કાંકરિયા ઝૂમાં ઠંડીને લઈ વિશેષ વ્યવસ્થા કરાઈ, હાથીને માટે શિળાયાના વસાણા, જુઓ
ઠંડીનો ચમકારો શરુ થયો છે અને હવે તેના પ્રમાણમાં પણ વધારો થયો છે. આ દરમિયાન હવે લોકોએ ગરમ વસ્ત્રોનો ઉપયોગ પણ વધારી દીધો છે. તમે તો હાલમાં ઠંડીની સામે ઉપાય કરી લીધો છે, પરંતુ પશુ પંખીઓ શુ કરતા હશે. ઠંડીને કારણે તકલીફ ના પડે એ માટે પ્રાણીસંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. અમદાવાદના કાંકરિયા ઝૂમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઠંડીનો ચમકારો વધતા જ તમને હવે ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવાની જરુરીયાત વધી છે. લોકો આ દરમિયાન પોતાના શરીરને સાચવવા માટે પૂરતો પ્રયાસ કરવામાં આવતો હોય છે. પરંતુ વિચાર એ પણ આવતો હશે કે, પશુ પંખીઓ આ દરમિયાન શુ કરતા હશે. તેમને ઠંડીમાં પડતી મુશ્કેલીમાં પ્રાણીસંગ્રહાલયમાં શું કરવામાં આવતુ હશે.
તો જેમ લોકો ઠંડીમાં હીટરનો કે વસાણાનો ઉપયોગ કરતા હોય છે એવો જ ઉપાય અહીં પણ અજમાવવામાં આવતો હોય છે. જો ઠંડી સામે રક્ષણ ન મળે તો સ્વાસ્થને નુકશાન થાય છે.પશુ-પક્ષીઓને પણ આ જ બાબત લાગુ પડે છે.ઠંડીથી રક્ષણ આપવા માટે અમદાવાદના પ્રાણીસંગ્રહાલાયમા ખાસ વ્યવસ્થા કરાઇ છે. કોલ્ડ વેવ અને હીટવેવ ને કારણે પશુ-પક્ષીઓ .સજીવોને તકલીફ ન પડે તે માટે પ્રાણીસંગ્રાહાલયમા સીઝન પ્રમાણે પશુ-પક્ષીઓ માટે વ્યવસ્થા કરવામા આવે છે અને આ જ કરાણે પશુ-પક્ષીઓનુ સ્વાસ્થ જળવાઇ રહે છે.
આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર
અમદાવાદના કાંકરિયામાં આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની પ્રકૃતિ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જેમાં વાઘ, સિંહ, મગર અને સાપ થી લઈ પક્ષીઓ સુધી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ખાસ હિટર, બ્રુડર સહિતની તૈયારીઓ કરવામાં આવતી હોય છે.
વાઘ, સિંહ દીપડા વગેરે જેવા પ્રાણીઓના પાંજરા પાસે હીટર મુકવામા આવ્યા છે સાથે સાથે ધાસ પાથરવામા આવ્યુ છે. ધાસ પર બેસી તેઓ ગરમી મેળવી શકે છે. પક્ષીઓના કેઝ પર બ્રુડટ લગાવામા આવ્યા છે તો સાપ, કાચબા વગેરે માટે માટલા નીચે બલ્બની વ્યવસ્થા છે. બલ્બની મદદથી તેઓ ગરમી મેળવે છે. ઠંડીની સીઝનમા માનવીને શરદી-ઉધરસ થાય છે તો પશુ-પંખી રેસ્પાઇરેટ્રી ટ્રેક ઇન્ફેકશનનો ભોગ બને છે.તેઓને જરુરી મેડિકલ સારવાર આપવામા આવે છે.
હાથીને વસાણા ખવરાવાય છે
તમને જાણીને નવાઇ લાગશે કે માનીવી જ નહી પણ પ્રાણીઓને પણ વસાણાના લાડુ ખવડાવામા આવે છે.. હાથીને એટલે કે ગજરાજને ઠંડીની અસર અન્ય પક્ષીઓના પ્રમાણમાં વધારે થતી હોય છે. હાથીના શરીરનુ તાપમાન માણસ કરતા હોય છે. આમ હાથીને માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જ હાથીને શિયાળામાં ખાસ પ્રકારના વસાણા ખવડાવવામાં આવે છે. જે માટે ચારથી પાંચ કિલોના લાડુ તૈયાર કરવામાં આવે છે. જે રોજ ખોરાક સાથે 8 લાડુ ખવરાવવામાં આવે છે.
હાથી માટે રાગી,કુથલીમાંથી લાડુ બનાવાય છે. માણસનુ તાપમાન 98.6 હોય છે જ્યારે હાથીને બાદ કરતા અન્ય પ્રાણીઓનુ તાપમાન 101 હોય છે હાથીનુ શરીરનુ ઉષ્ણતામાન 96 હોય છે,આથી ઠંડીમા ગજરાજનુ બોડી ટેમ્પરેચર જળવાય તે જરુરી છે. આથી તેને વસાણામા લાડુ ખવડાવાય છે. રાગી, કુલથી, ચોખા, ગોળ, સુંઠ , ટોપરુ માથી 4થી5 કીલો વજનનો એક લાડુ તૈયાર કરવામા આવે છે. કુલથી પ્રોટીનથી ભરપુર તો રાગીમા ભરપુર માત્રામા કાર્બોહાઇડ્રેડ હોવાથી શીયાળામા શક્તીવર્ધક બને છે. કુલથીને 6થી8 કલાક પલાળી તેને બાફવામા આવે છે. ત્યારબાદ તેમા રાગીનો પાઉડર, ચોખા, ગોળ, ટોપરુ ઉમેરી લાડુ તૈયાર કરાય છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
![રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-railways-5-new-vande-bharat-trains-route-8.jpg?w=670&ar=16:9)
![પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/pakistani-woman-divorce-celebration-danced-video-6.jpg?w=670&ar=16:9)
![સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/stock-market-bse-nse-seek-clarification-on-mtnl-share-return-6.jpg?w=670&ar=16:9)
![સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ghee-with-hot-water-health-benefits-2.jpg?w=670&ar=16:9)
![શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-home-remedies-will-cure-spine-pain-1721978586-1.jpeg?w=670&ar=16:9)
![આલુ બુખારા ખાવાના શરીર માટે છે ગજબ ફાયદા, જાણો તેમાં રહેલા પોષક તત્વો વિશે આલુ બુખારા ખાવાના શરીર માટે છે ગજબ ફાયદા, જાણો તેમાં રહેલા પોષક તત્વો વિશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/health-benefits-of-aloobukhara-plum-and-nutrition.jpg?w=670&ar=16:9)