Breaking News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ, માનસિક તણાવમાં પગલુ ભર્યુ હોવાનું અનુમાન

સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ થઇ રહ્યો છે. મહિલા તબીબે માનસિક તણાવમાં આ પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે.

Breaking News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ, માનસિક તણાવમાં પગલુ ભર્યુ હોવાનું અનુમાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 6:12 PM

સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબનો આપઘાતનો પ્રયાસ થઇ રહ્યો છે. મહિલા તબીબે માનસિક તણાવમાં આ પગલુ ભર્યુ હોવાનું અનુમાન છે. 26 વર્ષીય તબીબએ દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. મહિલા તબીબને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ

સુરત નવી સિવિલ હોસ્પિટલની મહિલા તબીબે કરેલા આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. મહિલા તબીબ મૂળ બનાસકાંઠાના વતની હોવાનું સામે આવ્યુ છે. મહિલાના આપઘાતનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. જો કે પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક તણાવમાં મહિલા તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ઘટનાને પગલે રેસીડેન્સ ડોક્ટર્સમાં ભાગદોડ

મૂળ બનાસકાંઠાના વતની સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ તબીબી તરીકે ફરજ બજાવતા પવનબેન ચૌધરીએ આજરોજ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને લઈ રેસીડેન્સ ડોક્ટરોમાં ભાગદોડ મચી ગઈ હતી. તબીબી પવન ચૌધરીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પવન ચૌધરી માનસિક તણાવમાં રહેતી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પોલીસ તપાસ બાદ આપઘાતનું સાચુ કારણ બહાર આવી શકે

માનસિક તણાવમાં દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ તો મહિલા તબીબને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના ICUમાં ખસેડાઈ છે. ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને  સમગ્ર મામલે તપાસ શરુ કરી ગતી. હવે  મહિલા તબીબે કયા કારણોસર આપઘાત નો પ્રયાસ કર્યો છે પોલીસ તપાસ બાદ બહાર આવશે.

સુરતમાં વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના

બીજી તરફ સુરતમાં વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા હિંમત વડાલીયાએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હિંમત વડાલીયાએ આક્ષેપ કર્યા હતા કે એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાંના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા ફીનાઇલ પી લીધુ હતુ. હાલમાં હિંમત ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">