માત્ર ભારતમાં જ નહીં, 30 દેશોમાં ચૂંટણી આ કંપનીની શાહીના ‘ભરોસા’ પર થાય છે, આટલો મોટો છે બિઝનેસ

ચૂંટણીમાં મતદાતાએ મત આપ્યા બાદ તેની આંગળી પર આ શાહીનો લગાવીને ઉપયોગ કરવામાં આવે છે. આ દર્શાવે છે કે તેણે પોતાની મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હવે તે ફરી મતદાન કરી શકશે નહીં.

માત્ર ભારતમાં જ નહીં, 30 દેશોમાં ચૂંટણી આ કંપનીની શાહીના 'ભરોસા' પર થાય છે, આટલો મોટો છે બિઝનેસ
Mysore Paints Varnish Company supplies election inks
Follow Us:
| Updated on: Apr 17, 2024 | 8:52 AM

દેશમાં ચૂંટણીનો માહોલ છે. તેની સૌથી મોટી ઓળખ આંગળી પર શાહીનું નિશાન છે, જે તાત્કાલિક ભુંસાતુ નથી. પરંતુ શું તમે જાણો છો કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ રોકવા માટે ‘વિશ્વાસ’ના પ્રતીક તરીકે લાવવામાં આવેલી આ શાહી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 30 દેશોમાં લોકશાહીની રક્ષક છે. માત્ર એક ભારતીય કંપની જ તેનું ઉત્પાદન કરે છે.

વાસ્તવિક સ્ટોરી 1937 થી શરૂ થાય

હા, મૈસૂર પેઇન્ટ્સ અને વાર્નિશ 1962 થી આ શાહીના એકમાત્ર સપ્લાયર છે. આ શાહીનો ઉપયોગ મતદાતાએ મત આપ્યા બાદ તેની આંગળી પર લગાવીને ચૂંટણીમાં કરવામાં આવે છે. આ દર્શાવે છે કે તેણે પોતાની મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હવે તે ફરી મતદાન કરી શકશે નહીં. પરંતુ શું તમે જાણો છો કે આ શાહીની વાસ્તવિક સ્ટોરી 1937 થી શરૂ થાય છે.

મૈસુરના રાજા સાથે કંપનીનું છે કનેક્શન

મૈસૂર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ કંપનીની રચના 1937માં મૈસુર રાજ્યના તત્કાલીન મહારાજા નલવડી કૃષ્ણરાજા વાડયાર દ્વારા ‘મૈસુર લાખ એન્ડ પેઈન્ટ્સ વર્ક્સ’ તરીકે કરવામાં આવી હતી. તે સમયે મૈસૂર અને નાગરહોલના જંગલોમાંથી એકત્ર કરાયેલા આ એકમમાં ‘લાખ’ (જંતુઓમાંથી મેળવવામાં આવતો પદાર્થ) બનાવવાનું કામ કરવામાં આવતું હતું.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

લાખના મીણથી પરબિડીયાઓ અને પાર્સલને સીલ કરતા

તેનો હેતુ સ્થાનિક લોકોને ‘લાખ’ એકત્ર કરવાનું કામ આપવાનો હતો. તે સમયે લાખમાંથી બંગડીઓ બનાવવામાં આવતી હતી. ભારતીય રેલવે અને ભારતીય પોસ્ટ આ લાખની મદદથી બનેલા મીણથી પરબિડીયાઓ અને પાર્સલને સીલ કરતી હતી. બાદમાં ચૂંટણી પંચે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને મતપેટીઓ સીલ કરવાની શરૂઆત કરી હતી. ચૂંટણી પંચની વિનંતી પર જ કંપનીએ અદમ્ય શાહી બનાવવાનું શરૂ કર્યું.

જ્યારે ઈન્દિરા ગાંધીએ ‘જંગલનો કાયદો’ પસાર કર્યો

જ્યારે ઈન્દિરા ગાંધીએ 1980માં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ પસાર કર્યો ત્યારે કંપનીએ જંગલોમાંથી સામગ્રી એકઠી કરવાનું બંધ કરી દીધું હતું. આ પછી કંપનીએ તેનું નામ બદલીને મૈસૂર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ કર્યું. આજે સીલિંગ માટે વપરાતા મીણમાં લાખનો ઉપયોગ થતો નથી.

જો કે કંપની હજુ પણ કેટલીક કુદરતી પોલિશ બનાવે છે, જેમાં રોઝવૂડ અને ટીકવુડથી લઈને વૃંદાવન આલ્કોહોલિક પોલિશનો સમાવેશ થાય છે. કંપની 1940 થી મૂળ ફોર્મ્યુલેશન પર આ પોલિશનું ઉત્પાદન કરી રહી છે.

30 દેશોની ચૂંટણીઓ આ કંપની પર ‘વિશ્વાસ’ કરે છે

આ કંપની ચૂંટણી નિષ્પક્ષ રાખવા માટે તેની અદમ્ય શાહી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 30 દેશોમાં નિકાસ કરે છે. જેમાં થાઈલેન્ડ, સિંગાપોર, નાઈજીરીયા, મલેશિયા, કંબોડિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. બીજી ખાસ વાત એ છે કે આ શાહીની ફોર્મ્યુલા અમુક પસંદગીના કર્મચારીઓને જ કહેવામાં આવે છે અને તે તેમના નિવૃત્તિ પછી જ તેને પાસ ઓન કરવામાં આવે છે. તેનું ઉત્પાદન સરકારી અધિકારીઓની દેખરેખ હેઠળ થાય છે.

આ કંપની 100 થી વધુ લોકોને રોજગારી આપે છે અને 1991થી નફો કમાઈ રહી છે. કંપનીની કુલ આવકના 60 ટકા સુધી આ શાહીમાંથી આવે છે. વર્ષ 2016-17માં કંપનીએ રૂપિયા 6.18 કરોડનો નફો કર્યો હતો.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">