AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022 : ભાજપે અમદાવાદથી કરી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી છેવાડાનાં પ્રત્યેક લોકોની પડખે છે એમની સુખાકારી માટે સતત કાર્યશીલ છે. આ વાત ગામડે-ગામડે અને ઘરે ઘરે પહોંચે એ માટે વોલ પેઇન્ટિંગની શરૂઆત કરી છે.

Gujarat Assembly Election 2022 : ભાજપે અમદાવાદથી  કરી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત
Gujarat Bjp President CR Paatil Start Election Campaign Through Wall Painting
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 11:45 PM
Share

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં ભાજપે 2022ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો શુભારંભ કર્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વોલ પેઈન્ટિંગ દ્વારા પ્રચાર કેમ્પેઈન શરૂ કર્યું છે. ભાજપે કાર્યકરોમાં ઉત્સાહ વધારવા વોલ પેઈન્ટિંગની શરૂઆત કરાવી છે. વોલ પેઈન્ટિંગમાં 5 વર્ષના કામોને લખવામાં આવશે. આ અંગે સી.આર.પાટીલે કહ્યું કે, ફક્ત વાયદાઓ નહીં કરેલા કામોને વોલ પર મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓનો જુસ્સો વધુ વધ્યો છે. હવે તમામ કાર્યકર્તાઓની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. ભારતીય જનતા પાર્ટી છેવાડાનાં પ્રત્યેક લોકોની પડખે છે એમની સુખાકારી માટે સતત કાર્યશીલ છે. આ વાત ગામડે-ગામડે અને ઘરે ઘરે પહોંચે એ માટે વોલ પેઇન્ટિંગની શરૂઆત કરી છે.

વહેલી ચૂંટણી યોજવાની કોઈ માગણી ભાજપ તરફથી કરવાના નથી

ઉલ્લેખનીય છે કે, દેશના ચાર રાજ્યોમાં ભવ્ય જીત અને ગુજરાતમાં મેગા રોડ શો બાદ હવે એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે. આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે શનિવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે વહેલી ચૂંટણી યોજવાની કોઈ માગણી ભાજપ તરફથી કરવાના નથી.ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજવી તે અંગે ચૂંટણી પંચ જ નિર્ણય લેશે. આ પૂર્વે ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય બાદ ગુજરાતમાં ડિસેમ્બરના બદલે મે કે જૂન મહિનામાં જ ચૂંટણી યોજાશે તેવી ચર્ચા થઈ રહી હતી.

ગુજરાતમાં વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચા

આ ઉપરાંત પીએમ મોદીની બે દિવસની મુલાકાતે રાજયના વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાવવાની અટકળોને રાજકીય વર્તુળમાં તેજ કરી દીધી છે. દેશમાં ચાર રાજયોમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ તેનો લાભ લેવા ગુજરાતમાં પણ વહેલું ઇલેક્શન કરાવવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે આ બધા નિવેદનો વચ્ચે એક બાબત તો સ્પષ્ટ છે કે ભાજપે ઇલેકશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમજ ગમે ત્યારે ઇલેકશન આવે તો 150 ના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે ભાજપ કટિબધ્ધ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગ સમાજમાં હેપીનેસ ઇન્ડેક્ષ ઉંચો લઈ જઈ શકે : સીએમ ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : ગુજરાત યૂથ કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા પ્રસ્તાવ પસાર કર્યો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">