વધુ એક અગ્નિકાંડની રાહે છોટા ઉદેપુરનું નઘરોળ તંત્ર, નસવાડી સહિત 212 ગામોમાં નથી ફાયરની સુવિધા- Video

રાજકોટના અગ્નિકાંડમાં કેટલાક અધિકારીઓની બેદરકારીના પાપે 28 જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ છે. આ ઘટના બાદ પણ કુંભકર્ણની નીંદ્રામાં રહેલા છોટા ઉદેપુરના તંત્રના અધિકારીઓની આંખ ખૂલતી નથી.નસવાડી સહિત તાલુકાના 212 ગામોમાં ફાયર સેફ્ટીની સુવિધા જ નથી.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2024 | 6:17 PM

રાજકોટના અગ્નિકાંડ બાદ પણ છોટાઉદેપુરના તંત્રને હજી ઉંઘ નથી ઉડી તેવું લાગી રહ્યું છે. જીહાં, નસવાડી તાલુકામાં ફાયરની સુવિધાઓ નહીં હોવાનું સામે આવ્યું છે. નસવાડી તાલુકામાં 212 જેટલાં ગામડા છે. પરંતુ ફાયર ફાઇટરની સુવિધા છે જ નહીં, તેવી લોકોની રાવ છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું. તેવી સ્થિતિ છે. કોઇ દુર્ઘટના બને ત્યારે, છોટાઉદેપુર અથવા બોડેલીથી ફાયર ફાઇટર બોલાવવા પડે છે. જે નસવાડીથી 40 કિલોમીટર દૂર છે અને જ્યારે ફાયર વિભાગ પહોંચે ત્યાર સુધી તો આગ ઓલવાઇ ગઇ હોય કે પછી બધું બળીને ખાખ થઇ ગયું હોય.

રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ફરી ન બને તે માટે સ્થાનિકોએ ફાયરની યોગ્ય વ્યવસ્થાની માગ કરી છે. આ ઉપરાંત, સ્થાનિકોએ એવા પણ આક્ષેપ કર્યા કે, અગાઉ અનેક વખત આગના બનાવ બન્યા છે. પરંતુ તંત્રની કામગીરી નિષ્ફળ જ રહી છે. લોકો તંત્રના પાપે નિરાધાર બન્યા હોય તેવા આક્ષેપ લાગ્યા છે.

નસવાડીની સરકારી કચેરીઓની જ્યાં ફાયર સુવિધાના પૂરતા સાધનો નથી અને ક્યાંક છે તો એ બંધ હાલતમાં છે. જ્યારે TV9એ નવસાડી સેવા સદનની ઇમારતમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી અને ડેમો કરીને બતાવવા કહ્યું ત્યારે કર્મચારીએ 1 કલાક સુધી ચાવી શોધી અને પછી પાના વડે વાલ્લ ખોલ્યો. ત્યારે ખબર પડી કે, શોભાના ગાંઠિયાની જેમ આગ ઓલવવા ફાયર સેફ્ટીના પાઇપ તો નાંખી દીધા પરંતુ પાઇપમાં પાણી તો આવતું જ નથી.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

જે બાદ મામલતદાર પણ સ્થળ પર આવ્યા અને જ્યારે બેદરકારી અંગે સવાલ પૂછાયો ત્યારે પોતે આ વાતને કબૂલી કે ફાયર સેફ્ટી સુવિધા કાર્યરત નથી અને ઇમારતમાં એક્ઝિટનો દરવાજો પણ નહીં હોવાનું સામે આવ્યું. હવે જોવું રહ્યું કે બેદરકારી અંગે તંત્ર કોઇ પગલાં ભરશે કે મીડિયાના અહેવાલો સુધી જ કાર્યવાહી સીમિત રહેશે.

આ પણ વાંચો: કે ડી સાગઠિયાએ અમરેલી APMCની જમીન NA કરાવવા માગ્યા હતા અઢી લાખ રૂપિયા- ભરત કાનાબાર- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">