AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruchi Soya FPO : બાબા રામદેવની કંપની લાવી કમાણીની તક, જાણો કેટલો મળશે ફાયદો?

ઉલ્લેખનીય છે કે આ ઈસ્યુ એન્કર ઈન્વેસ્ટર્સ માટે 23 માર્ચ 2022ના રોજ ખુલ્યો છે. તેમાં પાત્ર કર્મચારીઓ માટે અનામત 10,000 ઇક્વિટી શેર છે.

Ruchi Soya FPO : બાબા રામદેવની કંપની લાવી કમાણીની તક, જાણો કેટલો મળશે ફાયદો?
Ruchi Soya FPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 6:40 AM
Share
Ruchi Soya FPO: બાબા રામદેવ(Baba Ramdev)ની માલિકીની ખાદ્ય તેલ કંપની રૂચી સોયા  (Ruchi Soya) આવતીકાલે એટલે કે 24મી માર્ચે બજારમાં FPO લાવી રહી છે. તમે આ FPO માં 24 માર્ચથી 28 માર્ચ સુધી રોકાણ કરી શકો છો. આ FPO દ્વારા કંપની લગભગ રૂ.4300 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. જો તમારી પાસે પણ નાણાંનું રોકાણ કરવાની યોજના છે તો તમારે તે પહેલાં આ FPOની તમામ વિગતો તપાસવી જોઈએ. હાલમાં પતંજલિ રૂચી સોયામાં 98.9 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ માત્ર 1.1 ટકા છે. આ એફપીઓ પછી રૂચી સોયામાં પતંજલિનું હોલ્ડિંગ ઘટીને 81 ટકા થશે જ્યારે પબ્લિક શેરહોલ્ડર વધીને 19 ટકા થશે.

એન્કર રોકાણકારોનો હિસ્સો

ઉલ્લેખનીય છે કે આ ઈસ્યુ એન્કર ઈન્વેસ્ટર્સ માટે 23 માર્ચ 2022ના રોજ ખુલ્યો છે. તેમાં પાત્ર કર્મચારીઓ માટે અનામત 10,000 ઇક્વિટી શેર છે.

લીડ મેનેજર્સ કોણ હશે?

આ એફપીઓના લીડ મેનેજર્સ વિશે વાત કરીએ તો એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ લીડ મેનેજર્સ તરીકેની ભૂમિકા ભજવશે.

પતંજલિનો હિસ્સો કેટલો છે?

હાલમાં પતંજલિ રૂચી સોયા કંપનીમાં લગભગ 98.9 ટકા હિસ્સો ધરાવે છે. બીજી તરફ જાહેર શેરધારકો 1.1 ટકા હિસ્સો ધરાવે છે. આ એફપીઓ પછી ખાદ્ય તેલ ઉત્પાદક કંપનીમાં પતંજલિનો હિસ્સો ઘટીને 81 ટકા થઈ જશે. દરમિયાન જાહેર હિસ્સો વધીને 19 ટકા થશે.

રૂચી સોયા એફપીઓની અગત્યની માહિતી

  • રોકાણનો સમયગાળો  – 24 માર્ચથી 28 માર્ચ, 2022 સુધી
  • મિનિમમ રોકાણ – રૂ.12915
  • પ્રાઇસ બેન્ડ – રૂ.615-650
  • લોટ સાઈઝ – 21
  • ઇશ્યૂનું સાઇઝ – 4300 કરોડ

5 એપ્રિલે શેર જમા કરવામાં આવશે

આ એફપીઓના ડ્રાફ્ટ પેપર મુજબ 5 એપ્રિલે શેર ક્રેડિટ કરવામાં આવશે અને તેના એક દિવસ પછી ટ્રેડિંગ શરૂ થશે. રિફંડની પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે. રૂચી સોયાએ સૌપ્રથમ 1980માં ન્યુટ્રાલા બ્રાન્ડ હેઠળ ભારતમાં સોયા ફૂડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. પતંજલિ ગ્રૂપ દ્વારા હસ્તાંતરણ સાથે રૂચી સોયાને ભારતમાં પતંજલિના વ્યાપક નેટવર્કનો લાભ મળશે. આ કંપનીના પ્રવેશને વધુ મજબૂત બનાવશે.

બિડ 21 શેર માટે થશે

કંપનીએ જણાવ્યું છે કે આ એફપીઓ માટે બિડ 21 શેર માટે હશે. ત્યારપછી તેનું 21ના ગુણાંકમાં રોકાણ કરવામાં આવશે. FPOમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કંપનીના બાકી દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. સાથે જ આ નાણાંનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને અન્ય પ્રવૃત્તિઓ માટે પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  MONEY9: પ્રજાને મુંઝવતો એક જ સવાલ, ક્યારે અટકશે મોંઘવારીનો માર?

આ પણ વાંચો : MONEY9: રશિયા-યુક્રેન ઘર્ષણે ઘરઆંગણે કપાસમાં લગાડી આગ, કાપડના તાણાવાણા વિખાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">