9 ઓગસ્ટે શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા અમદાવાદ આવતા સુધીમાં મંદ પડી, આવતીકાલે ગાંધીનગરને બદલે ચાંદખેડામાં થશે સમાપન- Video

ગુજરાતમાં ઘટેલી વિવિધ દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાય અપાવવા માટે 9 ઓગસ્ટથી મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા 13માં દિવસે અમદાવાદ આવી પહોંચી છે. આ ન્યાય યાત્રામાં આવવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ પરંતુ તેઓ આવ્યા ન હતા જે બાદ મલ્લિકાર્જુન ખરગેના આવવાન વાતો હતી પરંતુ તે પણ ન આવતા રાષ્ટ્રીય સ્તરના કોઈ મોટા નેતા યાત્રામાં દેખાયા નથી, જેને લઈને કાર્યકરોનો ઉત્સાહ પણ મંદ પડેલો જોવા મળ્યો હતો. 

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 22, 2024 | 5:24 PM

9 ઓગસ્ટથી મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા આજે અમદાવાદ આવી પહોંચી છે. આ ન્યાય યાત્રાનું આવતીકાલે ચાંદખેડામાં સમાપન થશે. અગાઉ ગાંધીનગરમાં યાત્રાનું સમાપન કરવાનું નક્કી કરાયુ હતુ. જો કે હવે ગાંધીનગરને બદલે અમદાવાદમાં જ યાત્રાનું સમાપન કરવામાં આવશે. આજે 13માં દિવસે કોંગ્રેસની ન્યાય યાત્રાનો અમદાવાદમાં સરખેજ રેલવે ક્રોસિંગથી પ્રારંભ કરાયો હતો. જે વાસણા APMC થઈ કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન પહોંચી હતી. ત્યાં વિરામ કર્યા બાદ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ જશે.  ત્યાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જિજ્ઞેશ મેવાણી, કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, લાલજી દેસાઈ, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓની આગેવાનીમાં આ યાત્રા નીકળી હતી.

અમદાવાદ પહોંચતા જ હિંમતસિંહ પટેલે ન્યાયયાત્રાનું કર્યુ સ્વાગત

કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચતા જ હિંમતસિંહ પટેલે જિજ્ઞેશ મેવાણી અને લાલજી દેસાઈને સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન હિંમત સિંહ પટેલે ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓ અંગે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યુ ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે, લોકોને, ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો, યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે આ તમામ સળગતા મુદ્દાઓ સામે ગુજરાત કોંગ્રેસ પુરી તાકાત સાથે લડશે અને લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ શરૂ રહેશે.

કોંગ્રેસની ન્યાય યાત્રાનો ગુજરાતમાં થયો ફિયાસ્કો- ભાજપ

ભાજપના નેતાઓ કોંગ્રેસની ન્યાય યાત્રા નિષ્ફળ રહી હોવાના પહેલા દિવસથી પ્રહાર કરી રહ્યા છે અને લાશો પર રાજકારણ રમવાનો આક્ષેપ કરી રહ્યા છે. ગુજરાતમાં બનેલી દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે આયોજિત કરાયેલી આ ન્યાય યાત્રાને ભાજપે નિષ્ફળ યાત્રા ગણાવી છે, આ મુદ્દે પાલ આંબલિયાએ જણાવ્યુ કે પ્રથમ દિવસથી ભાજપ યાત્રાને લઈને લોકોમાં ગેરસમજ ફેલાવી રહી છે પરંતુ આ 13 દિવસ દરમિયાન બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ સતત સાથે જ હતી ક્યાંય પણ અરાજક્તા ફેલાઈ નથી. આ તરફ બપોર બાદ કોંગ્રેસની ન્યાય યાત્રામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.

દર બે દિવસમાં એક વાર દારૂ પીઓ તો શું થાય ? જાણી લો ચોંકાવનારી વાત
ઘરે ગણતરીની મિનીટમાં જ બનાવો સ્વાદિષ્ટ પેંડા
ફાલ્ગુની પાઠક ગરબા ક્વિન તરીકે ફેમસ છે, જુઓ ફોટો
Dark Circles : ડાર્ક સર્કલ હટાવવા સહેલા છે, ડોક્ટર પાસે જવાની જરુર નથી, ફોલો કરો આ ટિપ્સ
આજનું રાશિફળ તારીખ : 12-09-2024
T20 વર્લ્ડ કપની ટિકિટ માત્ર 114 રૂપિયા, બાળકોને ફ્રી એન્ટ્રી

રાહુલ ગાંધીનું આવવાનું રદ્દ થતાં મલ્લિકાર્જુન ખરગે હાજર રહેવાના હતા

અમદવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા બાદ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને કોંગ્રેસની ન્યાય યાત્રામાં આવશે તેવો દાવો કર્યો હતો. જો કે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે કે અન્ય કોઈપણ રાષ્ટ્રીય સ્તરના નેતા આ યાત્રામાં દેખાયા નથી. ત્યારે મોરબીથી શરૂ થયેલી આ યાત્રા રાજકોટ, વડોદરા, સુરત બાદ અમદાવાદ પહોંચી છે. જેમા કાર્યકરોનો ઉત્સાહ મંદ પડેલો સ્પષ્ટ દેખાયો હતો. ગુજરાતમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના, રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ, વડોદરાનો હરણી બોટકાંડ અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડના તમામ પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરાયુ હતુ. જેનુ આવતીકાલે ચાંદખેડામાં એક જનસભા બાદ સમાપન થવાનુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં
જુનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ ચાર વર્ષથી બંધ હાલતમાં
ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video
ભાવનગરના રસ્તાઓ બિસ્માર બનતા પારાવાર હાલાકી ભોગવતા ભાવેણાવાસીઓ- Video
ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ
ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને કરાયા સસ્પેન્ડ
જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video
જુનાગઢ મનપાની ઝોનલ કચેરીમાં કચરાની ડોલ લેવા મચી ગઈ ધક્કામુક્કી- Video
પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video
પોરબંદર નગરપાલિકાના એક નિર્ણયથી ભાવિકો થયા લાલઘુમ- Video
ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત
ઉધના ત્રણ રસ્તા પર ST બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો અકસ્માત
વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત
વડોદરા પૂર મામલે રાજ્ય સરકારની મોટી જાહેરાત
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
16 વર્ષના છોકરાએ જજને સામે આપ્યા શાનદાર જવાબો, watch video
g clip-path="url(#clip0_868_265)">