Top 5 News: ટ્વિંકલ ખન્નાએ ધાર્મિક ગુરુઓને બુરખા અંગે આપી સલાહ, રણબીર-આલિયા ક્યારે કરશે લગ્ન? વાંચો મનોરંજન જગતના સમાચાર

આ રવિવારે મનોરંજન જગતના ઘણા મુખ્ય સમાચાર આવ્યા. પરંતુ જો તમે આ સમાચાર ચૂકી ગયા હો, તો તમે તેને એન્ટરટેઈનમેન્ટ ટોપ 5માં (Entertainment Top 5) વિગતવાર વાંચી શકો છો.

Top 5 News: ટ્વિંકલ ખન્નાએ ધાર્મિક ગુરુઓને બુરખા અંગે આપી સલાહ, રણબીર-આલિયા ક્યારે કરશે લગ્ન? વાંચો મનોરંજન જગતના સમાચાર
Alia ranbir And Twinkle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 9:48 AM

મનોરંજન જગતમાં (Entertainment Industry) દરરોજ કોઈને કોઈ હિલચાલ થાય છે. જેને જાણવા માટે વાચકો ખૂબ જ ઉત્સુક હોય છે. રવિવારનો દિવસ ફિલ્મી દુનિયા માટે ઉતાર-ચઢાવનો દિવસ હતો. આ રવિવારે મનોરંજન જગતના ઘણા મુખ્ય સમાચાર આવ્યા અને તે હેડલાઇન્સમાં (Headlines) રહ્યા. જો તમે આ સમાચાર ચૂકી ગયા હો, તો તમે તેને એન્ટરટેઈનમેન્ટ ટોપ 5માં વિગતવાર વાંચી શકો છો.

ટ્વિંકલ ખન્નાએ કર્યું ટ્વિટ

ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ દ્વારા દરરોજ ચર્ચામાં રહે છે. ટ્વિંકલે ‘હિજાબ કોન્ટ્રોવર્સી’ (Hijab Controversy)પર કટાક્ષભરી કોલમ લખી હતી. ત્યારથી અભિનેત્રી હેડલાઇન્સમાં છે. અભિનેત્રીએ આ અંગે એક ટ્વિટ પણ કર્યું છે, જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ટ્વિંકલે પોતાની પોસ્ટમાં (Twinkle Tweet) ધાર્મિક નેતાઓને બુરખા અંગે સલાહ પણ આપી છે. તો સાથે જ અભિનેત્રી રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વિવાદ પર પણ બોલતી જોવા મળે છે.

બુરખા પર પોતાનો અભિપ્રાય આપતા ટ્વિંકલે કહ્યું કે, તે કોઈપણ પ્રકારની પર્દા પ્રથાને સ્વીકારતી નથી. પરંતુ તે દરેક મહિલાનો પોતાનો નિર્ણય છે કે તેણે પોતાનો ચહેરો ઢાંકવો કે નહીં. આ કોઈપણ દબાણ કે ડર વગર થવું જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રણબીર-આલિયાના લગ્નની અટકળો

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલિવૂડના એવા કપલ છે. જે ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમના ફેન્સ તેમને પતિ-પત્ની તરીકે જોવા માટે ખૂબ રાહ જોઈ રહ્યા છે. લગભગ 2 વર્ષથી તેમના લગ્નને લઈને ઘણા અહેવાલો આવી રહ્યા છે અને 2022ના એપ્રિલ મહિનામાં પણ આ કપલના લગ્નના સમાચાર જોરશોરથી સામે આવ્યા હતા.

બંનેએ બ્રહ્માસ્ત્ર ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ત્યારથી રણબીર કપૂર આલિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ થોડા સમય પહેલાં જ બંનેએ બધાની સામે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો કે બંને પ્રેમમાં છે. બંનેના લગ્નને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા છે અને હવે એક જ્યોતિષ આયુષ ગુપ્તાએ ભવિષ્યવાણી કરી છે કે લગ્ન પર આ કપલ રણબીર-આલિયા ચાહકોનું દિલ તોડી નાખશે. જેઓ આ વર્ષે તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે ટેરો કાર્ડ રીડર રણબીરના જણાવ્યા અનુસાર આલિયા 2023ના પહેલા ત્રણ મહિનાની વચ્ચે લગ્ન કરી શકે છે. જો કે 2022ના અંતમાં કેટલીક સંભાવનાઓ પણ કહેવામાં આવી છે.

નસીરુદ્દીન શાહને ઓનોમેટોમેનિયાની બિમારી

નસીરુદ્દીન શાહે (Naseeruddin Shah) હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ ઓનોમેટોમેનિયા (Onomatomania) નામની બીમારીથી પીડિત છે. આમાં વ્યક્તિ ચોક્કસ શબ્દ અથવા વાક્ય પર સ્થિરતા રાખે છે. નસીરે કહ્યું કે, કોશિશ કર્યા પછી પણ તે તેને ચેનમાં આવવા દેતો નથી.

નસીરુદ્દીન શાહ હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી આદરણીય અને પ્રિય અભિનેતાઓમાંના એક છે અને તેમણે મોહરા, સરફરોશ, એ વેનસડે અને ઘણી વધુ જેવી મહાન ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા નસીરુદ્દીન શાહ જ્યારે યુટ્યુબ ચેનલ ChalachitraTalks સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની સ્થિતિ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “હું ઓનોમેટોમેનિયા નામની બીમારીથી પીડિત છું. હું મજાક નથી કરી રહ્યો. આ એક તબીબી સ્થિતિ છે. તમે તેને શબ્દકોશમાં જોઈ શકો છો.

કંગના રનૌતનો રિયાલિટી શો ‘લોક અપ’

એકતા કપૂર (Ekta Kapoor) અને કંગના રનૌતનો (Kangana Ranaut) રિયાલિટી શો ‘લોક અપ’ (Lock Upp) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં કંગના રનૌત સાથે પ્રસારિત થયેલા એપિસોડમાં, એવું જોવા મળ્યું હતું કે, શોના જેલમાં આવેલા તમામ કેદીઓ પાયલ રોહતગી (Payal Rohatgi) પર એક યા બીજી બાબતનો આરોપ લગાવી રહ્યા છે. માત્ર કેદી જ નહીં, શોની હોસ્ટ કંગના રનૌતે પણ પાયલ રોહતગી પ્રત્યે તીક્ષ્ણ વલણ દર્શાવ્યું હતું. આ જોઈને લાગે છે કે બધું એક તરફ છે અને પાયલ એકલી તેનો સામનો કરી રહી છે. એક જ અઠવાડિયામાં, શોના સ્પર્ધકો OTT પ્રેક્ષકોનું ધ્યાન ખેંચવામાં સફળ થયા છે.

પાકિસ્તાનની ફિલ્મ ‘ઢાઈ ચાલ’

પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) હંમેશા ભારતથી (India) હાર્યું છે. દરેક બાબતમાં તે ભારત કરતાં નબળો છે. હવે એક ફિલ્મ બનાવીને તેણે ભારત સામે એક નવો જ રોષ બતાવ્યો છે. ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપનારા આ કાયર દેશે ફિલ્મ ‘ઢાઈ ચાલ’ દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

ફિલ્મમાં ઘણી બધી બાબતો માટે ભારતને જવાબદાર માનીને ઘણી એવી વાતો કહેવામાં આવી છે, જે તમને ખૂબ રડાવી શકે છે. ફિલ્મમાં બોલિવૂડથી લઈને કાશ્મીર મુદ્દા સુધીના ડાયલોગ્સ રાખવામાં આવ્યા છે. જે દર્શાવે છે કે પાકિસ્તાનમાં ભારત માટે કેટલું ઝેર છે. અત્યાર સુધી પાકિસ્તાન ભારત પર છુપાઈને હુમલા કરતું હતું, પરંતુ હવે ફિલ્મ ‘ઢાઈ ચાલ’માં (Dhai Chaal) ભારત વિરુદ્ધ બોલાયેલા સંવાદોથી પાકિસ્તાનની ઘૃણાસ્પદ હરકતો બધાની સામે આવી ગઈ છે.

આ પણ વાંચો: Entertainment News : શું ખરેખર બદલાશે દીપિકા-રિતિકની ‘ફાઇટર’ની રિલીઝ ડેટ, જાણો

આ પણ વાંચો: અનમોલના લગ્નમાં ટીના અંબાણીએ બહેનો સાથે કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ અનસીન PHOTOS

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">