AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં NIA ના ત્રણ સ્થળે દરોડા, સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત

ગુજરાતમાં NIA એ ગઝવા અલ હિંદ કેસ મામલે ત્રાટક્યું છે. દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIA એ દરોડા પાડ્યા છે. આ દરોડાના પગલે વ્યાપક ફફડાટ ફેલાયો છે. ગઝવા અલ હિંદ કેસ મામલે NIA ની ટીમ વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે. જેમાં સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

Breaking News : ગુજરાતમાં NIA ના ત્રણ સ્થળે દરોડા, સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત
Gujarat NIA Detain Three Person
| Updated on: Mar 23, 2023 | 4:31 PM
Share

ગુજરાતમાં NIA એ ગઝવા અલ હિંદ કેસ મામલે ત્રાટક્યું છે. દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIA એ દરોડા પાડ્યા છે. આ દરોડાના પગલે વ્યાપક ફફડાટ ફેલાયો છે. ગઝવા અલ હિંદ કેસ મામલે NIA ની ટીમ વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે. જેમાં સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

NIAની ટીમે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશમાં કુલ 7 સ્થળોએ કાર્યવાહી કરી

ગુજરાતમાં NIA એ ગઝવા અલ હિંદ કેસ મામલે ત્રાટક્યું છે. દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIA એ દરોડા પાડ્યા છે. આ દરોડાના પગલે વ્યાપક ફફડાટ ફેલાયો છે. ગઝવા અલ હિંદ કેસ મામલે NIA ની ટીમ વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે. ગુજરાત ઉપરાંત નાગપુર અને ગ્વાલિયર ખાતે પણ NIA ની ટીમે તપાસ હાથ ધરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશભરમાં ગઝવા-એ-હિંદ સાથે સંકળાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAની ટીમે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશમાં કુલ 7 સ્થળોએ કાર્યવાહી કરી હતી. ગઝવા-એ-હિંદ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે મળીને કામ કરે છે.

23 માર્ચ, 2023 ના રોજ નાગપુરમાં 3 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મહારાષ્ટ્રમાં 3, ગુજરાતમાં 3 અને મધ્ય પ્રદેશમાં 1 જગ્યાએ દરોડા પાડ્યા છે. ધ હિંદુના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગઝવા-એ-હિંદ કેસની તેની તપાસમાં 23 માર્ચ, 2023 ના રોજ નાગપુરમાં 3 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આ કેસ હિંસક આતંકવાદી કૃત્યો કરવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રભાવશાળી યુવાનોના કટ્ટરપંથી સંબંધિત છે.

આરોપી મરગુબ અહેમદ દાનિશ, જે કટ્ટરપંથી વિચારધારા ધરાવતો માણસ

NIA અધિકારીઓ દ્વારા સર્ચ કરાયેલા સ્થળોમાં દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી યુવાનોના રહેણાંક વિસ્તારનો સમાવેશ થાય છે. NIAએ બિહારના ફુલવારીશરીફ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે 22 જુલાઈએ ગઝવા-એ-હિંદ સંબંધિત કેસ નોંધ્યો હતો. ફુલવારી શરીફ કેસની તપાસમાં NIAએ કહ્યું હતું કે, “એવું જાણવા મળ્યું છે કે આરોપી મરગુબ અહેમદ દાનિશ, જે કટ્ટરપંથી વિચારધારા ધરાવતો માણસ છે, તે વોટ્સએપ ગ્રુપ ગઝવા-એ-હિંદ દ્વારા અનેક વિદેશી સંસ્થાઓના સંપર્કમાં હતો. ” તેણે જ આ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું.

NIAએ કહ્યું હતું કે, ‘મર્ગુબ અહેમદ દાનિશના આ વોટ્સએપ ગ્રુપમાં પ્રભાવશાળી યુવાનોને કટ્ટરપંથી બનાવવાના હેતુથી કાશ્મીરમાં આતંકવાદી કૃત્યો અને ગતિવિધિઓને વખાણવામાં આવી રહી હતી. તેણે ગઝવા-એ-હિંદ નામનું બીજું વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું અને હિંસા દ્વારા ભારતને જીતવાની વાત કરી રહ્યો હતો.

પંજાબમાં 15 સ્થળોએ હાથ ધરવામાં આવી હતી

આ વર્ષે 6 જાન્યુઆરીએ NIAએ આ કેસમાં બિહારની વિશેષ NIA કોર્ટમાં એક આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ 15 માર્ચના રોજ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત સંગઠનો દ્વારા જમ્મુ અને કાશ્મીરના યુવાનોને કટ્ટરપંથી બનાવવા, સમુદાયો, સુરક્ષા કર્મચારીઓ, ધાર્મિક કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને લઘુમતીઓને નિશાન બનાવવાના આતંકવાદી ષડયંત્ર સંબંધિત કેસ નોંધ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ પંજાબમાં 15 સ્થળોએ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarati VIDEO : રાજકોટમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, એક્ટિવ કેસનો આંકડો 84 પર પહોંચ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">