AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: રોકાણકારો માટે સારા સમાચાર, સેન્સેક્સ પહોચી શકે છે 1,00,000ની સપાટી પર !

Stock Market: જેફરીઝના ગ્લોબલ ઈક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૂડ કહે છે કે, ભારતીય શેરબજાર હવે 1,00,000ની સપાટીને સ્પર્શવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. વુડ કહે છે કે ભારતમાં સ્થાનિક માગ વધી રહી છે.

Stock Market: રોકાણકારો માટે સારા સમાચાર, સેન્સેક્સ પહોચી શકે છે 1,00,000ની સપાટી પર !
Stock Market (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 11:28 PM
Share

જેફરીઝના (Jefferies) ગ્લોબલ ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૂડે કહ્યું છે કે, ભારતીય શેરબજાર (Indian Stock Market) 1,00,000ના આંકને હાંસલ કરવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. તેમની સાપ્તાહિક નોંધ ‘ગ્રીડ એન્ડ ફિયર’માં તેમણે લખ્યું છે કે તેઓ માને છે કે 15 ટકા ઈપીએસ વૃદ્ધિ શક્ય છે અને તેમનું મૂલ્યાંકન પાંચ વર્ષના અંદાજ પર આધારિત છે. વુડ કહે છે કે ફુગાવો ભારતીય બજાર માટે ચિંતાનો વિષય નથી. યુએસ ફેબ્રુઆરી પોલીસી અને તેલની વધતી કિંમતોને કારણે ભારતીય શેરબજાર જોખમમાં છે. ક્રિસ્ટોફર વૂડે કહ્યું કે ભારતીય શેરબજારની વૃદ્ધિ હંમેશા રોકાણકારો માટે સારી જગ્યા રહી છે. ગ્રોથ ઓરિએન્ટેડ ઇક્વિટી માટે ભારત મુખ્ય કેન્દ્રબિંદુ હોવું જોઈએ. વુડે જણાવ્યું હતું કે તેઓ તેમના લાંબા સમયથી માત્ર ભારતના પોર્ટફોલિયોમાં સ્થાનિક માગ જાળવી રાખશે.

આ અગાઉ ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં વુડે કહ્યું હતું કે યુએસ ફેડના કારણે ભારતીય શેરબજારમાં સહેજ પણ કરેક્શન આવે તો તેમને જરાપણ આશ્ચર્ય થશે નહીં. વુડે કહ્યું કે અહીં એ સમજવું જરૂરી છે કે ભારતમાં વધતી મોંઘવારી એ કોઈ મુદ્દો નથી, તે અમેરિકા અને G7 વિશ્વ માટે ચિંતાનો વિષય છે.

સેન્સેક્સને લઈને આ ભવિષ્યવાણી

ભારતીય શેરબજારે છેલ્લા બે વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. માર્ચ 2020માં કોરોનાએ દસ્તક આપ્યા બાદ શેરબજાર પડી ભાંગ્યું હતું. પરંતુ બજારે તેમના નીચા સ્તરેથી સારી રિકવરી દર્શાવી અને માત્ર બે વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટીએ ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યો. બજારની તેજી અહીં અટકવાની નથી. બજાર નિષ્ણાતો અને અનુભવી નિષ્ણાતો માને છે કે સેન્સેક્સ એક લાખની ઐતિહાસિક સપાટીને પણ પાર કરી શકે છે.

વૂડે કહ્યું કે જો યુએસ ફેડની નીતિ વૈશ્વિક બજારમાં કરેક્શન તરફ દોરી જાય છે, તો તેને ભારતીય ઇક્વિટી ખરીદવાની તક તરીકે લેવી જોઈએ. વુડે કહ્યું કે રૂપિયો હજુ ઉપર છે. તેમણે કહ્યું કે આ વર્ષે ભારતીય બજાર માટે બે જોખમો છે. એક યુએસ ફેડ રિઝર્વની નીતિઓ અને બીજું તેલના ભાવમાં વધારો. ભારતમાં હાઉસિંગ માર્કેટ રિકવરીના તબક્કામાં છે. ભારતની સ્થાનિક અર્થવ્યવસ્થા માટે આ એક સકારાત્મક સંકેત છે. ભારતમાં સ્થાનિક માગ વધી રહી છે. આનો અર્થ એ થયો કે ઊંચા વ્યાજ દરો છતાં બજાર સારું પ્રદર્શન કરશે.

આ પણ વાંચો : Facebook ના શેરમાં 26 ટકાનો કડાકો બોલ્યો, રોકાણકાર 200 અબજ ડોલર ગુમાવી બેઠા, જાણો યુએસ માર્કેટમાં કેમ પટકાયો શેર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">