PM Modi Gujarat Visit : પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લીધી

|

Aug 27, 2022 | 8:21 PM

ગુજરાતના(Gujarat)  પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi) અમદાવાદ શહેરમાં નવા અટલ ફૂટ ઓવર બ્રિજનું(Atal Bridge) ઇ લોકાર્પણ કર્યું હતું. જો કે તેની બાદ તેમણે આ નવા ફૂટ ઓવરબ્રિજની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પણ લીધી હતી.

PM Modi Gujarat Visit : પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લીધી
PM Modi Visit Atal Bridge

Follow us on

ગુજરાતના(Gujarat)  પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi) અમદાવાદ શહેરમાં નવા અટલ ફૂટ ઓવર બ્રિજનું(Atal Bridge) ઇ લોકાર્પણ કર્યું હતું. જો કે તેની બાદ તેમણે આ નવા ફૂટ ઓવરબ્રિજની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પણ લીધી હતી.  પીએમ મોદીએ  આજે અટલ બ્રિજનું  લોકાપર્ણ કર્યું છે. જે  અમદાવાદના  શહેરીજનોને મોટી ભેટ છે.  આ ઉપરાંત અટલ બ્રિજ એ શહેરના બે કિનારાને નથી જોડતો પણ તેની ડિઝાઇન અભૂતપૂર્વ છે અને તેમાં પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર અને અને અમદાવાદના લોકોએ અટલજીને ખૂબ પ્રેમ કર્યો છે. તેમજ આ બ્રિજ લોકો તરફથી અટલજીને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ છે.

PM Modi Visit Atal Bridge With CM Bhupendra Patel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદી પર બનેલા નવા આકર્ષક અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 300 મીટરની લંબાઈના બ્રિજનું PMના હસ્તે લોકાર્પણ થતા અમદાવાદના આકર્ષણમાં વધુ એક જગ્યાનો ઉમેરો થયો છે.રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો સૌપ્રથમ ફુટ ઓવરબ્રિજ છે. બ્રિજ 2100 ટન વજનનો છે. જેની 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોંળાઈ છે. આ ફુટઓવરબ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આકર્ષક ડિઝાઇન અને LED લાઇટિંગ સાથેનો આ આઇકોનિક પુલ લગભગ 300 મીટર લાંબો અને મધ્યમાં 14 મીટર પહોળો છે. નદીના પશ્ચિમ છેડે આવેલા ફૂલ બગીચાને અને પૂર્વમાં મુલાકાતી કળા અને સંસ્કૃતિ કેન્દ્રને જોડે છે. પદયાત્રીઓ ઉપરાંત સાયકલ સવારો પણ આ પુલનો ઉપયોગ કરી શકશે. બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લોકો નીચલા અને ઉપરના બંને તરફ અથવા રિવર ફ્રન્ટના રિસોર્ટ સુધી પહોંચી શકે.  આ અટલ બ્રિજ અમદાવાદ માટે પ્રવાસન સ્થળ સાબિત થશે. આ પુલ સદીઓ સુધી એન્જિનિયરિંગ અજાયબી તરીકે પણ ઓળખાશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  પોતાના સંબોધનમાં કહ્યું હતું કે  ખાદી એ આપણી ભવ્ય વિરાસત છે. તેમણે કહ્યું હતું કે ભારતની સ્વતંત્રતા અને વારસાનું પ્રતિક ખાદી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે સંબોધન કરતા જણાવ્યું હતું કે  ખાદી ઉત્સવમાં ચરખો  કાંતિ રહેલા  કારીગરોના હસ્તે દેશનુ ભવિષ્ય પણ કાંતવામાં આવી રહ્યું છે.   પહેલા લોકો ખાદીની મજાક ઉડાવતા હતા , હવે પરિસ્થિતિ બદલાઈ છે.

Published On - 8:08 pm, Sat, 27 August 22

Next Article