Gujarat Budget 2026-27: માળખાગત સુવિધાઓથી લઈને સુરક્ષા સુધી… 3000 નવા કર્મચારીઓની ભરતી અને બીચ ટુરિઝમ પર વિશેષ ભાર
માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ 2047' ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકારે આજે વર્ષ 2026-27નું ₹4,08,053 crore નું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક અંદાજપત્ર રજૂ કર્યું છે.
ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટમાં રાજ્યના માળખાગત વિકાસ અને જન-સુખાકારી માટે ઘણા મહત્વના પગલાં લેવાયા છે. માળખાગત સુવિધાઓને વેગ આપવા ગામડાઓના જોડાણ અને નવા પુલ માટે ₹5,600 crore તેમજ 1155 કિ.મી. રસ્તાઓના વિકાસ માટે ₹800 crore ફાળવાયા છે.
સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરતા 6.40 lakh કર્મચારીઓ અને પેન્શનરોને PMJAYના ધોરણે ₹10 lakh સુધીનું મફત આરોગ્ય કવચ આપવાનું નક્કી કરાયું છે. આ સિવાય કાયદો અને વ્યવસ્થાને આધુનિક બનાવવા ‘ડાયલ-112’ હેઠળ તમામ ઈમરજન્સી સેવાઓનું સંકલન, 3000 નવી ભરતી અને આગામી 5 વર્ષમાં પોલીસકર્મીઓ માટે 20,444 નવા મકાનો બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવા સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ બનાવવાની સાથે અંબાજી કોરીડોર માટે ₹300 crore અને સોમનાથ-અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો માટે ₹447 crore ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોમનાથ અને શિવરાજપુર જેવા સ્થળોએ બીચ ટુરિઝમ અને ગુજરાતને ‘વેડિંગ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાનું વિશેષ આયોજન પણ આ બજેટનો મુખ્ય હિસ્સો છે.
આ પણ વાંચો: Gujarat Budget 2026-27: ₹4.08 લાખ કરોડનું વિક્રમી અંદાજપત્ર; પંચસ્તંભ વિકાસથી ‘વિકસિત ગુજરાત’નો મજબૂત પાયો
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
