Banaskantha : પાલનપુરમાં 36 જોખમી ઇમારતો ઉતારવા ચોમાસા પૂર્વે તંત્રની માલિકોને નોટિસ, છતાં કોઇ કાર્યવાહી નહિ

પાલનપુરમાં(Palanpur) અનેક ઇમારતો છે જે જોખમકારક સાબિત થાય તેવી છે જોકે આ જર્જરિત ઇમારતોની કાર્યવાહી પાલિકાએ ચોમાસાના બે માસ અગાઉ કરવાની હોય છે પરંતુ ચોમાસામાં હવે પાલનપુર નગરપાલિકા જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપી અને ઇમારતો ઉતારી લેવાની સૂચનાઓ આપે છે.

Banaskantha : પાલનપુરમાં 36 જોખમી ઇમારતો ઉતારવા ચોમાસા પૂર્વે તંત્રની માલિકોને નોટિસ, છતાં કોઇ કાર્યવાહી નહિ
Palanpur NagarpalikaImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 4:52 PM

ગુજરાતના(Gujarat) બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં(Palanpur)અનેક ઇમારતો જર્જરિત હાલતમાં છે. આ ઈમારતો જર્જરિત હોવાથી જોખમી બની રહી છે.ત્યારે પાલનપુર નગરપાલિકાએ 36 જર્જરિત ઇમારતો ઉતારી લેવા માલિકોને નોટિસ આપી છે.પરંતુ હજુ સુધી એક પણ જર્જરિત ઇમારત ધરાવતા માલિકે પાલનપુર પાલિકાની નોટિસનો કોઇ જવાબ આપ્યો નથી કે જર્જરિત ઇમારતો ઉતારવાની કાર્યવાહી કેમ કરી નથી.પાલનપુરમાં અનેક ઇમારતો છે જે જોખમકારક સાબિત થાય તેવી છે જોકે આ જર્જરિત ઇમારતોની કાર્યવાહી પાલિકાએ ચોમાસાના બે માસ અગાઉ કરવાની હોય છે પરંતુ ચોમાસામાં હવે પાલનપુર નગરપાલિકા જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપી અને ઇમારતો ઉતારી લેવાની સૂચનાઓ આપે છે.

 પાલનપુર નગરપાલિકાએ જર્જરીત ઇમારતો ના માલિકોને નોટિસ આપીને મકાન ઉતારી લેવા તો સૂચના આપી

પરંતુ ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બની છે કે જર્જરિત ઇમારત ઘસી પડવાથી મોતની પણ ઘટના બની હોય અને જાન માલને પણ નુકસાન થયું હોય દર વર્ષે એક જ નાટક ભજવાય છે કે નોટિસો આપી અને છૂટી જવાય છે અને કોઈ કાર્યવાહી ન થતાં આખરે જાનમાલનું નુકસાન થાય છે. પાલનપુર નગરપાલિકાએ જર્જરિત ઇમારત ધારકોને 10 જેટલી ઇમારતો પર તો પાલિકાની નોટિસ ચોંટાડી છે જ્યારે 26 જેટલા લોકોને જર્જરિત ઇમારતો ઉતારી લેવા નોટિસ રવાના કરી દેવાય છે જોકે ચોમાસાના અને વરસાદના આગમનને પગલે પાલનપુર નગરપાલિકાએ જર્જરીત ઇમારતો ના માલિકોને નોટિસ આપીને મકાન ઉતારી લેવા તો સૂચના આપી છે પરંતુ તેનો અમલ થતો નથી.

પાલનપુર શહેરમાં અનેકવાર દુર્ઘટનાઓ પણ બની છે ભૂતકાળમાં ઇમારતો ઘસી પડવાની પણ ઘટના બની છે ત્યારે હવે ચોમાસાની ચાલુ સિઝનમાં જર્જરીત ઇમારત ધારકોને નોટિસ આપીને ઉતારી લેવાની સૂચના અપાય છે. હવે પાલિકા આ જર્જરિત ઇમારતો ના ઉતારનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરશે.આ મકાન માલિકો જર્જરીત ઈમારતો નહીં ઉતારે તો નગરપાલિકાની ટીમ આ જર્જરિત ઇમારતોને ઉતારવાની કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો

(With Input, Atul Trivedi) 

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">