AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhotaudepur: જિલ્લાનું એક એવું ગામ જે નર્મદા નદીને કિનારે હોવા છતાં તરસ્યું

છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના 343 ગામોના લોકોને પીવાનું પાણી મળે તે માટે 893 કરોડના ખર્ચે હાફેશ્વર યોજના બનાવી અને કેટલાક ગામના લોકોને પીવાનું પાણી મળતું પણ થઈ ગયું છે. પણ નવાઈની વાત એ છે કે જ્યાંથી આ યોજનાનું પાણી પહોચડવામાં આવી રહ્યું છે તે હાફેશ્વર ગામના લોકો આજે પીવાનું પાણી મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે.

Chhotaudepur: જિલ્લાનું એક એવું ગામ જે નર્મદા નદીને કિનારે હોવા છતાં તરસ્યું
Thirsty village
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 5:19 PM
Share

નદી કિનારે તરસ્યા એવા છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના હાફેશ્વરના આ લોકોની સ્થિતી છે. આ ગામ છે કવાંટ તાલુકાના છેવાડાનું ગામ કે જ્યાં ત્રણ રાજ્યોનો સંગમ થાય છે અને જ્યાંથી નર્મદા નદી (Narmada) વહે છે છતાં આ ગામના લોકો બુંદ બુંદ પાણી માટે વલખાં મારી રહ્યા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના સંગમ વિસ્તારમાં આવેલ ગુજરાતનું છેવાડાનું અને છેલ્લું ગામ હાફેશ્વર ગામ કે વનરાજી અને ડુંગરોની હારમાળા વચ્ચે આવેલુ છે. છૂટા છવાયા રહેતા આ ગામની વસ્તી લગભગ ચાર હજારની છે. અને આ ગામના કિનારે નર્મદા નદી વહે છે. અહીથી જ પાણી પુરવઠા યોજનાની લાઇન દાહોદ (Dahod) સુધી લઈ જવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકા કવાંટ પાવીજેતપુર, અને બોડેલી અને દાહોદ જિલ્લા કેટલાક ગામો મળી કુલ 343 ગામોના લોકોને પીવાનું પાણી મળે તે માટે 893 કરોડના ખર્ચે હાફેશ્વર યોજના બનાવી અને કેટલાક ગામના લોકોને પીવાનું પાણી મળતું પણ થઈ ગયું છે. પણ નવાઈની વાત એ છે કે જ્યાંથી આ યોજનાનું પાણી પહોચડવામાં આવી રહ્યું છે તે હાફેશ્વર ગામના લોકો આજે પીવાનું પાણી મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે.

એવું પણ નથી કે આ ગામના લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં ના આવી હોય. અહીં પણ કેટલાક વિસ્તારોમાં નળ સે જળ યોજનાની પાઇપ લાઇન જોવા મળશે પણ તે શોભાના ગાંઠિયા સમાન છે. ફક્ત પાઇપના ટુકડા ઘર પાસે લગાવી દેવામાં આવ્યા છે કે નથી સ્ટેન્ડ પોલ લગાડવામાં આવ્યા. કેટલીક જગ્યા એ જે નિયમ પ્રમાણે ઊંડાઈમાં પાઇપ નાખવાની હોય તે બહાર જોવાઈ રહી છે તો કેટલાક વિસ્તારોમાં એ પણ વયવસ્થા કરવામાં આવી નથી. દાહોદ સુધી પાણીની મશ મોટી લાઇન પસાર થઈ અહી છે તેની નજીક જ એક મકાનની બાજુ માં એક પાઇપનું ટુકડો નાખી દેવામાં આવ્યો છે. જે ગામના લોકો માટે નળ સે જળ યોજના ફારસ રૂપ જોવાઈ રહી છે. ગામના લોકોમાં આ બાબતે નારાજગી જોવાઈ રહી છે કે જે ગામમાંથી 150 કિમી દૂર દાહોદ સુધી પાણી લઈ જવાતું હોય તો તેમણે કેમ નહી. આ ગામના લોકો માટે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં પણ પાણીને સમસ્યા રહે છે.

હાફેશ્વર ગામના લોકો માટે નળ સે જળ યોજના મજાક સમાન જોવાઈ રહી છે. અને જેન લઈ વિસ્તારના ધારાસભ્ય અને વિપક્ષના નેતાએ જણાવ્યુ કે નળ સે જળ યોજના મતોનું રાજકારણ છે. આ યોજના સક્સેસ નથી. ઘણા સમયથી ચાલતી આ યોજના આજે પણ પૂર્ણ થઇ નથી. કોંટ્રાક્ટર દ્રારા હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવે છે. ઘર આંગણે એક સ્ટેન્ડ લગાવીને કામ પૂર્ણ અથવા કામ ચાલુ હોવનું બતાવી સરકારની વાહવાઈ કરવામાં આવી રહી છે. ઘર આંગણે પાઇપ લાગવ્વા થી પાણી મળી જતું નથી.

નદી કિનારે જ અને ડુંગર વિસ્તારમાં રહેતા લોકો પીવાનું પાણી મેળવવા જીવનું જોખમ ખેડી રહ્યાં છે. બે બેડા પાણી મેળવવા ગામના બાળકો અને મહિલાઑ ઊંડી ખીણમાં આવેલ કૂવા પર જાય છે. જે જોતાં જ કમકમાં આવી જાય પણ આ ગામના લોકોની એ મજબૂરી છે. પાણી ભરવા જતી બાળકીઓ અને મહિલાઓને ડર પણ લાગે છે. આ વિસ્તારમાં જે હેન્ડપંપ છે તેમાં પણ પાણી નથી કે નથી કોઈ પીવાના પાણીની વ્યવસ્થા. ચોમાસાના સમયે તો આ લોકો કપરી હાલત મુકાઇ જાય છે. ગામના પશુઓને પણ આજ ખીણમાં આવેલ કુવા પર લઈ જવા પડે છે.

આજ ગામ માથી દૂર દૂર સુધી પાણી પુરવઠા યોજના દ્રારા પાણી લઇ જવાતું હોય તેનો ગામ લોકોનો વિરોધ નથી પણ આ ગામના લોકોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવે તેવી ગામના લોકોની માંગ છે. (વીથ ઇનપુટ- મકબૂલ મન્સૂરી, છોટાઉદેપુર)

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">