AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : પાલનપુરમાં 36 જોખમી ઇમારતો ઉતારવા ચોમાસા પૂર્વે તંત્રની માલિકોને નોટિસ, છતાં કોઇ કાર્યવાહી નહિ

પાલનપુરમાં(Palanpur) અનેક ઇમારતો છે જે જોખમકારક સાબિત થાય તેવી છે જોકે આ જર્જરિત ઇમારતોની કાર્યવાહી પાલિકાએ ચોમાસાના બે માસ અગાઉ કરવાની હોય છે પરંતુ ચોમાસામાં હવે પાલનપુર નગરપાલિકા જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપી અને ઇમારતો ઉતારી લેવાની સૂચનાઓ આપે છે.

Banaskantha : પાલનપુરમાં 36 જોખમી ઇમારતો ઉતારવા ચોમાસા પૂર્વે તંત્રની માલિકોને નોટિસ, છતાં કોઇ કાર્યવાહી નહિ
Palanpur NagarpalikaImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 4:52 PM
Share

ગુજરાતના(Gujarat) બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં(Palanpur)અનેક ઇમારતો જર્જરિત હાલતમાં છે. આ ઈમારતો જર્જરિત હોવાથી જોખમી બની રહી છે.ત્યારે પાલનપુર નગરપાલિકાએ 36 જર્જરિત ઇમારતો ઉતારી લેવા માલિકોને નોટિસ આપી છે.પરંતુ હજુ સુધી એક પણ જર્જરિત ઇમારત ધરાવતા માલિકે પાલનપુર પાલિકાની નોટિસનો કોઇ જવાબ આપ્યો નથી કે જર્જરિત ઇમારતો ઉતારવાની કાર્યવાહી કેમ કરી નથી.પાલનપુરમાં અનેક ઇમારતો છે જે જોખમકારક સાબિત થાય તેવી છે જોકે આ જર્જરિત ઇમારતોની કાર્યવાહી પાલિકાએ ચોમાસાના બે માસ અગાઉ કરવાની હોય છે પરંતુ ચોમાસામાં હવે પાલનપુર નગરપાલિકા જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ આપી અને ઇમારતો ઉતારી લેવાની સૂચનાઓ આપે છે.

 પાલનપુર નગરપાલિકાએ જર્જરીત ઇમારતો ના માલિકોને નોટિસ આપીને મકાન ઉતારી લેવા તો સૂચના આપી

પરંતુ ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બની છે કે જર્જરિત ઇમારત ઘસી પડવાથી મોતની પણ ઘટના બની હોય અને જાન માલને પણ નુકસાન થયું હોય દર વર્ષે એક જ નાટક ભજવાય છે કે નોટિસો આપી અને છૂટી જવાય છે અને કોઈ કાર્યવાહી ન થતાં આખરે જાનમાલનું નુકસાન થાય છે. પાલનપુર નગરપાલિકાએ જર્જરિત ઇમારત ધારકોને 10 જેટલી ઇમારતો પર તો પાલિકાની નોટિસ ચોંટાડી છે જ્યારે 26 જેટલા લોકોને જર્જરિત ઇમારતો ઉતારી લેવા નોટિસ રવાના કરી દેવાય છે જોકે ચોમાસાના અને વરસાદના આગમનને પગલે પાલનપુર નગરપાલિકાએ જર્જરીત ઇમારતો ના માલિકોને નોટિસ આપીને મકાન ઉતારી લેવા તો સૂચના આપી છે પરંતુ તેનો અમલ થતો નથી.

પાલનપુર શહેરમાં અનેકવાર દુર્ઘટનાઓ પણ બની છે ભૂતકાળમાં ઇમારતો ઘસી પડવાની પણ ઘટના બની છે ત્યારે હવે ચોમાસાની ચાલુ સિઝનમાં જર્જરીત ઇમારત ધારકોને નોટિસ આપીને ઉતારી લેવાની સૂચના અપાય છે. હવે પાલિકા આ જર્જરિત ઇમારતો ના ઉતારનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરશે.આ મકાન માલિકો જર્જરીત ઈમારતો નહીં ઉતારે તો નગરપાલિકાની ટીમ આ જર્જરિત ઇમારતોને ઉતારવાની કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો

(With Input, Atul Trivedi) 

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">