ગુજરાતના વકીલોને મુખ્ય ન્યાયાધીશની મહત્વની ટકોર, ગુજરાતના વકીલોને કેમ અપાઈ સુધરી જવાની સલાહ?- વાંચો

બાર કાઉન્સિલના કાર્યક્રમમાં મુખ્ય ન્યાયધિશ સુનિતા અગ્રવાલે તેમના સંબોધનમાં સારા શબ્દોમાં વકીલોને સીધી ટકોર કરી છે. વારંવાર તારીખો લઈ એક ને એક કેસને વર્ષોના વર્ષો સુધી ખેંચ્યા કરતા વકીલોને ટાંકીને મુખ્ય ન્યાયધિશે કહ્યુ કે 'તારીખ પે તારીખ' જ ન્યાયમાં વિલંબનું કારણ છે અને મોડેથી મળેલો ન્યાય પણ અન્યાય બરાબર જ છે.

Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Jul 27, 2024 | 8:25 PM

કરોડોની જનસંખ્યાવાળા આપણા દેશમાં કોર્ટની કાર્યવાહી પણ ઘણીવાર વર્ષો સુધી ચાલતી જ રહે છે.. અનેક કિસ્સા એવા છે કે, જ્યારે ચુકાદો આવે.. ત્યારે આરોપી અને ફરિયાદી બંન્નેનું નિધન થઈ ચૂક્યું હોય છે. આ લાંબી ચાલતી પ્રક્રિયા, ઘણીવાર કાયદાકીય ગૂંચનું કારણ હોય છે. પરંતુ એ વાત પણ ધ્યાને આવી છે કે, વકીલો તેમના લાભ માટે તારીખો લીધા કરે છે અને તેના જ કારણે ન્યાય સતત પાછો ઠેલાયા કરે છે.

‘તારીખ પે તારીખ’ જ છે ન્યાયમાં વિલંબનું કારણ

આ વાતો માત્ર ઉપજાવી કાઢેલી નથી. ગુજરાતના વકીલોને આ ટકોર કરી છે ખુદ મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે. બાર કાઉન્સિલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચીફ જસ્ટિસે વકીલોને પોતાના વિચારોમાં પરિવર્તન લાવવા સલાહ આપી છે. ચીફ જસ્ટિસે ખૂબ સખત શબ્દોમાં કીધું છે કે, વારંવાર તારીખો લેવી એ ખૂબ મોટી તકલીફ આજના સમયમાં થઈ ગઈ છે. જાણે કે, તારીખો લેવાનો ટ્રેન્ડ ચાલ્યો હોય. વકીલો વારંવાર તારીખ લીધા કરે છે અને કેસ લાંબો ચાલ્યા જ કરે છે. ચીફ જસ્ટીસે આ વાત ધ્યાને લીધી છે, અને કાર્યક્રમમાં વકીલોને સૂચન કર્યું છે કે, બને તેટલું તારીખો લેવાનું ટાળો. એવું જરા પણ નથી કે, કેસ લાંબો ચાલશે તેમ અસીલ વધુ આવશે. તારીખો પર તારીખે લેવામાં આવે છે અને કેસ લંબાતો જાય છે. તેના જ કારણે ન્યાયમાં વિલંબ થાય છે. ચીફ જસ્ટીસે વકીલોને સારા શબ્દોમાં સુધરી જવા કહ્યું છે કે, વિચારોમાં પરિવર્તન લાવો.

ન્યાયમાં અડચણ છે તારીખો પર તારીખ લેવાનો ટ્રેન્ડ

કોર્ટના પગથિયા ચડનારા અનેક લોકોને અનુભવ હોય છે કે, ખિસ્સા ખાલી થઈ જાય છે. આ જ પ્રકૃતિવાળા વકીલો માટે આ ટકોર છે.. જે ખિસ્સાનો ફાયદો છોડી દો.. તમારા ફાયદામાં કોઈને ન્યાય મળવામાં વર્ષો લાગી જાય છે. એક ખૂબ સરસ વાત ચીફ જસ્ટીસે નોંધી છે કે,  “Justice Delayed is Justice Denied” મતલબ  મોડો ન્યાય એ અન્યાય બરાબર છે અને આવો અન્યાય કરવાનો અધિકાર વકીલોને તો કાયદાએ ક્યારેય આપ્યો નથી. જ્યારે ચીફ જસ્ટીસને આવી ટકોર કરવી પડતી હોય, તો હવે એટલી આશા તો રાખવી જ રહી છે, વકીલો કાળા કોટની આડમાં તારીખોના કાળા કૌભાંડ તો નહીં જ કરે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
g clip-path="url(#clip0_868_265)">