સિમ કાર્ડ ફ્રોડની કમર તોડવા સરકાર એક્શનમાં, વેરિફિકેશન ના કરાવ્યુ તો લાગશે લાખોનો દંડ

સરકારે સિમ કાર્ડ ફ્રોડની કમર તોડવા માટે ખાસ પગલાં લીધાં છે. ખરેખર, સરકારે હવે સિમ ડીલરનું વેરિફિકેશન ફરજિયાત કરી દીધું છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ પોલીસ વેરિફિકેશન વગર સિમ કાર્ડ વેચવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ થશે.

સિમ કાર્ડ ફ્રોડની કમર તોડવા સરકાર એક્શનમાં, વેરિફિકેશન ના કરાવ્યુ તો લાગશે લાખોનો દંડ
SIM card verification
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 11:30 AM

આજકાલ સિમ કાર્ડ (SIM card) દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, આનાથી થતી છેતરપિંડીઓની (Fraud) કમર તોડવા માટે સરકારે વિશેષ પગલાં લીધાં છે. ખરેખર, સરકારે હવે સિમ ડીલરનું વેરિફિકેશન ફરજિયાત કરી દીધું છે. છેતરપિંડીની કમર તોડવા માટે સરકારે ખાસ પગલાં લીધાં છે. જે અંતર્ગત હવે સિમ વેચતા ડીલરો માટે પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન (verification) જરૂરી બન્યું છે.

10 લાખનો દંડ થશે

આ સાથે સરકારે જથ્થાબંધ સિમ ખરીદવાની સિસ્ટમ પણ બંધ કરી દીધી છે. જથ્થાબંધ સિમ ખરીદવાની વ્યવસ્થાના સ્થાને બિઝનેસ કનેક્શનનો કોન્સેપ્ટ લાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ, જો કોઈપણ સિમ ડીલર ગેરકાયદેસર રીતે સિમ વેચતો જોવા મળે છે અથવા વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, તો તેના પર 10 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે.

જથ્થાબંધ સિમ ખરીદવા KYC કરવું પડશે

સિમની ગેરકાયદેસર અને જથ્થાબંધ ખરીદી રોકવા માટે બિઝનેસ કોન્સેપ્ટ લાવવામાં આવશે. આમાં કોઈપણ બિઝનેસ ગ્રુપ, કોર્પોરેટ કે ઈવેન્ટ માટે સિમ ખરીદવાની સુવિધા આપવામાં આવશે. તેના દ્વારા કંપનીઓના રજિસ્ટ્રેશનના આધારે સિમ આપવામાં આવશે. જો કોઈ કંપની જથ્થાબંધ સિમ ખરીદવા માંગે છે, તો તેમાં પણ તેણે વ્યક્તિગત KYC કરવું પડશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સરકારની નવી ગાઈડલાઈન

સરકારની નવી ગાઈડલાઈન મુજબ પોલીસ વેરિફિકેશન વગર સિમ કાર્ડ વેચવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ છે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર દેશમાં લગભગ 10 લાખ સિમ કાર્ડ ડીલર્સ છે જેમણે પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. આ સિવાય બિઝનેસનું KYC પણ કરવું પડશે. આજકાલ સિમ વેચતા ડીલરોની ઘણી બેદરકારી સામે આવી છે. તેમનું મુખ્યધ્યાન માત્ર સિમ વેચવા પર છે. તેને દૂર કરવા માટે ડીલરોનું બાયોમેટ્રિક અને પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવવામાં આવી રહ્યું છે.

67 હજાર ડીલરો બ્લેક લિસ્ટ

તમામ POS ડીલરોનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત રહેશે. જો કોઈ વેપારી આ બાબતે બેદરકારી દાખવતો જોવા મળે તો તેની જવાબદારી નક્કી કરી શકાય. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે સંચાર સાથી પોર્ટલ લોન્ચ થયા બાદ તેમણે લગભગ 52 લાખ નકલી કનેક્શનને નિષ્ક્રિય કરી દીધા છે. 67 હજાર ડીલરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે, 300 માંથી ઘણી FIR નોંધાયેલી છે.

આ પણ વાંચો : મોંઘવારી સામે લડવા માટે મોદી સરકારે બનાવી ખાસ ફોર્મ્યુલા, તૈયાર કરવામાં આવી રહી છે બ્લૂ પ્રિન્ટ

સિમનો દુરુપયોગ

લોકો જથ્થાબંધ સિમ ખરીદે છે પરંતુ તેમાં 20 ટકા દુરુપયોગ થાય છે. આ સાયબર ફ્રોડ તરફ દોરી જાય છે. વિગતવાર અભ્યાસ કર્યા બાદ જથ્થાબંધ ખરીદીની સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જગ્યાએ બિઝનેસ કનેક્શનનો કોન્સેપ્ટ આવશે. આમાં કોઈપણ બિઝનેસ ગ્રુપ, કોર્પોરેટ કે ઈવેન્ટ માટે વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં રજીસ્ટ્રેશનના આધારે સિમ આપવામાં આવશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">