AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ વિદેશી શાકભાજીની ખેતી છે ખૂબ જ સરળ, એકવાર વાવેતર કર્યા પછી મળશે સારી ઉપજ

રોમન લેટીસની ખેતી માટે 12 થી 32 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. ઠંડી જગ્યાએ, સૂર્યપ્રકાશ હોય તેવા સ્થળોએ રોમન લેટીસ ઉગાડવાની ભલામણ કરવામાં આવે છે.

આ વિદેશી શાકભાજીની ખેતી છે ખૂબ જ સરળ, એકવાર વાવેતર કર્યા પછી મળશે સારી ઉપજ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 6:36 PM
Share

આપણે વિવિધ પ્રકારના ભારતીય ભોજનના શોખીન છીએ. આ જ કારણ છે કે ભારતમાં વિવિધ પ્રકારની શાકભાજીની ખેતી (Vegetable Farming) કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં હવે વિદેશી શાકભાજી (Exotic Vegetables) પણ અહીં પ્રવેશ કરી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતો (Farmers)ને આ શાકભાજીના સારા ભાવ પણ મળે છે. આવી જ એક શાકભાજી છે રોમાઈન લેટીસ. તે એક પૌષ્ટિક પાંદડાવાળી શાકભાજી છે અને તેને વર્ષમાં ઘણી વખત ઉગાડી શકાય છે.

રોમન લેટીસની ખેતી માટે 12 થી 32 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. ઠંડી જગ્યાએ, સૂર્યપ્રકાશ હોય તેવા સ્થળોએ રોમન લેટીસ ઉગાડવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ ગરમ વિસ્તારોમાં તડકાથી રક્ષણ જરૂરી છે. આ માટે ખેડૂતો શેડ્સ નેટ્સ અથવા વૃક્ષોની મદદ લઈ શકે છે.

નર્સરીમાં રોપાઓ તૈયાર કરીને વાવેતર કરવામાં આવે છે

રોમન લેટીસની ખેતી 6 થી 6.5 ની pH મૂલ્ય ધરાવતી કોઈપણ પ્રકારની જમીનમાં થાય છે. જો રેતાળ અથવા રેતાળ લોમ જમીન હોય તો સારું ઉત્પાદન મેળવી શકાય છે. રોપણી માટે, ખેતરને સારી રીતે ખેડવામાં આવે છે અને એક બંધ બનાવવામાં આવે છે. પરંતુ છેલ્લી ખેડાણ પહેલા, ગાયના છાણનું સડેલું ખાતર ઉમેરવાથી પાક સારો મળે છે.

રોમન લેટીસ ડાયરેક્ટ વાવેતર કરી શકાતી નથી. ખેડૂતોએ પહેલા નર્સરી તૈયાર કરવી પડે છે અને રોપાઓ બનાવવામાં આવે છે. નર્સરી માટે વિશાળ ધરૂ બનાવવામાં આવે છે. દોઢ ઈંચના અંતરે બીજ વાવવામાં આવે છે અને તરત જ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. છોડ સાત દિવસ પછી અંકુરિત થાય છે. એક એકર ખેતરમાં 50 ગ્રામ બિયારણની જરૂર પડે છે.

રોપાઓ રોપવા લાયક બનવા માટે 20 થી 25 દિવસનો સમય લાગે છે. ખેડૂતો ઇચ્છે તો નર્સરીમાંથી રોપા પણ ખરીદી શકે છે અને નર્સરીમાં રોપા વેચીને પોતાની કમાણીનું સાધન બનાવી શકે છે. ટ્રાન્સપ્લાન્ટિંગ દરમિયાન છોડથી છોડનું અંતર એક ફૂટ રાખવાનું હોય છે. રોપણી પછી જરૂર મુજબ ખાતર ઉમેરતા રહો અને સમયાંતરે પિયત આપતા રહો.

કમાણી ખર્ચ કરતાં અનેક ગણી વધારે છે

જો ખાતરની વાત કરીએ તો રોમેઈન લેટીસને 80 કિલો નાઈટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને 60 કિલો પોટાશ આપી શકાય છે. નાઈટ્રોજનની વાત કરીએ તો, આખો જથ્થો એક જ વારમાં આપવાનો નથી. 40 કિલો રોપતી વખતે અને રોપણી પછી બે અઠવાડિયા પછી, ખેડૂતો બાકીના 40 કિલો નાઈટ્રોજનનો ઉપયોગ ખેતરમાં કરી શકે છે.

રોપણીના 40 દિવસ પછી પાક તૈયાર થાય છે. પાક તૈયાર થયા પછી 7 દિવસમાં કાપણી કરવી જોઈએ નહીંતર ગુણવત્તાને અસર થાય છે. એક હેક્ટર ખેતરમાં 120 ક્વિન્ટલ રોમન લેટીસ મળે છે અને તેની બજાર કિંમત 80 થી 120 રૂપિયા પ્રતિ કિલો છે. આવી સ્થિતિમાં રોમન લેટીસની ખેતીથી ખેડૂતો ખર્ચ કરતાં અનેક ગણી વધુ કમાણી કરી શકે છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Viral: નાની બાળકીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, વીડિયો જોઈ લોકો બોલ્યા ‘બાય બોર્ન ડ્રામા ક્વીન’

આ પણ વાંચો: વરિયાળીની ખેતી કોઈ પણ જમીનમાં કરી શકાય, માગ વધતા ખેડૂતો માટે છે ફાયદાનો સોદો

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">