MD અને નિષ્ણાંત ડૉક્ટરની ભલામણ પર ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરી શકાશે: DyCM નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે જેમ જેમ નવી જરૂરિયાતો ઉભી થાય તેમ તેમ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણયો કરી રહી છે. હાલ કોરોનાની સ્થિતી ગંભીર છે, 10 નિષ્ણાંતો ડોક્ટરો સમગ્ર પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે. ત્યારે વધુમાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે અમદાવાદમાં ખાનગી લેબોરેટરીમાં પણ હવે ટેસ્ટ કરાવી શકાશે. […]
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે જેમ જેમ નવી જરૂરિયાતો ઉભી થાય તેમ તેમ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણયો કરી રહી છે. હાલ કોરોનાની સ્થિતી ગંભીર છે, 10 નિષ્ણાંતો ડોક્ટરો સમગ્ર પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે. ત્યારે વધુમાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે અમદાવાદમાં ખાનગી લેબોરેટરીમાં પણ હવે ટેસ્ટ કરાવી શકાશે. એમડી અને નિષ્ણાંત ડૉક્ટરની ભલામણ પર ટેસ્ટ કરાવી શકાશે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોનો ડૉકટરના અભિપ્રાય બાદ ટેસ્ટ થશે. ત્યારે ખાનગી તબીબે દર્દીની માહિતી તંત્રને ઈમેઈલ દ્વારા મોકલવી પડશે. આવતીકાલથી આ નવી સિસ્ટમ લાગૂ થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો