અમદાવાદના આ બે વ્યક્તિત્વએ અસગવડતાના અવરોધો સામે બીમાર નાગરિકોને મુશ્કેલીમાંથી ઉગારવાનું કામ કર્યું
દેશભરમાં લોકડાઉન દરમ્યાન ઘણા નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો અવાક પણે કર્યો હશે. પરંતુ જન કલ્યાણ માટે મક્કમતા ધરાવતા બે જાગૃત વ્યક્તિત્વએ ઘણા દર્દીઓ સાથે થતો અન્યાય બચાવ્યો છે. ચાંદખેડાના વૈદ્ય આદિત્ય પારેખ અને અમદાવાદના સિનિયર પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહે આ કપરા સમયમાં પણ કાયદો અને વ્યવસ્થાની સીમામાં રહીને ભય અને અસગવડતાના અવરોધો સામે […]
દેશભરમાં લોકડાઉન દરમ્યાન ઘણા નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો અવાક પણે કર્યો હશે. પરંતુ જન કલ્યાણ માટે મક્કમતા ધરાવતા બે જાગૃત વ્યક્તિત્વએ ઘણા દર્દીઓ સાથે થતો અન્યાય બચાવ્યો છે. ચાંદખેડાના વૈદ્ય આદિત્ય પારેખ અને અમદાવાદના સિનિયર પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહે આ કપરા સમયમાં પણ કાયદો અને વ્યવસ્થાની સીમામાં રહીને ભય અને અસગવડતાના અવરોધો સામે અનેક બીમાર નાગરિકોને મુશ્કેલીમાંથી ઉગારવાનું કામ કર્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દેશભરમાંથી પોતાના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોનો ઉકેલ મેળવવા વૈદ્ય આદિત્ય પારેખ પાસે આવતા દર્દીઓએ લોકડાઉન દરમ્યાન ખૂબ ચિંતા અને મુશ્કેલીની લાગણી અનુભવી હતી. SLE, અસ્થમા,આર્થરાઈટીસ કેન્સર,આઈબીએસ,એઇડ્સ, અલ્સરેટિવ કોલાઈટીસ, ફિસટ્યુલા તથા પેન્ક્રીયાટાઈટીસ જેવી તકલીફોમાં જેમાં અમુક સમય માટે છૂટી જતો કોર્સ પણ દર્દી માટે મોટું નુકસાન કરી જાય છે.
એવા દર્દીઓ માટે ખાસ વૈદ્ય આદિત્ય પારેખે પોસ્ટઓફિસ ખાતે અલ્પેશભાઈ શાહ અને સહ કર્મચારીઓના અનન્ય સહયોગ દ્વારા સ્પીડ પોસ્ટ દ્વારા પોતાના કોર્સની દવા દર્દીઓ સુધી પહોંચે એ કાર્ય પાર પાડ્યું હતું. આ કપરા સમય દરમ્યાન સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા સરકારના આદેશોની મર્યાદામાં રહેવા છતાં વૈદ્ય આદિત્ય પારેખ અને પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહ પોતાની ફરજમાંથી ચુક્યા ન હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો