AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ruchi Soya FPO દ્વારા એકત્રિત 4300 કરોડ રૂપિયાથી કંપનીને દેવામુક્ત બનાવશે બાબા રામદેવ, જાણો કંપનીની યોજના

એક મીડિયા ઇન્ટરવ્યૂમાં બાબા રામદેવે કહ્યું કે તેમને ડિસેમ્બર સુધીમાં કંપનીની 50 ટકા ઇક્વિટી વેચવા માટે કહેવામાં આવ્યું હતું. આ એફપીઓમાંથી મળેલા નાણાંનો ઉપયોગ રૂચી સોયાને દેવામાંથી મુક્ત કરવા માટે કરવામાં આવશે.

Ruchi Soya FPO દ્વારા એકત્રિત 4300 કરોડ રૂપિયાથી કંપનીને દેવામુક્ત બનાવશે બાબા રામદેવ, જાણો કંપનીની યોજના
Ruchi Soya FPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:31 AM
Share

પતંજલિ આયુર્વેદ(Patanjali Ayurved )ગ્રૂપ દ્વારા નિયંત્રિત અને યોગ ગુરુ બાબા રામદેવ(Baba Ramdev)ની માલિકીની રૂચી સોયા(Ruchi Soya)એ તેનું ફોલો-ઓન પબ્લિક ઑફરિંગ (FPO) મૂલ્ય રૂ. 4,300 કરોડ રૂ. 615-650 પ્રતિ શેર નક્કી કર્યું છે. આ FPO 24મીથી 28મી સુધી ખુલ્લું રહેશે અને 28મી માર્ચે બંધ થશે. આવતીકાલે  આ એફપીઓના આગમન સાથે દેશની સૌથી મોટી ખાદ્ય તેલ ઉત્પાદક કંપની બજારમાં ફરીથી લિસ્ટ થશે.એક મીડિયા ઇન્ટરવ્યૂમાં બાબા રામદેવે કહ્યું કે તેમને ડિસેમ્બર સુધીમાં કંપનીની 50 ટકા ઇક્વિટી વેચવા માટે કહેવામાં આવ્યું હતું. આ એફપીઓમાંથી મળેલા નાણાંનો ઉપયોગ રૂચી સોયાને દેવામાંથી મુક્ત કરવા માટે કરવામાં આવશે. 650 રૂપિયાની આ FPOની અપર પ્રાઇસ બેન્ડ તેની મંગળવારની બંધ કિંમત કરતાં ઘણી ઓછી છે. મંગળવારે રૂચી સોયા રૂ.913.60 પર બંધ રહ્યો હતો.

બિડ 21 શેર માટે થશે

કંપનીએ જણાવ્યું છે કે આ એફપીઓ માટે બિડ 21 શેર માટે હશે. ત્યારપછી તેનું 21ના ગુણાંકમાં રોકાણ કરવામાં આવશે. FPOમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કંપનીના બાકી દેવું ચૂકવવા માટે કરવામાં આવશે. સાથે જ આ નાણાંનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને અન્ય પ્રવૃત્તિઓ માટે પણ કરવામાં આવશે.

5 એપ્રિલે શેર જમા કરવામાં આવશે

આ એફપીઓના ડ્રાફ્ટ પેપર મુજબ 5 એપ્રિલે શેર ક્રેડિટ કરવામાં આવશે અને તેના એક દિવસ પછી ટ્રેડિંગ શરૂ થશે. રિફંડની પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે. રૂચી સોયાએ સૌપ્રથમ 1980માં ન્યુટ્રાલા બ્રાન્ડ હેઠળ ભારતમાં સોયા ફૂડનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. પતંજલિ ગ્રૂપ દ્વારા હસ્તાંતરણ સાથે રૂચી સોયાને ભારતમાં પતંજલિના વ્યાપક નેટવર્કનો લાભ મળશે. આ કંપનીના પ્રવેશને વધુ મજબૂત બનાવશે.

રુચિ સોયાને જાન્યુઆરી 2020 માં ફરીથી લિસ્ટ કરવામાં આવી હતી

પતંજલિ આયુર્વેદે નાદાર કંપની રુચિ સોયાનું અધિગ્રહણ કર્યું હતું અને 27મી જાન્યુઆરી 2020 ના રોજ રુચિ સોયાના શેરને ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. આચાર્ય બાલકૃષ્ણએ કંપનીની લોન અંગે વ્યક્તિગત ગેરંટી આપી છે. આ લોન તે સમયે બેંકો પાસેથી લેવામાં આવી હતી જ્યારે રૂચી સોયાને પતંજલિ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સતત બીજા દિવસે મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ, અહીં ચેક કરો તમારા શહેરના નવા ભાવ

આ પણ વાંચો  : વેદાંતાનો શેર 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાંતોની સલાહ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">