કેડીલા ફાર્માસ્યુટીકલમાં 21 કોરોના પોઝિટીવ કેસનો મુદ્દો, કંપનીના યુનિટને બંધ કરવાનો આદેશ
અમદાવાદમાં કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીને બંધ કરી દેવામાં આવી છે. કંપનીના 21 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ અમદાવાદથી આવતા તમામ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે અને તંત્ર તરફથી હવે તમામ કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. કંપનીની આ બેદરકારીની તંત્રએ ગંભીર નોંધ લીધી છે અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક […]
અમદાવાદમાં કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીને બંધ કરી દેવામાં આવી છે. કંપનીના 21 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે જ અમદાવાદથી આવતા તમામ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે અને તંત્ર તરફથી હવે તમામ કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. કંપનીની આ બેદરકારીની તંત્રએ ગંભીર નોંધ લીધી છે અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બોલાવી છે. આરોગ્ય વિભાગે ત્રાસદ ગામના યુનિટને બંધ કરવા માટે આદેશ પણ કર્યો છે. ભાત ગામે આવેલા કંપનીના આર એન્ડ ડી યુનિટને પણ બંધ કરવામાં આવ્યું છે. ધોળકા ગામના કર્મચારીઓ મારફતે જ ચેપ લાગ્યો હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો