કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા, ખેડૂતોને શીખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ

|

Nov 27, 2023 | 2:09 PM

ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ અંગે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ્ય 50,000 'કૃષિ સખી'ને તાલીમ આપવાનો છે. જેથી કૃષિ મંત્રાલયની ગૌણ કચેરી નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ (NCONF) દ્વારા તબક્કાવાર પ્રમાણન આપી શકાય. કેન્દ્ર આ તાલીમ માટે નોડલ સંસ્થા છે. તાલીમ મોડ્યુલ NCONF દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા, ખેડૂતોને શીખવવામાં આવશે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ
Natural Farming

Follow us on

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ ક્રમમાં હવે સરકાર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘કૃષિ સખી’ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે.

તેનો ઉદ્દેશ્ય 50,000 ‘કૃષિ સખી’ને તાલીમ આપવાનો

ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ અંગે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ પહેલનો ઉદ્દેશ્ય 50,000 ‘કૃષિ સખી’ને તાલીમ આપવાનો છે. જેથી કૃષિ મંત્રાલયની ગૌણ કચેરી નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ (NCONF) દ્વારા તબક્કાવાર પ્રમાણન આપી શકાય. કેન્દ્ર આ તાલીમ માટે નોડલ સંસ્થા છે. તાલીમ મોડ્યુલ NCONF દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને અંતિમ સમીક્ષા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ એક્સટેન્શન મેનેજમેન્ટને મોકલવામાં આવ્યા છે.

પ્રાકૃતિક ખેતી પહેલની મહત્વની ભૂમિકા

આ કાર્યક્રમમાં દરમિયાન ગ્રામીણ આજીવિકાના અધિક સચિવ, ચરણજીત સિંહે સામાજિક અને આર્થિક ગતિશીલતા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પરિવર્તન લાવવામાં સામુદાયિક સંસાધન વ્યક્તિઓની ભૂમિકા પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગામડાઓને ‘સમૃદ્ધિ ગામો’ તરીકે રૂપાંતરિત કરવામાં અને “લખપતિ” SHG સભ્યો બનાવવા માટે બંને મંત્રાલયો માટે પ્રાકૃતિક ખેતી પહેલની ભૂમિકા ઘણુ મહત્વ ધરાવે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : ખેડૂતોને આ પાકની ખેતીથી થશે લાખો રૂપિયાની કમાણી, જાણો તેની સુધારેલી જાત અને ખેતી પદ્ધતિ વિશે

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા તેમની ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે

ગ્રામીણ આજીવિકાના સંયુક્ત સચિવ સ્મૃતિ શરણે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રયોગશાળાથી માટી સુધી ટેકનોલોજીનું ટ્રાન્સફર મહત્વનું છે અને તેમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સ (CRPs) મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે આગળ જણાવ્યું કે, CRP નાના અને સીમાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દ્વારા તેમની ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article