મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ હાલ જેલમાં જ રહેશે, 14 દિવસ લંબાવવામાં આવી જ્યુડિશિયલ કસ્ટડી

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની જેલ યાત્રા ચાલુ છે. તેમને આજે રાહત મળી નથી. દેશમુખની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. તેમની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. દેશમુખ મુંબઈની આર્થર રોડ જેલમાં છે.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ હાલ જેલમાં જ રહેશે, 14 દિવસ લંબાવવામાં આવી જ્યુડિશિયલ કસ્ટડી
Former Maharashtra Home Minister Anil Deshmukh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 6:15 PM

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની (Anil Deshmukh) જેલ યાત્રા ચાલુ છે. તેમને આજે રાહત મળી નથી. દેશમુખની જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody) 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. તેમની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. અનિલ દેશમુખ હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં છે. દેશમુખની 2 નવેમ્બરે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈડીએ (Enforcement Directorate-ED) તેમની 12 કલાક પૂછપરછ કરી હતી. આ પહેલા મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચવામાં આવેલા ચાંદીવાલ કમિશને પણ અનિલ દેશમુખ પર 50,000 રૂપિયાનો દંડ લગાવ્યો હતો.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

આ દંડ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે દેશમુખના વકીલ બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેની પૂછપરછ દરમિયાન દલીલો માટે હાજર ન થયા. આ દંડ સીએમ રિલીફ ફંડમાં જમા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ રીતે અનિલ દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી

ધરપકડ બાદ દેશમુખને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ, ED દ્વારા તેમને પાંચ વખત સમન્સ મોકલવા છતાં તેઓ પૂછપરછ માટે હાજર થયા ન હતા. એક અથવા બીજા કારણોસર તેઓ પૂછપરછ કરવાનું ટાળી રહ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં તેમની સામે ED અને CBI દ્વારા કરવામાં આવી રહેલી પૂછપરછ પર સવાલો ઉઠાવ્યા હતા.

પરંતુ કોર્ટે તેમને પૂછપરછમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી અનિલ દેશમુખ ઈડી ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયા હતા. અનિલ દેશમુખની ધરપકડ કરતા પહેલા EDએ તેમના ઘણા સ્થળો પર દરોડા પણ પાડ્યા હતા. સીબીઆઈ દ્વારા પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

100 કરોડની વસુલી અને મની લોન્ડરિંગ કેસમાં CBI અને ED કરી રહી છે તપાસ 

તમને જણાવી દઈએ કે મુંબઈમાં પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલી કાર મળી આવી હતી. આ પછી તે કારના માલિક મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ તત્કાલિન મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની બદલી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર પદ પરથી હટાવવામાં આવ્યા બાદ પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલેલા મેઈલમાં અનિલ દેશમુખ પર મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડની ઉચાપત કરવા માટે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પછી દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં દેશમુખના મની લોન્ડરિંગ સાથે જોડાયેલા મામલા પણ સામે આવ્યા હતા. 100 કરોડની વસૂલાત કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પણ તેમની સામે તપાસ શરૂ કરી હતી. અનિલ દેશમુખ હાલ આર્થર રોડ જેલમાં બંધ છે.

આ પણ વાંચો :  શું મંદિરોમાં ફરી લાગશે તાળા ? મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસને લઈને કેન્દ્રીય મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">