Anand : ઉમરેઠની રતનપુરા મોટી કેનાલમાં 4 બાળકો ડૂબ્યા, બે બાળકોના મોત

ઉમરેઠની રતનપુરા મોટી કેનાલમાં (Ratanpura Canal) 4 બાળકો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.જેમાં બે બાળકોના મોત થયા છે.

| Updated on: May 04, 2022 | 10:43 AM

ઉમરેઠની (Umreth)રતનપુરા મોટી કેનાલમાં 4 બાળકો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.જેમાં 2 બાળકોના(Child)  મોત થયા છે,જ્યારે 2 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.આ બાળકો કેનાલમાં નહાવા પડયા હતા.બાળકોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં આણંદ ફાયર ફાઈટરે (Fire Fighter)સ્થળ પર પહોંચી 2 બાળકોને બચાવી લીધા હતા.જો કે બે બાળકો પાણીમાં ગરકાવ થતાં તેના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.મૃતક બંને બાળકો ઉમરેઠના રતનપુરાના(Ratanpura)  ૨હેવાસી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

ચાર દિવસ પહેલા સુરતના કોઝવેમાં ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા

આ પહેલા થોડા દિવસો અગાઉ સુરતના રાંદેર કોઝવેમાં (Rander Causeway) ન્હાતી વેળાએ ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં બે બાળકોના શબ મળી આવ્યા હતા,જ્યારે જયારે એક બાળકીનો કોઈ પતો લાગ્યો ના હતો. બીજી તરફ બાળકોના મોતને લઈને પરિવારો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.મળતી માહિતી મુજબ સુરતના રાંદેર કોઝવે પાસે ઇકબાલ નગરમાં રહેતો ૮ વર્ષીય શાહદત અલી રહીમ અલી શાહ, તેનો ૧૨ વર્ષીય ભાઈ રમઝાન અને સબંધી ૭ વર્ષીય મોહમદ કર્મ અલી ઝાકીર અલી અલી ફકીર, તથા ૧૩ વર્ષીય સાનિયા શેખ ઘર પાસે રમતા રમતા કોઝવેના પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

જેથી બહાર ઉભેલા અન્ય છોકરાઓએ બુમાબુમ કરી હતી. જેથી ત્યાં સ્થાનિકો દોડી આવ્યા હતા. બાદમાં શાહદતને પાણીમાંથી બહાર કાઢીને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

 

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">