આ બેંકના ચેરમેન પર છેતરપિંડીનો આરોપ, પૂણે પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

|

Dec 27, 2021 | 8:36 PM

પૂણે પોલીસે બેંકના ચેરમેન ગૌતમ ઠાકુર અને મેનેજિંગ ડિરેક્ટર સ્મિતા સાંધાને સહિત આઠ લોકો સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.

આ બેંકના ચેરમેન પર છેતરપિંડીનો આરોપ, પૂણે પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો
File Image

Follow us on

પૂણે પોલીસે (Pune Police) સારસ્વત બેંકના (Saraswat Bank) ચેરમેન ગૌતમ ઠાકુર (Chairman Gautam Thakur) અને મેનેજિંગ ડિરેક્ટર સ્મિતા સાંધાને (Managing Director Smita Sandhane) સહિત આઠ લોકો સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. એક રિપોર્ટ અનુસાર આ કેસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશના આધારે દાખલ કરવામાં આવ્યો છે. કોઠરુડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક મહેન્દ્ર જાગપતે (Mahendra Jagpat) જણાવ્યું હતું કે તેઓએ સારસ્વત બેંકના ચેરમેન અને અન્ય સાત લોકો વિરુદ્ધ કોર્ટના આદેશના આધારે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. તેમણે જણાવ્યુ કે હજુ તપાસ ચાલુ છે.

 

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોઠરુડની રહેવાસી સ્મિતા સમીર પાટીલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પછી સારસ્વત બેંકના ચેરમેન ગૌતમ ઠાકુર, મેનેજિંગ ડિરેક્ટર સ્મિતા સાંધાને, ચીફ મેનેજર આનંદ ચાલકે, ઝોનલ મેનેજર પલ્લવી સાલી, રત્નાકર પ્રભાકર, વિશ્રાંતવાડી બ્રાંચ મેનેજર અભિષેક ભગત વગેરેના નામ સામે આવ્યા છે.

 

ક્યારે થઈ હતી છેતરપિંડી?

આ કેસમાં મુખ્ય કારણ બોગસ ટ્રાન્ઝેક્શન છે. આ ઘટના 2018થી 2020ની વચ્ચે બની હતી. ફરિયાદીની કંપનીનું સારસ્વત બેંકની વિશ્રાંતવાડી શાખામાં ટર્મ લોન ખાતું હતું. સારસ્વત બેંકના અધિકારીઓ પર આરોપ છે કે તેમણે એક નકલી લોન ખાતું બનાવ્યું અને 13 ઓગસ્ટ, 2018ના રોજ કંપની પાસે 13 કરોડ રૂપિયાના વન ટાઈમ સેટલમેન્ટ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. બેંક પર આરોપ છે કે તેણે ટર્મ લોન એકાઉન્ટ માટે આપવામાં આવેલા ચેકનો ગેરઉપયોગ કર્યો હતો. તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે નકલી લોન એકાઉન્ટ માટે 2.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

 

બેંકે શું કહ્યું?

વર્ષ 1918માં શરૂ થયેલી સારસ્વત બેંક ભારતની સૌથી મોટી શહેરી સહકારી બેંક હોવાનો દાવો કરે છે અને તે દેશના છ રાજ્યોમાં કામ કરી રહી છે, જેમાં મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. બેંકની વેબસાઈટ અનુસાર તેનો કુલ બિઝનેસ 67,000 કરોડ રૂપિયાથી વધુ છે.

 

આ સાથે દેશભરમાં તેની 283 શાખાઓ અને 311થી વધુ ATM પણ ઉપલબ્ધ છે. સહકારી બેંકોએ છેતરપિંડી અને મોટા મિસ-ગવર્નન્સના કેસોનો સામનો કરવો પડ્યો છે. આરબીઆઈએ સપ્ટેમ્બર 2019માં મુંબઈ સ્થિત પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકને ભંગ કરી દીધી હતી. તે જ સમયે પીએમસી બેંકના રિઝોલ્યુશનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.

 

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આગામી વર્ષમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર સુધી પહોંચવાનું અનુમાન, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

 

 

Next Article