AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shefali Jariwala Death : બ્લેક મેજિકના કારણે થયું શેફાલી જરીવાલાનું નિધન, પતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Shefali Jariwala Death Reason : બોલિવુડ અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે નથી. ગત્ત વર્ષે 27 જુનના રોજ તેનું નિધન થયું છે. માત્ર 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. હાલમાં શેફાલીના પતિ પરાગ ત્યાગીએ તેના મૃત્યુ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

Shefali Jariwala Death : બ્લેક મેજિકના કારણે થયું શેફાલી જરીવાલાનું નિધન, પતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો
| Updated on: Jan 19, 2026 | 11:42 AM
Share

Parag Tyagi on Shefali Jariwala Death : અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂન 2025ના રોજ કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું છે. તેમના પતિ, પરાગ ત્યાગી, હજુ સુધી તેમના મૃત્યુના આઘાતમાંથી બહાર આવ્યા નથી. પરાગ વારંવાર તેમના સોશિયલ મીડિયા પર શેફાલીની યાદો શેર કરે છે. વધુમાં, પરાગ ત્યાગીએ તેમની યાદમાં એક યુટ્યુબ ચેનલ અને પોડકાસ્ટ શરૂ કર્યો છે. પરાગ ત્યાગી હજુ પણ શેફાલીના નિધનથી દુખી છે, અને તાજેતરમાં, તેમણે તેમની પત્નીના મૃત્યુ વિશે એક ચોંકાવનારો દાવો કર્યો છે.

શેફાલી જરીવાલાના મૃત્યું બાદ પરાગ ત્યાગીએ પોતાની લાઈફને તેની યાદોમાં સમર્પિત કરી છે. આ વચ્ચે તેમણે શેફાલીના મૃત્યુને લઈ એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. પરાગ ત્યાગીએ કહ્યું કે, શેફાલી જરીવાલાનું મૃત્યુ બ્લેક મેજિક દ્વારા થયું છે.

પરાગ ત્યાગીએ ચોંકાવનારો ખુલાસો કર્યો

હાલમાં અભિનેતા પરાગ ત્યાગીએ પારસ છાબડાની સાથે એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો. કે, શેફાલી જરીવાલા પર બ્લેક મેજિક કરવામાં આવ્યું હતુ. પોડકાસ્ટ દરમિયાન પરાગ ત્યાગીએ કહ્યું કે, કેટલાક લોકો આ વસ્તુઓ વિશે માનતા નથી પરંતુ હું ખુબ માનું છું. જ્યાં ભગવાન છે ત્યાં શૈતાન પણ છે. લોકો પોતાના દુખથી દુખી નથી પરંતુ બીજાના સુખથી દુખી છે. મને લાગતું નથી પરંતુ મને વિશ્વાસ છે કે, આ કામ કોણે કર્યું છે. હું આ વિશે બોલી શકતો નથી. પરંતુ કોઈએ તો આ કામ કર્યું છે.

“બે વાર લાગ્યું”

પરાગ ત્યાગીએ આગળ કહ્યું મને લાગે છે કે, કાંઈ તો ગડબડ છે. એક વખત નહી પરંતુ મને વારંવાર આવું થયું છે. શેફાલી જરીવાલા પર બીજી વખત બ્લેક મેજિક થયું છે. શેફાલી જરીવાલાનું ગુજરાતી સાથે ખાસ કનેક્શન હતુ · શેફાલી જરીવાલાનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ અમદાવાદમાં થયો હતો. શેફાલીના પિતાનું નામ સતીશ જરીવાલા અને માતાનું નામ સુનિતા જરીવાલા છે.આ અભિનેત્રીનું માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન થયું હતુ.

અમદાવાદમાં જન્મ અને મુંબઈમાં થયું નિધન, અભિનેત્રીને આવતી હતી વાઈ, આવો છે શેફાલી જરીવાલાનો પરિવાર અહી ક્લિક કરો

Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : છોટાઉદેપુરમાં કોન્ટ્રાક્ટરનો અધિકારીઓ સામે આક્રોશ
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
Breaking News : અમદાવાદમાં AMTS બસમાં આગ ભભૂકી ઉઠી
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
g clip-path="url(#clip0_868_265)">