Fumio Kishida in India: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા આજે આવી રહ્યા છે ભારત, PM મોદી સાથે યુક્રેન મુદ્દે કરી શકે છે વાત

વર્ષ 2022માં કોઈ રાજ્યના વડાની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ તરીકે કિશિદાની આ પહેલી મુલાકાત છે, આ પહેલા જ્યારે તેઓ જાપાનના વિદેશ મંત્રી હતા ત્યારે તેઓ ભારત આવ્યા હતા.

Fumio Kishida in India: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા આજે આવી રહ્યા છે ભારત, PM મોદી સાથે યુક્રેન મુદ્દે કરી શકે છે વાત
Japan's Prime Minister Fumio Kishida is coming to India todayImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 10:20 AM

જાપાન(Japan)ના વડાપ્રધાન ફુમિયો કિશિદા (Japan PM Fumio Kishida) શનિવારે ભારતની મુલાકાતે છે. વર્ષ 2022માં કોઈ રાજ્યના વડાની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ તરીકે કિશિદાની આ પહેલી મુલાકાત છે, આ પહેલા જ્યારે તેઓ જાપાનના વિદેશ મંત્રી હતા ત્યારે તેઓ ભારત આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ ચાર વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને મળ્યા છે. કિશિદા યુક્રેન યુદ્ધ મુદ્દે પીએમ મોદી સાથે વાત કરી શકે છે. તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠના અવસર પર થઈ રહી છે.

કિશિદાએ જાપાનના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ઓક્ટોબર 2021માં પીએમ મોદીએ તેમની સાથે ફોન પર વાત કરી હતી. બંને પક્ષોએ વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ, કિશિદા 19 માર્ચે બપોરે ભારત આવશે અને 20 માર્ચે સવારે રવાના થશે. તેમણે ગત વર્ષ 4 ઓક્ટોબરે જાપાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. કિશિદાની આ વર્ષની પ્રથમ વિદેશ યાત્રા પણ છે. તેમણે CoP26 માટે ગત વર્ષ ગ્લાસગોની મુલાકાત લીધી હતી.

વ્યૂહાત્મક સંબંધો ગાઢ થયા

ભારત અને જાપાનની વાત કરીએ તો બંને દેશોએ પોતાના વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવ્યા છે. બંને દેશો મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની વાત કરે છે. આ સાથે સંરક્ષણ, સુરક્ષા અને પ્રાદેશિક સંદર્ભમાં પણ પ્રગતિ થઈ છે. એક્ટ ઈસ્ટ ફોરમમાં ભારત અને જાપાન પણ સામેલ છે. તેની સ્થાપના કરવાનો નિર્ણય 2017ની સમિટમાં લેવામાં આવ્યો હતો. તેનો હેતુ પૂર્વોત્તર ભારતમાં કનેક્ટિવિટી, ફોરેસ્ટ મેનેજમેન્ટ, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન અને કન્સ્ટ્રક્શનના ક્ષેત્રોમાં વિકાસ પરિયોજનાઓનું સંકલન કરવાનો છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

હાઇવે અપગ્રેડ કરવાનું કામ

અધિકારીઓનું કહેવું છે કે આ અંતર્ગત ઘણા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જેમાં મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં હાઈવેને અપગ્રેડ કરવાનું કામ સામેલ છે. ગત વર્ષ પીએમ મોદીએ આસામ અને મેઘાલય વચ્ચે બ્રહ્મપુત્રા નદી પર 20 કિલોમીટર લાંબા પુલનો શિલાન્યાસ કર્યો હતો. ભારત અને જાપાન પણ સપ્લાય ચેઇન રેઝિલિયન્સ ઇનિશિયેટિવ (SCRI) પર કામ કરી રહ્યા છે. SCRI ને ગત વર્ષ 27 એપ્રિલે ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વેપાર મંત્રીઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Forex Reserve : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 10 અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન?

આ પણ વાંચો: Tech News: જાણો ક્યા કારણે દુનિયાભરમાં ડાઉન થયું હતું ગૂગલ મેપ, લોકોને ભોગવવી પડી હાલાકી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">