UDAN Scheme: કેન્દ્ર સરકારની સસ્તી હવાઈ મુસાફરી યોજના નિષ્ફળ! CAGના રિપોર્ટમાં થયો ખુલાસો

કેગના ઓડિટ રિપોર્ટમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમની ત્રણ તબક્કામાં તપાસ કરવામાં આવી છે. જેમાં ઉડાન યોજના માટે દેશભરના 774 રૂટ પસંદ કરાયા હોવાનું બહાર આવ્યું. તેમાંથી અત્યાર સુધી 403 પર ફ્લાઈટ્સ શરૂ થઈ નથી, જ્યારે 371 રૂટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે.

UDAN Scheme: કેન્દ્ર સરકારની સસ્તી હવાઈ મુસાફરી યોજના નિષ્ફળ! CAGના રિપોર્ટમાં થયો ખુલાસો
UDAN Scheme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2023 | 4:24 PM

સસ્તી હવાઈ મુસાફરી આપવા માટે કેન્દ્ર સરકારની ‘ઉડાન’ યોજના (UDAN Scheme) નિષ્ફળ ગઈ છે. કેગનો રિપોર્ટ આ વાત કહી રહ્યો છે. દેશના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગના (CAG) ઓડિટ રિપોર્ટમાં પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમની ત્રણ તબક્કામાં તપાસ કરવામાં આવી છે. જેમાં ઉડાન યોજના માટે દેશભરના 774 રૂટ પસંદ કરાયા હોવાનું બહાર આવ્યું.

તેમાંથી અત્યાર સુધી 403 પર ફ્લાઈટ્સ શરૂ થઈ નથી, જ્યારે 371 રૂટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 112 રૂટ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યારે મોટાભાગના રૂટ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા છે અને માર્ચ 2023 સુધીમાં આ યોજના માત્ર 54 રૂટ પર જ કાર્યરત છે.

નાના શહેરોની કનેક્ટિવિટી વધુ સારી બની શકે

2017 માં શરૂ કરાયેલ UDAN યોજનાનો ઉદ્દેશ્ય દેશના દૂરના વિસ્તારોમાં હવાઈ મુસાફરી શરૂ કરવાનો અને તે વિસ્તારોને મોટા શહેરો અથવા રાજધાનીઓ સાથે હવાઈ માર્ગે જોડવાનો હતો. જેથી દેશના મોટા શહેરો કરતા નાના શહેરોની કનેક્ટિવિટી વધુ સારી બની શકે. રિપોર્ટમાં, CAG એ UDAN યોજનાના નિરાશાજનક પ્રદર્શન માટેના ઘણા કારણો પણ સૂચિબદ્ધ કર્યા છે, જેમાં એક મુખ્ય કારણ એરપોર્ટ અથવા એરસ્ટ્રીપ્સનું સમયસર નિર્માણ ન થવું અથવા તેમને યોગ્ય રીતે સુધારવામાં સક્ષમ ન હોવું એ છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

116માંથી 83 એરપોર્ટ પર કામગીરી શરૂ થઈ નથી

CAGએ રિપોર્ટમાં કહ્યું કે કુલ 116 એરપોર્ટ અને એરસ્ટ્રીપ્સ છે, જેમાંથી 83 પર ઓપરેશન શરૂ કરી શકાતું નથી. રિપોર્ટ અનુસાર આ એરપોર્ટ પર અત્યાર સુધીમાં 1089 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખાસ વાત એ છે કે સ્કીમ હેઠળ એવી જોગવાઈ હતી કે ઓપરેટર પહેલા ડિસ્કાઉન્ટ ભાડાવાળી ટિકિટનું વેચાણ કરશે અને ત્યારબાદ સબસિડી વગરની ટિકિટ વેચવામાં આવશે.

આ પણ વાંચો : ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, દરેક 10માંથી 7ની પહેલી પસંદ બિઝનેસ, સર્વેમાં થયો ખુલાસો

એરલાઇન્સ દ્વારા ડિસ્કાઉન્ટેડ રેટ સાથે સીટોની ઉપલબ્ધતા સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે મુસાફરોને આ સીટો વિશે માહિતી મળતી નથી અને ટિકિટ બુકિંગમાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">