AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Strawberry Farming : આ રીતે સ્ટ્રોબેરીની ખેતી કરવાથી ઉપજમાં થશે વધારો, પાક રોગો અને જીવાતોના હુમલાથી રહેશે દૂર

સ્ટ્રોબેરીનું (Strawberry) વાવેતર સામાન્ય રીતે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થાય છે. પરંતુ ખૂબ જ ઠંડી જગ્યાએ તે ફેબ્રુઆરી અને માર્ચમાં પણ વાવી શકાય છે. તે જ સમયે, જે ખેડૂતો પોલી હાઉસમાં અથવા સંરક્ષિત પદ્ધતિથી ખેતી કરે છે તેઓ અન્ય મહિનામાં પણ વાવણી કરે છે.

Strawberry Farming : આ રીતે સ્ટ્રોબેરીની ખેતી કરવાથી ઉપજમાં થશે વધારો, પાક રોગો અને જીવાતોના હુમલાથી રહેશે દૂર
Strawberry farming ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 7:06 AM
Share

સ્ટ્રોબેરીની ખેતી (Strawberry Farming) ઠંડા વાતાવરણમાં કરવામાં આવે છે. તેનો છોડ થોડા મહિનામાં ફળ આપવા લાયક બને છે. ભારતમાં સ્ટ્રોબેરીની ખેતી કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉપરના ભાગોમાં થાય છે. સ્ટ્રોબેરી ખૂબ જ નાજુક ફળ છે. જેનો સ્વાદમાં ખાટો અનેમીઠો હોય છે. તે દેખાવમાં હૃદય આકારનું છે. આ એવું જ એક ફળ છે. જેના બીજ બહાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં 600 પ્રકારની સ્ટ્રોબેરી હોય છે.

સ્ટ્રોબેરીમાં ઘણા વિટામિન અને ક્ષાર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી અને વિટામિન એ અને કે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ફોલિક એસિડ ફોસ્ફરસ પોટેશિયમ હોય છે,.જેનો ઉપયોગ ચહેરાના ખીલની સાથે દેખાવને નિખારવા અને દાંતની ચમક વધારવા માટે કરવામાં આવે છે.

સ્ટ્રોબેરીને ડુંગરાળ અને ઠંડા વિસ્તારોમાં વાવવામાં આવે છે. આ રાજ્યો સિવાય, ખેડૂતો હવે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ સહિત અન્ય ઘણા રાજ્યોમાં સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે. સ્ટ્રોબેરીનું વાવેતર સામાન્ય રીતે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં થાય છે. પરંતુ ઠંડા સ્થળોએ ફેબ્રુઆરી અને માર્ચમાં પણ વાવેતર કરી શકાય છે. તે જ સમયે, જે ખેડૂતો પોલી હાઉસમાં અથવા સંરક્ષિત પદ્ધતિથી ખેતી કરે છે, તેઓ અન્ય મહિનામાં પણ વાવણી કરે છે.

સ્ટ્રોબેરી વાવવા પહેલાં તૈયારી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખેતરની માટી પર ખાસ કામ કરવું પડે છે. કૃષિ તજજ્ઞોના જણાવ્યા મુજબ જમીનમાં ખેડાણ કર્યા બાદ ક્યારીઓ બનાવવામાં આવે છે. ક્યારીની પહોળાઈ લગભગ દોઢ મીટર અને લંબાઈ 3 મીટરની આસપાસ રાખવામાં આવી છે. તેને જમીનથી 15 સેમી ઉંચી બનાવવામાં આવે છે. આ ક્યારી પર સ્ટ્રોબેરીના છોડ વાવવામાં આવે છે. છોડથી છોડનું અંતર અંતર 30 સેમી રાખવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ 1 હરોળમાં 30 જેટલા રોપાઓ વાવવામાં આવે છે.

જ્યારે ફૂલો દેખાય ત્યારે મલ્ચિંગ કરો

ફેરરોપણી કર્યા પછી ખેડૂત ભાઈઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે છોડ ફૂલ આવે ત્યારે મલ્ચિંગ કરવું આવશ્યક છે. 50 માઈક્રોન જાડાઈની કાળા રંગની પોલીથીન વડે મલ્ચીંગ કરવું જોઈએ. આ નીંદણને નિયંત્રિત કરે છે અને ફળોના સડોને અટકાવે છે. મલ્ચિંગ પણ ઉપજમાં વધારો કરે છે અને લાંબા સમય સુધી જમીનમાં ભેજ જાળવી રાખે છે

જ્યારે ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ પડે ત્યારે સ્ટ્રોબેરીના છોડને પોલિથીનથી ઢાંકવાની સલાહ આપવામાં આવે છે. આનાથી ફળ સડવાની સમસ્યા નહીં થાય. જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખીને સ્ટ્રોબેરીની ખેતી કરો છો, તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : આ વિદેશી શાકભાજીની ખેતી છે ખૂબ જ સરળ, એકવાર વાવેતર કર્યા પછી મળશે સારી ઉપજ

આ પણ વાંચો : Budget 2022: સામાન્ય બજેટથી કૃષિ ક્ષેત્રને આ છે અપેક્ષાઓ, સરકાર ધ્યાન આપે તો બદલાઈ શકે છે પરિસ્થિતિ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">