IPL 2024 દરમિયાન ઘણું બધું જોવા મળ્યું છે, જેનાથી લાગે છે કે રોહિત અને હાર્દિક વચ્ચે બધુ બરાબર નથી. ઈડન ગાર્ડન્સમાં વરસાદ દરમિયાન કોલકાતાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે બેઠેલા રોહિત શર્માની તસવીરો હોય કે પછી કોલકાતાના બેટિંગ કોચ અભિષેક નાયર સાથે વાત કરતા હોય. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો ત્યારથી ટીમ બે કેમ્પમાં વહેંચાઈ ગઈ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે.

T20 વર્લ્ડ કપમાં પ્રદર્શન પર થશે અસર!

એકંદરે રોહિત-હાર્દિકના અંતરનું પરિણામ IPL 2024માં દેખાઈ રહ્યું છે. 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. હવે જો આ જ T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા સાથે થશે તો ભારતીય ક્રિકેટ ચાહકોના દિલ ખરેખર તૂટી જશે.

આ પણ વાંચો : RCB-CSK બંને પ્લેઓફમાં પહોંચશે, SRH બહાર થશે, KKR બનશે ચેમ્પિયન ! હરભજન સિંહે ચોંકાવનારો દાવો કર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
g clip-path="url(#clip0_868_265)">