AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: ગુજરાતના 51 મંદિરમાં ચોરી કરનારી ટોળકી ઝડપાઈ, પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત

ભાવનગરમાં પકડાયેલ ત્રણ ચોર ગેંગ કે જેમના દ્વારા રાજ્યના વિવિધ મંદિરોમાં ચોરી કરવામાં આવતી હતી. જેમાં સૌથી વધુ ચોરી સૌરાષ્ટ્રમાં થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Bhavnagar: ગુજરાતના 51 મંદિરમાં ચોરી કરનારી ટોળકી ઝડપાઈ, પોલીસે મુદ્દામાલ કર્યો જપ્ત
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 25, 2023 | 8:15 PM
Share

ભાવનગર સહિત રાજ્યના કુલ 51 મંદિરમાં ચોરી કરનારી ગેંગને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા દર્શન કરવાના બહાને વિવિધ મંદિરોને નિશાનો બનાવી સોના ચાંદીના દાગીનાની મંદિરમાંથી ચોરી કરવામાં આવતી હતી.

પોલીસે આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને અતુલ ધકાણ, સંજય સોની અને ભરત થડેશ્વરની ધરપકડ કરી હતી. પોલીસે ટોળકીના 3 ચોરને ઝડપીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અને ચોરીનો મુદ્દમાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસે 60, 400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આગળ વધારી

ભાવનગરમાં પકડાયેલ ત્રણ ચોર ગેંગ કે જેમના દ્વારા રાજ્યના વિવિધ મંદિરોમાં ચોરી કરવામાં આવતી હતી. જેમાં સૌથી વધુ ચોરી સૌરાષ્ટ્રમાં થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ સીટી, અમદાવાદ રૂરલ, પોરબંદર, સોમનાથ જિલ્લાના વિવિધ મંદિરમાંથી સોના -ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી.

જોકે હાલ પોલીસ દ્વારા પકડાયેલા ઈસમો પાસે રોકડ રૂપિયા સોના ચાંદીના દાગીના મળીને કુલ 60,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસ દ્વારા અન્ય મંદિરોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા માટે ત્રણેય શખ્સોના રિમાન્ડની માંગણી  કરી છે.

દર્શન કરવાના બહાને કરતા હતા રેકી

પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે આ આરોપીઓ મંદિરમાં દર્શન કરવાના મંદિરની રેકી કરતા હતા અને  જ્યારે મંદિર બંધ હોય ત્યારે  તાળા તોડી ચોરીના ગુનાને અંજામ આપતા હતા.

રાજ્યના વિવિધ શહેરમાં આ ટોળકીએ કરી હતી ચોરી

ભાવનગર જિલ્લામાં આવેલા મંદિરોમાં ચોરી કર્યાની ઘટનામાં શિહોરના પાલડી ગામે, ગારીયાધારના ભીડભંજન મહાદેવ મંદિર, પરવડી ગામના મંદિર, વલભીપુરના લીમડા ગામે આવેલ મંદિર તેમજ બગસરા સહિત સૌરાષ્ટ્રના દામનગર,અમરેલી, ઉમરાળાના બજુડ  તેમજ  ધંધુકા,વિરમગામ, ચમારડી ગામે, વલભીપુરના રાણપુરડા ગામે, ગઢડા બોટાદ રોડ પર આવેલ મંદિરમાં ચોરી કરી હતી.

તો સાવરકુંડલાના સેલણા તેમજ  વીજપડી, સીમરણા, બેશવડ, અમદાવાદ નારી ચોકડી, ભાવનગર, જેસર, રતનવાવ, પોરબંદર, સાંઢીયા, મોટા સુરકા, દહેગામ, મહેસાણા, સીદસર, માંડલ ગામ, દાઠા ગારીયાધાર, આણંદ, ગઢડાના રણીયાળા ગામ સહિતના ગામોમાં આવેલ ધાર્મિક મંદિરોમાં દર્શન કરવાના બહાને અંદર જઈ ચોરીને અંજામ આપ્યો હતો.

  આ પણ વાંચો: અમદાવાદમાં કપાતર પુત્રના કરતૂત, પૈસા માટે સગી જનેતાને માર માર્યો, હુમલા બાદ જાનથી મારવાની આપી ધમકી

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">