Income Tax Department અને 7 પ્રકારની નોટિસ, કઈ નોટિસ ક્યારે અને કેમ અપાય છે વાંચો આ ખાસ વિગત
ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આઇટીઆર(ITR)માં કોઈ ખામી હોય તો આવકવેરા વિભાગ( Income Tax Department) નોટિસ ફટકારે છે. જૂજ લોકો જાણે છે કે આ નોટિસ ( Income Tax Notice) નો અર્થ શું છે? સામાન્ય રીતે સાત પ્રકારની નોટિસ ફટકારાતી હોય છે.
ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આઇટીઆર(ITR)માં કોઈ ખામી હોય તો આવકવેરા વિભાગ( Income Tax Department) નોટિસ ફટકારે છે. જૂજ લોકો જાણે છે કે આ નોટિસ ( Income Tax Notice) નો અર્થ શું છે? સામાન્ય રીતે સાત પ્રકારની નોટિસ ફટકારાતી હોય છે. જો તમારી આવક અને કરમાં કોઈ તફાવત છે તો પછી આવકવેરા કાયદાના વિવિધ કલમો હેઠળ નોટિસ આવી શકે છે. અથવા જો કોઈ માહિતી ભરવાની બાકી છે તો પણ નોટિસ પણ આવે છે.
ક્ષેત્રના નિષ્ણાંતો અનુસાર આવકવેરા વિભાગ તરફથી નોટિસ આપવી એ સામાન્ય પ્રક્રિયા છે. ગભરાવાની જરૂર નથી. જો કે, ITR ભરતી વખતે ભૂલો ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ . ITR ભરતી વખતે હંમેશા સાવધ રહેવું અને સંપૂર્ણ ચકાસણી પછી ફોર્મ સબમિટ કરવું જોઈએ. આવો જાણીએ આવકવેરા વિભાગની તમામ નોટિસ વિશે.
કલમ 142: આ નોટિસ સૌથી સામાન્ય સૂચના છે. જો આવકવેરા રીટર્ન ભરવામાં ન આવે તો આ નોટિસ આપવામાં આવે છે. આ અંતર્ગત, ખાતાઓની ચકાસણી માટે પૂછવામાં આવી શકે છે. આવકવેરા રીટર્ન ભરવા અંગે કરદાતા દ્વારા આપેલા દસ્તાવેજો પર કોઈ શંકા હોવાના કિસ્સામાં પણ આ નોટિસ આવી શકે છે.
કલમ 133 A: આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ બીજી સૌથી સામાન્ય નોટિસ છે. કલમ 133 A અંતર્ગત ખાતાની સર્વેક્ષણ કે ચકાસણી માટે નોટિસ પાઠવવામાં આવી છે.
કલમ 156: જો કોઈ કરદાતા દ્વારા ટેક્સ, વ્યાજ, નુકસાન વગેરે ચૂકવણી કરવામાં ન આવે તો તેમને કલમ 156 હેઠળ નોટિસ પાઠવીને ચૂકવણી કરવાનું કહેવામાં આવે છે.
કલમ 131 (1 A): આવકવેરા કાયદાની કલમ 131 (1 A) હેઠળ મૂલ્યાંકન કરનાર અધિકારીને અધિકાર છે કે કરદાતાએ કેટલીક આવક છુપાવી છે તે અંગે શંકા કરી શકે છે. આનો અર્થ એ કે નોટિસ મળ્યા પછી તમારે કોઈ આવક છુપાવ્યો ન હોવાનો પુરાવો આપવો પડશે.
કલમ 143 (1): આ હેઠળ નોટિસ ત્યારે આવે છે જ્યારે જાણવા મળે છે કે ટેક્સ રીટર્ન ફાઇલ કરતી વખતે ભૂલ થઈ હતી અથવા કોઈ ખોટી માહિતી આપવામાં આવી છે. આવા કિસ્સામાં વધારાના ટેક્સની માંગ કરવામાં આવે છે.
કલમ 143 (2): કલમ હેઠળ નોટિસનો અર્થ એ છે કે આકારણી કચેરી દ્વારા નિયમિત આકારણી તપાસ કરવામાં આવશે.
કલમ 148: આ નોટિસ ત્યારે આવશે જ્યારે આકારણી અધિકારીને લાગે છે કે તમારી કેટલીક આવકનું મૂલ્યાંકન થયું નથી, આવા કિસ્સામાં, ફરીથી આકારણી કરી શકે છે.