AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, દરેક 10માંથી 7ની પહેલી પસંદ બિઝનેસ, સર્વેમાં થયો ખુલાસો

લોકોને લાગે છે કે નોકરી કરતાં ધંધો કરવો વધુ સારો છે અને તેમાં વધારે વૃદ્ધિ થાય છે. લોકલ સર્કલ દ્વારા દેશના 379 જિલ્લામાં આ સર્વે કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે 44% થી વધુ લોકો માને છે કે નોકરી કરતાં પોતાનો બિઝનેસ કરવો વધુ સારો છે.

ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, દરેક 10માંથી 7ની પહેલી પસંદ બિઝનેસ, સર્વેમાં થયો ખુલાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 2:31 PM
Share

ભારત સરકાર આત્મનિર્ભર અભિયાનને પ્રોત્સાહન આપી રહી છે. સરકારનો પ્રયાસ છે કે વધુને વધુ ક્ષેત્રોનો તેમાં સમાવેશ થાય જેથી દેશ આત્મનિર્ભર બની શકે. એક સર્વેમાં સામે આવ્યું છે કે ભારતના લોકો નોકરી (Job) કરતાં બિઝનેસ (Business) કરવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા આ સર્વે મુજબ દર 10માંથી 7 ભારતીયો બિઝનેસને પ્રાધાન્ય આપી રહ્યા છે.

લોકોને લાગે છે કે નોકરી કરતાં ધંધો કરવો વધુ સારો છે અને તેમાં વધારે વૃદ્ધિ થાય છે. લોકલ સર્કલ દ્વારા દેશના 379 જિલ્લામાં આ સર્વે કરવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે 44% થી વધુ લોકો માને છે કે નોકરી કરતાં પોતાનો બિઝનેસ કરવો વધુ સારો છે. ભલે ધંધો નાનો હોય, પરંતુ તેમાં આગળ વધવાનો અવકાશ રહેલો છે.

બિઝનેસની નવી તકો ઉભી થશે

આ સર્વેમાં 55% લોકોનું માનવું છે કે આવનારા સમયમાં ભારતમાં બિઝનેસની તકો વધુ ઝડપથી વધવાની છે. ખાસ કરીને 2027 સુધી જે લોકો બિઝનેસ કરે છે તેમની વૃદ્ધિ ખૂબ જ વધારે રહેશે. ભારતમાં વેપાર કરવાનું સરળ બનાવવા માટે સરકાર પણ ઘણા પગલાં લઈ રહી છે. સાથે જ ઘણી મોટી કંપનીઓ પણ ભારતમાં પોતાનો બિઝનેસ વધારી રહી છે.

એવું માનવામાં આવે છે કે ભારત આવનારા સમયમાં વિશ્વનું બિઝનેસ હબ બની શકે છે. આ સર્વેમાં 44% લોકો માને છે કે બિઝનેસ વિસ્તરણ ઝડપી થશે. વેપારની નવી તકો પણ ઉભી થશે, પરંતુ તેનો લાભ થોડા જ લોકોને મળી શકશે.

5% લોકો પાસે દેશની 60% સંપત્તિ

ઓક્સફેમ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર ભારતમાં નોકરી અને બિઝનેસ કરતા લોકોની સંપત્તિનું અંતર નોંધપાત્ર રીતે વધી ગયું છે. આ રિપોર્ટ અનુસાર દેશની માત્ર 5% વસ્તી એવી છે કે તેમની પાસે દેશની 60% સંપત્તિ છે. 50% વસ્તી પાસે કુલ સંપત્તિમાં માત્ર 3% હિસ્સો છે. આ રિપોર્ટ અનુસાર સંપત્તિનો મોટો હિસ્સો માત્ર બિઝનેસનો છે.

આ પણ વાંચો : Banana Price: શાકભાજી બાદ ફળના ભાવમાં વધારો, કેળાના ભાવ પહોંચ્યા 100 રૂપિયાને પાર

બિઝનેસની તકો ઝડપથી વધશે

લોકલ સર્કલના સર્વેમાં એ વાત સ્વીકારવામાં આવી છે કે ભારતમાં રોજગારને લઈને પડકારો છે. છેલ્લા એક વર્ષમાં જે રીતે ઝડપી છટણી થઈ છે, તેની અસર તેના પર પણ જોવા મળી રહી છે. વ્યવસાયની તકો વધી છે. આ સર્વે અનુસાર ભારતમાં આવનારા 4 વર્ષમાં બિઝનેસની તકો ઝડપથી વધશે. કોરોના બાદ ભારતની અર્થવ્યવસ્થામાં તેજી આવી છે. એક તરફ સમગ્ર વિશ્વમાં મંદી છે તો બીજી તરફ ભારતના આર્થિક સૂચકાંકો સતત વૃદ્ધિ નોંધાવી રહ્યા છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">