AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોંગ્રેસનો હાથ છોડી નારણ રાઠવા ભાજપમાં જોડાયા, સમર્થકો સાથે કર્યા કેસરિયા

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહેલા નારણ રાઠવાએ કોંગ્રેનો પક્ષ છોડી દીધો છે અને ભાજપને સાથ આપવાનું પસંદ કર્યુ છે. નારણ રાઠવાએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

Breaking News : કોંગ્રેસનો હાથ છોડી નારણ રાઠવા ભાજપમાં જોડાયા, સમર્થકો સાથે કર્યા કેસરિયા
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 27, 2024 | 1:00 PM
Share

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહેલા નારણ રાઠવાએ કોંગ્રેનો પક્ષ છોડી દીધો છે અને ભાજપને સાથ આપવાનું પસંદ કર્યુ છે. નારણ રાઠવાએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

પુત્ર સંગ્રામ સહિત સમર્થકો સાથે કેસરિયા

લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો પૂર બહારમાં ખીલ્યો છે, અને આ ભરતી મેળામાં પૂર્વ પટ્ટીનો સૌથી મોટો આદિવાસી ચહેરો ગણાતા નારાણ રાઠવાનું નામ પણ જોડાઇ ગયુ છે. નારણ રાઠવાએ પોતાના પુત્ર સંગ્રામ સહિત સમર્થકો સાથે કેસરિયા કર્યા છે. જનતા દળથી શરૂ થયેલી નારણ રાઠવાની રાજનીતિએ આખરે 2024માં યુટર્ન લીધો છે.

25 વર્ષથી કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય

નારણ રાઠવા છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહ્યા છે. આ સમયગાળમાં તેઓએ 6 વાર સાંસદ બન્યા, એકવાર રાજ્યકક્ષાના રેલવે પ્રધાન પણ રહ્યા. પ્રાયોજના વહીવટદાર તરીકેની નોકરી છોડીને રાજકારણમાં આવેલા રાઠવા, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા હતી.

નારણ રાઠવાના કોંગ્રેસ પર આક્ષેપ

રાઠવાની માગ હતી કે તેમના પુત્ર સંગ્રામ રાઠવાને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે. જોકે રાઠવાની માગ પૂર્ણ નહીં થાય તેવા સંકેત મળતા આખરે આજે કમલમ ખાતે નારણ રાઠવાએ કોંગ્રેસને રામરામ કહીને, કેસરિયા કર્યા છે. રાઠવાનો આરોપ છે કે કોંગ્રેસમાં હોવાથી તેઓના વિસ્તારના વિકાસના કામોમાં અડચણ આવતી હતી.

નારણ રાઠવાના પુત્ર અને બરોડા ડેરીના ડિરેક્ટર એવા સંગ્રામ રાઠવાએ પણ પિતા સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો. નારણ રાઠવાએ કોંગ્રેસ પાસે પુત્ર માટે લોકસભાની ટિકિટ માગી હતી, જોકે ઇરાદો પાર ન પડતા કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો, ત્યારે સંગ્રામ રાઠવાએ ભાજપના વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઇને કેસરિયા કર્યાની વાત કરી.જોકે ચૂંટણી લડવા મુદ્દે સંગ્રામે મૌન ધારણ કર્યું અને પક્ષ કહે તેમ કરવાની વાત કરી.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ 26નું મિશન પાર પાડવા એડીચોટીનું જોર લગાવી રહી છે. મહદઅંશે આ મિશનમાં ભાજપને મોટી સફળતા પણ હાથ લાગી રહી છે, પરંતુ કોંગ્રેસ માટે આ કરો યો મરોની સ્થિતિ છે. પૂર્વ પટ્ટીમાં કોંગ્રેસના અસ્તિત્વ સામે જોખમ સર્જાયું છે, તો મોટા નેતાઓની ગેરહાજરીમાં કોંગ્રેસ હજી કેટલી તૂટે છે તેના પર સૌની નજર મંડાઇ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">