ડુંગળીએ સામાન્ય લોકોને રડાવ્યા! લસણ બાદ હવે ડુંગળીના ભાવમાં થયો વધારો

દેશના સૌથી મોટા જથ્થાબંધ ડુંગળી બજાર લાસલગાંવ APMC માં સોમવારે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ગઈકાલે 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1,280 રૂપિયાથી વધીને 1,800 રૂપિયા થયો હતો.

ડુંગળીએ સામાન્ય લોકોને રડાવ્યા! લસણ બાદ હવે ડુંગળીના ભાવમાં થયો વધારો
Onion Price
Follow Us:
| Updated on: Feb 20, 2024 | 2:42 PM

લસણના વધતા ભાવને કારણે સામાન્ય લોકોના રસોડાનું બજેટ ખોરવાયું છે. હવે ડુંગળીના ભાવ વધતા આમ જનતા માટે જીવન મુશ્કેલ બન્યું છે. ડુંગળી પરની નિકાસનો પ્રતિબંધ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દેશના સૌથી મોટા જથ્થાબંધ ડુંગળી બજાર લાસલગાંવ APMC માં સોમવારે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં 40 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ડુંગળીના સરેરાશ ભાવ 1,280 રૂપિયાથી વધીને 1,800 રૂપિયા થયા

ગઈકાલે સોમવારે 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1,280 રૂપિયાથી વધીને 1,800 રૂપિયા થયો હતો. જેમાં મિનિમમ ભાવ 1,000 રૂપિયા અને મહત્તમ ભાવ 2,100 પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે 11 ડિસેમ્બર, 2023 ના રોજ જાહેરાત કરી હતી કે સ્થાનિક ગ્રાહકોને સસ્તા ભાવે ડુંગળી મળી રહે તે માટે 8 ડિસેમ્બર, 2023 થી 31 માર્ચ, 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી ચાલુ રહેશે

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સામાન્ય લોકો અને ખેડૂતો બંનેના હિતમાં જરૂરી પગલાં લેવા માટે ડુંગળીના પાકની ઉપલબ્ધતા અને ભાવ પર નજર રાખી રહી છે. ભાવ સ્થિરતા માટે ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી ચાલુ રહેશે જેથી તેઓને પણ નુકસાન થાય નહીં.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ડુંગળીના ભાવ આગામી દિવસોમાં વધી શકે

ડુંગળીના સરકારી ભાવની વાત કરીએ તો 18 ફેબ્રુઆરીના રોજ ગ્રાહક બાબતોના વિભાગની વેબસાઇટ પર સરેરાશ ભાવ એક કિલોના 29.83 રૂપિયા હતા. જે 19 ફેબ્રુઆરીના રોજ 32.26 રૂપિયા પર પહોંચ્યા હતા. એટલે કે 24 કલાકમાં જ ડુંગળીની સરેરાશ ભાવમાં કિલો દીઠ 2.43 રૂપિયાનો વધારો થયો હતો. જાણકારોના મતે ડુંગળીના ભાવ આગામી દિવસોમાં વધી શકે છે.

આ પણ વાંચો : તમે તમારા બાળકો માટે પોલિસી લેવાનું વિચારો છો તો કામના સમાચાર, LIC એ લોન્ચ કર્યો અમૃતબાલ પ્લાન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશમાં લસણના ભાવ 550 રૂપિયાથી વધારે થયા હતા અને ઘણા શહેરોમાં લસણના ભાવમાં વધારો થયો હતો. ઉત્તર પ્રદેશમાં લસણના ભાવ 500-550 રૂપિયા પ્રતિ કિલો છે. જથ્થાબંધ બજારમાં સારી ગુણવત્તાનું લસણ 220 થી 240 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">