Dividend Stock : મલ્ટિબેગર રિટર્ન આપતી કંપની 1 શેર પર 90 રૂપિયા ડિવિડન્ડ આપશે, જાણો રેકોર્ડ ડેટ સહીત અગત્યની માહિતી
Dividend Stock: ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓના શેર પર નસીબ અજમાવતા રોકાણકારો માટે સારા સમાચાર છે. વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લિમિટેડના શેર આ અઠવાડિયે એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ થશે. કંપનીએ એક શેર પર 90 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
Dividend Stock: ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓના શેર પર નસીબ અજમાવતા રોકાણકારો માટે સારા સમાચાર છે. વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લિમિટેડના શેરની એક્સ-ડિવિડન્ડ ડેટ નજીક આવી રહી છે. કંપનીએ એક શેર પર 90 રૂપિયાના ડિવિડન્ડ આપવાની અગાઉથી જાહેરાત કરી છે.
રેકોર્ડ ડેટ શું છે?
ઉલ્લેખનીય છે કે કંપનીએ શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લિમિટેડના પાત્ર રોકાણકારોને 1 શેર પર 90 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ આ ડિવિડન્ડ માટે 22 જુલાઈ 2024ને રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરી છે. આનો અર્થ એ થાય છે કે જે રોકાણકારોના નામ આ તારીખના દેતા મુજબ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને જ ડિવિડન્ડનો લાભ મળશે.
કંપની 2007 થી ડિવિડન્ડ ચૂકવી રહી છે
કંપનીએ 2007માં પ્રથમ વખત ડિવિડન્ડ આપ્યું હતું. તે સમયના દેતા અનુસાર કંપનીએ એક શેર પર 8 રૂપિયાનું ડિવિડન્ડ જેતે સમયે આપ્યું હતું. આ ઉપરાંત આ સમયે કંપનીએ છેલ્લે 31 જુલાઈ 2023 ના રોજ એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડિંગ પણ કર્યું હતું. ગયા વર્ષે વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સ લિમિટેડ પાત્ર રોકાણકારોને પ્રતિ શેર રૂપિયા 60નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
શેરબજારમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?
શુક્રવારે તારીખ 19 જુલાઈ 2024 ના રોજ કંપનીના શેર 4 ટકાના ઘટાડા સાથે 11238.90 ની સપાટીના સ્તરે બંધ થયા હતા. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 150 ટકાનો ઉછાળો નોંધાયો છે. તે જ સમયે, સ્થાનીય રોકાણકારોને 6 મહિનામાં 48 ટકાની આવક પણ મળી છે.
ડિવિડન્ડ એ તેના શેરધારકોના વર્ગ વચ્ચે કંપનીની આવકના એક ભાગનું વિતરણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિવિડન્ડની ચુકવણી માટે શેરધારકોને કેટલી રકમ આપવામાં આવશે તે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરવામાં આવે છે.
ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. અમારી સલાહ છે કે શેરબજારમાં રોકાણ સમજદારીપૂર્વક કરવું જોઈએ. રોકાણથી નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે.