Brahmi Cultivation: ઔષધીય છોડ બ્રાહ્મીની ખેતીમાં છે સારો નફો, વર્ષમાં થાય છે ત્રણથી ચાર વખત લણણી

ખેડૂતો પરંપરાગત ખેતીમાં પોતાનો ખર્ચ પણ ઉભો કરી શકતા નથી તો બીજી તરફ બ્રાહ્મી ખેતી (Brahmi Cultivation)થી ખેડૂતોને સારો ફાયદો મળી શકે છે. બ્રાહ્મી એક ઔષધીય વનસ્પતિ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Brahmi Cultivation: ઔષધીય છોડ બ્રાહ્મીની ખેતીમાં છે સારો નફો, વર્ષમાં થાય છે ત્રણથી ચાર વખત લણણી
Brahmi Cultivation
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Mar 19, 2022 | 12:24 PM

નવી ટેકનોલોજી અને આધુનિક કૃષિ સંસાધનોને કારણે કૃષિ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ છે. ત્યારે દેશના પ્રગતિશીલ ખેડૂતો (Progressive farmers) પરંપરાગત ખેતીમાંથી આધુનિક ખેતી (Modern Agriculture) તરફ વળી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર ઔષધીય, બાગાયતી અને આધુનિક ખેતી પર ભાર આપી રહી છે. જ્યાં ખેડૂતો પરંપરાગત ખેતીમાં પોતાનો ખર્ચ પણ ઉભો કરી શકતા નથી તો બીજી તરફ બ્રાહ્મીની ખેતી (Brahmi Cultivation)થી ખેડૂતોને સારો ફાયદો મળી શકે છે. બ્રાહ્મી એક ઔષધીય વનસ્પતિ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક તરફ તેને બ્રેઈન બૂસ્ટર કહેવામાં આવે છે અને બીજી તરફ બ્રાહ્મીનો ઉપયોગ ઘણી દવાઓના ઉત્પાદનમાં થાય છે.

આ દેશોમાં બ્રાહ્મીની ખેતી કરવામાં આવે છે

ભારત ઉપરાંત ઔષધીય ગુણોથી ભરપૂર બ્રાહ્મીની ખેતી યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયાના ઘણા દેશોમાં થાય છે. ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં બ્રાહ્મીની ખેતી સારી થાય છે. તેની ખેતી માટે સામાન્ય તાપમાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

બ્રાહ્મી વિવિધ જળ સ્ત્રોતો જેમ કે નહેરો, નદીઓના કિનારે સરળતાથી ઉગે છે. બ્રાહ્મીની ખેતી દેશના લગભગ તમામ રાજ્યોમાં થાય છે. નોંધનીય છે કે આયુર્વેદમાં બ્રાહ્મીના ઉપયોગને જોતા તેની ખૂબ માગ છે. આવી સ્થિતિમાં બ્રાહ્મીની ખેતી ખેડૂતો માટે મોટી આવકનું સાધન બની શકે છે. સાથે જ તેની માગને ધ્યાનમાં રાખીને સરકાર પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે.

એકવાર વાવો, ત્રણ કે ચાર પાક લો

ડાંગરની જેમ તેની નર્સરી પણ પહેલા તૈયાર કરવામાં આવે છે. આ પછી છોડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. બ્રાહ્મીનું વાવેતર સામાન્ય રીતે બંધ બનાવીને કરવામાં આવે છે. આ માટે બંધથી બંધ સુધીનું અંતર 25થી 30 સેમી રાખવું જોઈએ. તે જ સમયે છોડથી છોડનું અંતર અડધો ફૂટ રાખવામાં આવે છે. જેના કારણે તેની ઉપજ સારી મળે છે.

રોપણી પછી પિયત અને નિંદામણ યોગ્ય સમયે કરવું જોઈએ. બ્રાહ્મીનો પ્રથમ પાક રોપણી પછી ચાર મહિનામાં લણણી માટે તૈયાર થાય છે. એકવાર વાવેતર કર્યા પછી ખેડૂતો તેમાંથી ત્રણથી ચાર પાક લઈ શકે છે. તેના મૂળ અને પાંદડા વેચીને મોટી કમાણી કરી શકાય છે.

આ પણ વાંચો: Tech News: DRDOએ 45 દિવસમાં બનાવી 7 માળની બિલ્ડિંગ, જેમાં બનશે ભારતના સૌથી એડવાન્સ ફાઈટર જેટ

આ પણ વાંચો: Fumio Kishida in India: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા આજે આવી રહ્યા છે ભારત, PM મોદી સાથે યુક્રેન મુદ્દે કરી શકે છે વાત