AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poultry Farming : મરઘા પાલનમાં ઓછા રોકાણથી થાય છે સારી કમાણી, જાણો ખર્ચ સહીતની તમામ માહિતી

આજના સમયે લોકો નોકરી છોડી ખેતી તરફ વળ્યા છે કારણ કે, વર્તમાનમાં એક વ્યવસાય તરીકે કૃષિ અપનાવી તેમાંથી ઘણા લોકો નફો મેળવી રહ્યા છે. તેવી જ રીતે કૃષિની સાથે પશુપાલન પણ આજના સમયમાં એક સારો વિકલ્પ છે.

Poultry Farming : મરઘા પાલનમાં ઓછા રોકાણથી થાય છે સારી કમાણી, જાણો ખર્ચ સહીતની તમામ માહિતી
Poultry Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 2:53 PM
Share

આજના સમયે લોકો નોકરી છોડી ખેતી તરફ વળ્યા છે કારણ કે, વર્તમાનમાં એક વ્યવસાય તરીકે કૃષિ અપનાવી તેમાંથી ઘણા લોકો નફો મેળવી રહ્યા છે. તેવી જ રીતે કૃષિની સાથે પશુપાલન પણ આજના સમયમાં એક સારો વિકલ્પ છે. જેમાં મરઘા પાલન ( Poultry Farming)નો વ્યવસાય કરી સારો નફો મેળવી શકાય છે અને ઘણા લોકો મેળવી રહ્યા છે.

મરઘા પાલન (Murgi Palan)કરી તમે ઈંડા, પાંખોનું પ્રોડક્શન વગેરેથી કમાણી કરી શકો છે. આમ તો મરઘા પાલન (Poultry Farming) ખુબ જ સફળ વ્યવસાય છે, પરંતુ ઘણી વખત લોકો જાણકારીના અભાવે તેમાં અસફળ રહેતા હોય છે. દાયકાઓથી ચાલતા મરઘા પાલનમાં અનેક સમસ્યાઓ છે. જેને સમજવી જરૂરી છે.

મરઘા પાલનનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વધુ રોકાણની જરૂર પડતી નથી. ઓછી રકમથી પણ તમે મરઘા પાલનની શરૂઆત કરી શકો છો. જ્યાં સુધી તમે મોટાપાયે મરઘા પાલનની શરૂઆત નહીં કરો ત્યાં સુધી તો તમારે મોટી જગ્યાની જરૂર નહીં રહે. તમે પોતાના ઘર અથવા ગામમાં કોઈ પણ સ્થળે મરઘા પાલન કરી શકો છો.

મરઘા પાલન કરી તમે ઓછા સમયમાં વધુ રીટર્ન મેળવી શકો છો. જેમાં થનાર ખર્ચ વધુ નથી હોતો. મોટાભાગના લોકો આ ખર્ચ કરવા સક્ષમ હોય છે. આ સિવાય, જાળવણીની પણ જરૂર હોતી નથી. બસ તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું રહેશે જેમાં તમારે મરઘાઓ કોઈ બીમારીની ચપેટમાં ન આવી જાય અને  આ સિવાય મરઘાઓને સર્પ, વીંછી, કુતરા, બિલાડી વગેરેથી બચાવીને રાખવી પડે છે.

મરઘા પાલનમાં સારી કમાણી માટે જરૂરી છે કે મરઘાઓ સ્વસ્થ રહે. તેના માટે પુરતા પ્રમાણમાં પાણી, વિટામિન, પ્રોટીન વગેરેની જરૂર રહે છે. બજારમાં મરઘાઓને ખવડાવવા માટે અનેક પ્રકારના આહાર મળે છે. મરઘાઓના બચ્ચા થાય છે ત્યારે તે બચ્ચાઓને 48 કલાક બાદ ખોરાક આપવો જોઈએ. આ સિવાય પીવાના પાણીની વ્યવસ્થા પણ રાખવી જોઈએ.

આ વ્યવસાયમાં તમારે વધુ રોકાણ નહીં કરવું પડે. જો તમે 1500 મરઘાનું પાલન કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો તેમા 50 હજારથી લઈ 1 લાખ રૂપિયા સુધીનો નફો મળી શકે છે. કોઈ પણ વ્યવસાય શરૂ કરવામાં થનાર ખર્ચ એના પર નિર્ભર હોય છે કે તમે તેને કેટલા મોટા સ્તર પર શરૂ કરો છો. જો મરઘા પાલન નાના પાયે કરવાનું વિચારી રહ્યા હો તો તેમાં 50 હજારથી એક લાખ સુધીનો ખર્ચો થઈ શકે છે. ત્યારબાદ જેમ-જેમ તેનો વ્યાપ વધતો જશે તેમ-તેમ રોકાણ પણ વધતું રહે છે.

મરઘા પાલન માટે તમને વિવિધ બેંક પાસેથી લોન પણ મળી શકે છે. ભારતીય સ્ટેટ બેંક પાસેથી પણ પોલ્ટ્રી ફાર્મ માટે લોન લઈ શકાય છે. તેના માટે તમારે ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ સહિત અનેક ડોક્યુમેન્ટની જરૂર રહે છે.

આ પણ વાંચો: કેળાની ખેતી કરતા ખેડૂતો રહો સાવધાન, આ રોગના ઉપદ્રવને સમયસર અટકાવી પાકને મોટા નુકશાનથી બચાવો

આ પણ વાંચો: Honey Production: ખેડૂતોની મહેનત રંગ લાવી, દેશમાં સર્જાઈ મધુર ક્રાંતિ, સવા લાખ મેટ્રિક ટન થયું મધનું ઉત્પાદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">