AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruchi Soya FPO : બાબા રામદેવની કંપની લાવી કમાણીની તક, જાણો કેટલો મળશે ફાયદો?

ઉલ્લેખનીય છે કે આ ઈસ્યુ એન્કર ઈન્વેસ્ટર્સ માટે 23 માર્ચ 2022ના રોજ ખુલ્યો છે. તેમાં પાત્ર કર્મચારીઓ માટે અનામત 10,000 ઇક્વિટી શેર છે.

Ruchi Soya FPO : બાબા રામદેવની કંપની લાવી કમાણીની તક, જાણો કેટલો મળશે ફાયદો?
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 6:40 AM
Share
Ruchi Soya FPO: બાબા રામદેવ(Baba Ramdev)ની માલિકીની ખાદ્ય તેલ કંપની રૂચી સોયા  (Ruchi Soya) આવતીકાલે એટલે કે 24મી માર્ચે બજારમાં FPO લાવી રહી છે. તમે આ FPO માં 24 માર્ચથી 28 માર્ચ સુધી રોકાણ કરી શકો છો. આ FPO દ્વારા કંપની લગભગ રૂ.4300 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. જો તમારી પાસે પણ નાણાંનું રોકાણ કરવાની યોજના છે તો તમારે તે પહેલાં આ FPOની તમામ વિગતો તપાસવી જોઈએ. હાલમાં પતંજલિ રૂચી સોયામાં 98.9 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ માત્ર 1.1 ટકા છે. આ એફપીઓ પછી રૂચી સોયામાં પતંજલિનું હોલ્ડિંગ ઘટીને 81 ટકા થશે જ્યારે પબ્લિક શેરહોલ્ડર વધીને 19 ટકા થશે.

એન્કર રોકાણકારોનો હિસ્સો

ઉલ્લેખનીય છે કે આ ઈસ્યુ એન્કર ઈન્વેસ્ટર્સ માટે 23 માર્ચ 2022ના રોજ ખુલ્યો છે. તેમાં પાત્ર કર્મચારીઓ માટે અનામત 10,000 ઇક્વિટી શેર છે.

લીડ મેનેજર્સ કોણ હશે?

આ એફપીઓના લીડ મેનેજર્સ વિશે વાત કરીએ તો એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ લીડ મેનેજર્સ તરીકેની ભૂમિકા ભજવશે.

પતંજલિનો હિસ્સો કેટલો છે?

હાલમાં પતંજલિ રૂચી સોયા કંપનીમાં લગભગ 98.9 ટકા હિસ્સો ધરાવે છે. બીજી તરફ જાહેર શેરધારકો 1.1 ટકા હિસ્સો ધરાવે છે. આ એફપીઓ પછી ખાદ્ય તેલ ઉત્પાદક કંપનીમાં પતંજલિનો હિસ્સો ઘટીને 81 ટકા થઈ જશે. દરમિયાન જાહેર હિસ્સો વધીને 19 ટકા થશે.

રૂચી સોયા એફપીઓની અગત્યની માહિતી

  • રોકાણનો સમયગાળો  – 24 માર્ચથી 28 માર્ચ, 2022 સુધી
  • મિનિમમ રોકાણ – રૂ.12915
  • પ્રાઇસ બેન્ડ – રૂ.615-650
  • લોટ સાઈઝ – 21
  • ઇશ્યૂનું સાઇઝ – 4300 કરોડ

5 એપ્રિલે શેર જમા કરવામાં આવશે

આ એફપીઓના ડ્રાફ્ટ પેપર મુજબ 5 એપ્રિલે શેર ક્રેડિટ કરવામાં આવશે અને તેના એક દિવસ પછી ટ્રેડિંગ શરૂ થશે. રિફંડની પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે. રૂચી સોયાએ સૌપ્રથમ 1980માં ન્યુટ્રાલા બ્રાન્ડ હેઠળ ભારતમાં સોયા ફૂડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. પતંજલિ ગ્રૂપ દ્વારા હસ્તાંતરણ સાથે રૂચી સોયાને ભારતમાં પતંજલિના વ્યાપક નેટવર્કનો લાભ મળશે. આ કંપનીના પ્રવેશને વધુ મજબૂત બનાવશે.

બિડ 21 શેર માટે થશે

કંપનીએ જણાવ્યું છે કે આ એફપીઓ માટે બિડ 21 શેર માટે હશે. ત્યારપછી તેનું 21ના ગુણાંકમાં રોકાણ કરવામાં આવશે. FPOમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કંપનીના બાકી દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. સાથે જ આ નાણાંનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને અન્ય પ્રવૃત્તિઓ માટે પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  MONEY9: પ્રજાને મુંઝવતો એક જ સવાલ, ક્યારે અટકશે મોંઘવારીનો માર?

આ પણ વાંચો : MONEY9: રશિયા-યુક્રેન ઘર્ષણે ઘરઆંગણે કપાસમાં લગાડી આગ, કાપડના તાણાવાણા વિખાયા

Follow Us
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
g clip-path="url(#clip0_868_265)">