એક Bank માં છે બે ખાતા ? બેન્ક ડુબી જાય તો કેટલા રૂપિયા પાછા મળશે ? જાણો શું છે નિયમ

જ્યારથી આ દેશમાં પ્રધાનમંત્રી જન ધન ખાતું યોજના શરૂ થઈ છે ત્યારથી લોકોમાં ખાતા ખોલાવવાનો નવો ક્રેઝ છે. કેટલાક લોકો એક જ બેંકની અલગ-અલગ શાખાઓમાં એક કરતા વધુ ખાતા ખોલાવવા સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં તેમના માટે સૌથી મોટો ખતરો એ છે કે જો કોઈ કારણસર બેંક નાદાર થઈ જાય તો તેમના પૈસાનું શું થશે?

એક Bank માં છે બે ખાતા ? બેન્ક ડુબી જાય તો કેટલા રૂપિયા પાછા મળશે ? જાણો શું છે નિયમ
bank
Follow Us:
| Updated on: Apr 15, 2024 | 8:46 AM

જ્યારથી આ દેશમાં પ્રધાનમંત્રી જન ધન ખાતાની યોજના શરૂ થઈ છે ત્યારથી લોકોમાં ખાતા ખોલાવવાનો નવો ક્રેઝ છે. કેટલાક લોકો એક જ બેંકની અલગ-અલગ શાખાઓમાં એક કરતા વધુ ખાતા ખોલાવવા સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં તેમના માટે સૌથી મોટો ખતરો એ છે કે જો કોઈ કારણસર બેંક નાદાર થઈ જાય તો શું તેમને તેમની આખી જમા થયેલી મૂડી પાછી મળશે? અને તમને એ વિશે જણાવીશું.

નિયમ શું કહે છે?

તમને જણાવી દઈએ કે, માત્ર એક જ ખાતામાં પૈસા રાખવાથી તમારા પૈસા ગુમાવવાનું જોખમ રહેલું છે. નિયમો અનુસાર, તમે એક ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુની બચત રાખી શકતા નથી. જો તમે તમારા ખાતામાં 5 લાખ રૂપિયા ડિપોઝિટ તરીકે અને 3 લાખ રૂપિયા FD એટલે કે ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા છે, તો જો બેંક ફડચામાં જશે તો તમને માત્ર 5 લાખ રૂપિયા જ પાછા મળશે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

જો બેંક ડુબી જાય તો બેંકમાં માત્ર 5 લાખ રૂપિયા જ સુરક્ષિત માનવામાં આવે છે. બેંક તમને આટલા જ પૈસા પરત કરશે. જે તમને ક્લેમ કર્યાના 90 દિવસની અંદર મળી જશે. જો તમે એક જ બેંકની અલગ-અલગ શાખાઓમાં 5 લાખ રૂપિયાથી વધુ જમા કરાવ્યા હોય તો પણ તમને માત્ર 5 લાખ રૂપિયાનો જ ક્લેમ મળશે.

તમારા પૈસા ભારતમાં સુરક્ષિત છે

દેશમાં છેલ્લા 50 વર્ષમાં ભાગ્યે જ કોઈ બેંક નાદાર થઈ હોય. તેમ છતાં તમે તમારા પૈસા બચાવવા માટે વિવિધ બેંકોમાં તમારા પૈસા રાખીને જોખમ ઘટાડી શકો છો. અલગ-અલગ બેંકોમાં પૈસા રાખવાથી તમારી બચત પર કોઈ અસર નહીં પડે અને તમારા પૈસા પણ બચી જશે. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.

બેંકમાં ફસાયેલા નાણઆ કેવી રીતે મેળવશો?

કોઈપણ બેંકમાં વ્યક્તિના તમામ ખાતા પર 5 લાખ રૂપિયાની ગેરંટી છે. મતલબ જો તમે એ જ બેંકમાં 5 લાખ રૂપિયાની FD કરી હોય અને તે જ ખાતામાં 3 લાખ રૂપિયાની બચત પણ કરી હોય, તો જો બેંક પડી ભાગે છે, તો તમને માત્ર 5 લાખ રૂપિયા જ પાછા મળશે. મતલબ કે તમારા ખાતામાં ગમે તેટલા પૈસા હોય, માત્ર 5 લાખ રૂપિયા સુધી જ સુરક્ષિત માનવામાં આવશે અને તમને તેટલી 5 લાખ રૂપિયા પરત મળશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">