AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોટબંધી બાદ દેશમાં ઝડપથી વધ્યું ડિજિટલ પેમેન્ટ, CAITએ કાર્ડ પેમેન્ટ પર ટેક્સ હટાવવાની કરી માંગ

પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે રોકડનો ઓછો ઉપયોગ અને ડિજિટલ પેમેન્ટમાં વધારો થવાને કારણે આપણો દેશ મજબૂત અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધશે. તેમણે કહ્યું કે સરકાર દર વર્ષે નોટ છાપવા માટે લગભગ 30 હજાર કરોડ રૂપિયા ખર્ચે છે.

નોટબંધી બાદ દેશમાં ઝડપથી વધ્યું ડિજિટલ પેમેન્ટ, CAITએ કાર્ડ પેમેન્ટ પર ટેક્સ હટાવવાની કરી માંગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 8:02 PM
Share

આજે દેશમાં નોટબંધી (Demonization)ને 5 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ પાંચ વર્ષ પહેલા આ દિવસે દેશને સંબોધિત કરતી વખતે નોટબંધીની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી અને દેશભરમાં જૂની 500 અને 1000 રૂપિયાની નોટોને અમાન્ય જાહેર કરી હતી. નોટબંધીના 5 વર્ષ પૂરા થવા પર પ્રતિક્રિયા આપતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે 5 વર્ષના શરૂઆતના દિવસોમાં દેશભરના વેપારીઓએ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો અને સમગ્ર દેશનો વેપાર ઠપ થઈ ગયો.

તેમણે કહ્યું કે આ બધું હોવા છતાં દેશના વેપારીઓએ સરકારને ટેકો આપ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ પેમેન્ટ અપનાવવાના આહ્વાનને અમલમાં મૂકવા માસ્ટરકાર્ડના ટેક્નિકલ સપોર્ટથી લગભગ દેશભરમાં 400થી વધુ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેના દ્વારા દેશના તમામ રાજ્યોમાં વેપારીઓએ ડિજિટલ પેમેન્ટ અપનાવ્યું છે અને હાલમાં મોટી સંખ્યામાં વેપારીઓ તેમના વ્યવસાયમાં મોટાપાયે ડિજિટલ પેમેન્ટથી વ્યવહારો કરી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન મોટાપાયે થયા હતા.

જેના કારણે લોકો કાર્ડ પેમેન્ટમાં અચકાય 

કૈટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે દેશમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ મોટાપાયે થાય છે, પરંતુ તેના પર લાગતા ટેક્સને કારણે હજુ પણ ઘણા લોકો કાર્ડથી ચૂકવણી કરવામાં અચકાય છે. ખંડેલવાલે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે જો સરકાર સબસિડીના રૂપમાં બેંકોને સીધા બેંક ચાર્જ આપવાનું શરૂ કરે અને વેપારી અથવા ગ્રાહકને બેંક ચાર્જ સહન ન કરવો પડે તો ચોક્કસપણે આપણા દેશમાં રોકડનો ઉપયોગ ઓછો થશે.

પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે રોકડનો ઓછો ઉપયોગ અને ડિજિટલ પેમેન્ટમાં વધારાને કારણે આપણો દેશ મજબૂત અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધશે. તેમણે કહ્યું કે સરકાર દર વર્ષે નોટો છાપવા માટે લગભગ 30 હજાર કરોડ રૂપિયા ખર્ચે છે અને લગભગ 5 હજાર કરોડ રૂપિયા ચલણની સુરક્ષા અને લોજિસ્ટિક્સમાં ખર્ચવામાં આવે છે. ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધવાથી સરકારના આ ખર્ચમાં પણ ઘટાડો થશે. આ અર્થમાં બેંકોને સબસિડી આપવા માટે સરકાર પર કોઈ વધારાનો ખર્ચ થશે નહીં અને દેશમાં રોકડનો પ્રવાહ ઘણા હદ સુધી ઘટશે.

આ પણ વાંચો :  Sensex ની Top – 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.18 લાખ કરોડનો વધારો થયો, આ સપ્તાહે કેવો રહેશે બજારનો મૂડ?

Follow Us
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
g clip-path="url(#clip0_868_265)">