AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Gujarat Visit : અટલ બ્રિજ લોકો તરફથી અટલજીને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ : પીએમ મોદી

ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ આજે અટલ બ્રિજનું લોકાપર્ણ કર્યું છે. જે અમદાવાદના શહેરીજનોને મોટી ભેટ છે. આ ઉપરાંત અટલ બ્રિજ એ શહેરના બે કિનારાને નથી જોડતો પણ તેની ડિઝાઇન અભૂતપૂર્વ છે

PM Modi Gujarat Visit : અટલ બ્રિજ લોકો તરફથી અટલજીને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ : પીએમ મોદી
Ahmedabad Atal Foot Over BridgeImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 7:05 PM
Share

PM Modi Gujarat Visit : ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi)  આજે અટલ બ્રિજનું (Atal Bridge) લોકાપર્ણ કર્યું છે. જે અમદાવાદના(Ahmedabad)  શહેરીજનોને મોટી ભેટ છે. આ ઉપરાંત અટલ બ્રિજ એ શહેરના બે કિનારાને નથી જોડતો પણ તેની ડિઝાઇન અભૂતપૂર્વ છે અને તેમાં પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર અને અને અમદાવાદના લોકોએ અટલજીને ખૂબ પ્રેમ કર્યો છે. તેમજ આ બ્રિજ લોકો તરફથી અટલજીને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદી પર બનેલા નવા આકર્ષક અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 300 મીટરની લંબાઈના બ્રિજનું PMના હસ્તે લોકાર્પણ થતા અમદાવાદના આકર્ષણમાં વધુ એક જગ્યાનો ઉમેરો થયો છે.રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો સૌપ્રથમ ફુટ ઓવરબ્રિજ છે. બ્રિજ 2100 ટન વજનનો છે. જેની 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોંળાઈ છે. આ ફુટઓવરબ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આકર્ષક ડિઝાઇન અને LED લાઇટિંગ સાથેનો આ આઇકોનિક પુલ લગભગ 300 મીટર લાંબો અને મધ્યમાં 14 મીટર પહોળો છે. નદીના પશ્ચિમ છેડે આવેલા ફૂલ બગીચાને અને પૂર્વમાં મુલાકાતી કળા અને સંસ્કૃતિ કેન્દ્રને જોડે છે. પદયાત્રીઓ ઉપરાંત સાયકલ સવારો પણ આ પુલનો ઉપયોગ કરી શકશે. બ્રિજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે લોકો નીચલા અને ઉપરના બંને તરફ અથવા રિવર ફ્રન્ટના રિસોર્ટ સુધી પહોંચી શકે. આ અટલ બ્રિજ અમદાવાદ માટે પ્રવાસન સ્થળ સાબિત થશે. આ પુલ સદીઓ સુધી એન્જિનિયરિંગ અજાયબી તરીકે પણ ઓળખાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  પોતાના સંબોધનમાં કહ્યું હતું કે  ખાદી એ આપણી ભવ્ય વિરાસત છે. તેમણે કહ્યું હતું કે ભારતની સ્વતંત્રતા અને વારસાનું પ્રતિક ખાદી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે સંબોધન કરતા જણાવ્યું હતું કે  ખાદી ઉત્સવમાં ચરખો  કાંતિ રહેલા  કારીગરોના હસ્તે દેશનુ ભવિષ્ય પણ કાંતવામાં આવી રહ્યું છે.   પહેલા લોકો ખાદીની મજાક ઉડાવતા હતા , હવે પરિસ્થિતિ બદલાઈ છે.

PM મોદીએ ખુદ ચરખો કાંતી પ્રેરક ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. આ ખાદી મહોત્સવમાં વર્ષ 1920થી લઈ અત્યાર સુધી ઉપયોગમાં લેવાયેલા ચરખાનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યુ છે. આ મહોત્સવ દરમિયાન 7500 મહિલાઓએ એકસાથે રેંટિયો કાંત્યો હતો. અલગ-અલગ જિલ્લામાંથી મહિલા ખાદી કારીગરો બોલાવવામાં આવ્યા છે. આ સાથે ખાદી કારીગરો સાથે PM મોદીએ વાર્તાલાપ પણ કર્યો હતો. 75માં અમૃત મહોત્સવમાં ખાદીના મહત્વની ઉજવણી કરવા ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">