બહેરીનમાં Covaxinના ઇમરજન્સી ઉપયોગને મળી મંજુરી, અત્યાર સુધીમાં 96 દેશમાં ઉપયોગની મંજુરી મળી ચુકી છે

બહેરીનમાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે બહેરીનની નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટીએ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

બહેરીનમાં Covaxinના ઇમરજન્સી ઉપયોગને મળી મંજુરી, અત્યાર સુધીમાં 96 દેશમાં ઉપયોગની મંજુરી મળી ચુકી છે
emergency-use-of-covaxin-approved-in-bahrain-approved-for-use-in-97-countries-so-far
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 6:10 PM

ભારત બાયોટેક(India Biotechની સ્વદેશી કોવેક્સિન(Covaxin)ને બહેરીનમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. બહેરીનની નેશનલ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીએ કોવેક્સિન(Covaxin)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. રાજધાની મનામા સ્થિત ભારતીય દૂતાવાસે(Indian Embassy) આ જાણકારી આપી છે.

કોવેક્સીનને તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે, તે બહેરીનમાં 18 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે WHO એ તાજેતરમાં જ તેની માન્ય રસીઓમાં રસીનો સમાવેશ કર્યો છે.

96 દેશમાં ઉપયોગની મંજુરી અત્યાર સુધીમાં કોવેક્સિન અને કોવિશિલ્ડને 96 દેશોમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સ્પેન, ફ્રાન્સ, જર્મની જેવા દેશોનો સમાવેશ થાય છે. આ રીતે હવે ભારતીયો માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ સરળ બની ગયો છે.

NHRAનું નિવેદન ગલ્ફ દેશની નેશનલ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, “બેહરીન કિંગડમના નેશનલ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટી (NHRA) એ આજે ​​ભારતીય બહુરાષ્ટ્રીય બાયોટેકનોલોજી કંપની, ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.”નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત બાયોટેક ઇન્ડિયા દ્વારા પ્રદાન કરવામાં આવેલા ડેટાના કાળજીપૂર્વક મૂલ્યાંકન પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ડેટાનું મૂલ્યાંકન એનએચઆરએની ક્લિનિકલ ટ્રાયલ કમિટી અને આરોગ્ય મંત્રાલયની ઇમ્યુનાઇઝેશન કમિટી દ્વારા કરવામાં આવે છે.’ તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘26,000 થી વધુ લોકોએ રસીના ક્લિનિકલ ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. તે દર્શાવે છે કે કોવિડ-19 સામે બે ડોઝની રસી 77.8 ટકા અસરકારક હતી, અને કોવિડ-19ના ગંભીર કેસો સામે રસી 93.4 ટકા અસરકારક હતી. સુરક્ષા ડેટામાં બહુ ઓછી આડઅસર જોવા મળી છે.

WHO એ રસી મંજૂર કરી WHO એ કોવેક્સિનને 3 નવેમ્બરે ‘લિસ્ટેડ ફોર ઈમરજન્સી યુઝ’ (EUL) નો દરજ્જો આપ્યો હતો. અગાઉ WHO ના ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (TAG) દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. WHOએ ટ્વીટ કર્યું કે, ‘WHO એ ઈમરજન્સી ઉપયોગ માટે કોવેક્સિન (ભારત બાયોટેક દ્વારા વિકસિત) રસી સૂચિબદ્ધ કરી છે. આ રીતે કોવિડ-19ની રોકથામ માટે WHO દ્વારા માન્યતા પ્રાપ્ત રસીની સંખ્યામાં વધારો થયો છે.

WHO એ કહ્યું કે તેના દ્વારા બનાવવામાં આવેલ TAG, જેમાં વિશ્વભરના નિયમનકારી નિષ્ણાતો છે, તે સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે કે રસી કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે તેના ધોરણોને પૂર્ણ કરે છે અને આ રસીના ફાયદા તેના જોખમો કરતાં વધારે છે.

આ પણ વાંચોઃ Poultry Farming : મરઘા પાલનમાં ઓછા રોકાણથી થાય છે સારી કમાણી, જાણો ખર્ચ સહીતની તમામ માહિતી

આ પણ વાંચોઃ આર્યન ખાન સાપ્તાહિક હાજરી નોંધાવવા માટે પહોંચ્યો NCB ઓફિસ, શું આર્યન નોંધાવશે તેનું નિવેદન ?

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">