Ahmedabad: બોગસ એન્જીનીયરીંગ કોલેજો સામે કાર્યવાહી, GTUએ 9 કોલેજને ‘નો એડમિશન’ ઝોનમાં મુકી

|

Aug 08, 2022 | 9:22 AM

એકેડેમિક ઇન્સ્પેકશનમાં (Academic Inspection) નિયમોનું પાલન ના કરનાર 4 ડિપ્લોમાં અને 5 ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજોને GTUએ નો એડમિશન ઝોનમાં (No admission zone) મૂકી દીધી છે. આ 9 કોલેજોમાં આ વર્ષે એકપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે.

Ahmedabad: બોગસ એન્જીનીયરીંગ કોલેજો સામે કાર્યવાહી, GTUએ 9 કોલેજને નો એડમિશન ઝોનમાં મુકી
GTUએ 9 કોલેજને 'નો એડમિશન' ઝોનમાં મુકી

Follow us on

GTU દ્વારા તાજેતરમાં ડિપ્લોમા (Diploma), એન્જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ અને એમસીએ કૉલેજોનું એકેડમીક ઈન્સ્પેક્શન (Academic Inspection) કરાયું હતું. 435 કોલેજો પાસેથી ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર મંગાવવામાં આવ્યું હતું. જેમાંથી ખરાઈ કર્યા બાદ 280 કોલેજોમાં શિક્ષણ (Education) ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞો દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતુ. કોલેજોમાં AICTEના નિયમો મુજબ ફેકલ્ટી, લેબોરેટરી, સ્ટાફ, આચાર્ય સહિતની સુવિધાઓની ચકાસણી કરવામાં આવી હતી. એકેડેમિક ઇન્સ્પેકશનમાં 280માંથી 38 કોલેજોમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 38 કોલેજોમાં AICTEના નિયમ મુજબ સ્ટાફ અને અન્ય સુવિધાઓ ના હોવાનું સામે આવ્યું છે. કેટલીક કોલેજો પ્રોફેસર, આચાર્ય કે ડાયરેક્ટર વિના જ ચાલતી હોવાનો ખુલાસો થયો છે. જેના પગલે GTUએ 9 એન્જિનિયરીંગ કોલેજને નો એડમિશન ઝોનમાં મૂકી દીધી છે.

38 કોલેજોની વિવિધ વિદ્યાશાખાની 4775 સીટો ઘટાડી

એકેડેમિક ઇન્સ્પેકશનમાં નિયમોનું પાલન ના કરનાર 4 ડિપ્લોમાં અને 5 ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજોને GTUએ નો એડમિશન ઝોનમાં મૂકી દીધી છે. આ 9 કોલેજોમાં આ વર્ષે એકપણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે. આ અંગે જીટીયુએ એડમિશન કમિટીને પણ 9 કોલેજોમાં પૂરતી સુવિધા અને સ્ટાફ ના હોવાને કારણે વિદ્યાર્થીઓને (Students) ચાલુ વર્ષે પ્રવેશ ના ફાળવવા માટે જાણ કરી છે. અન્ય 38 કોલેજોમાં ફેકલ્ટી અને લેબોરેટરીની ઉણપ અને 3 વર્ષથી ડાયરેક્ટર કે પ્રિન્સિપાલની જગ્યા ખાલી હોવાનું સામે આવતા GTUએ કાર્યવાહી કરી છે. ખામીઓ સામે આવતા 38 કોલેજોની વિવિધ વિદ્યાશાખાની 4775 સીટો ઘટાડી દીધી છે. જેમાં ડિગ્રી એન્જિનિયરીંગ (Degree Engineering) વિદ્યાશાખાની 15 કોલેજોની 1295 સીટો, ડિપ્લોમાં એન્જિનિયરીંગની 18 કોલેજોની 3300 , ફાર્મસીની 1 કૉલેજની 60 સીટો તથા MBA અને MCAની અનુક્રમે 3 અને 1 સંસ્થાની કુલ 60-60 સીટોનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

200 કોલેજોને ફટકારાઇ નોટિસ, શિક્ષણની ગુણવત્તામાં વધારો થવાનો મત

આ ઉપરાંત GTUએ 200 કોલેજોને સ્ટાફ, લેબોરેટરી, કલાસરૂમ સહિતની ક્ષતિપૂર્ણ કરવા નોટિસ ફટકારી છે. જો આગામી સમયમાં આ કોલેજો દ્વારા AICTEના નિયમ મુજબ સ્ટાફ અને લેબોરેટરીની સુવિધા નહીં પુરી કરવામાં આવે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે જીટીયુના કુલપતિ પ્રો.નવીન શેઠે જણાવ્યું હતું કે ટેક્નિકલ શિક્ષણમાં કોઈ પણ પ્રકારની ઉણપ ના રહી જાય તે અર્થે GTU અને એઆઈસીટીઈના ધરાધોરણ મુજબ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું જરૂરી છે. એકેડેમિક ઈન્સ્પેક્શનથી (Academic Inspection)  શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે.

Next Article