નોટબંધી બાદ દેશમાં ઝડપથી વધ્યું ડિજિટલ પેમેન્ટ, CAITએ કાર્ડ પેમેન્ટ પર ટેક્સ હટાવવાની કરી માંગ

પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે રોકડનો ઓછો ઉપયોગ અને ડિજિટલ પેમેન્ટમાં વધારો થવાને કારણે આપણો દેશ મજબૂત અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધશે. તેમણે કહ્યું કે સરકાર દર વર્ષે નોટ છાપવા માટે લગભગ 30 હજાર કરોડ રૂપિયા ખર્ચે છે.

નોટબંધી બાદ દેશમાં ઝડપથી વધ્યું ડિજિટલ પેમેન્ટ, CAITએ કાર્ડ પેમેન્ટ પર ટેક્સ હટાવવાની કરી માંગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 8:02 PM

આજે દેશમાં નોટબંધી (Demonization)ને 5 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ પાંચ વર્ષ પહેલા આ દિવસે દેશને સંબોધિત કરતી વખતે નોટબંધીની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી અને દેશભરમાં જૂની 500 અને 1000 રૂપિયાની નોટોને અમાન્ય જાહેર કરી હતી. નોટબંધીના 5 વર્ષ પૂરા થવા પર પ્રતિક્રિયા આપતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે 5 વર્ષના શરૂઆતના દિવસોમાં દેશભરના વેપારીઓએ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો અને સમગ્ર દેશનો વેપાર ઠપ થઈ ગયો.

તેમણે કહ્યું કે આ બધું હોવા છતાં દેશના વેપારીઓએ સરકારને ટેકો આપ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ પેમેન્ટ અપનાવવાના આહ્વાનને અમલમાં મૂકવા માસ્ટરકાર્ડના ટેક્નિકલ સપોર્ટથી લગભગ દેશભરમાં 400થી વધુ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેના દ્વારા દેશના તમામ રાજ્યોમાં વેપારીઓએ ડિજિટલ પેમેન્ટ અપનાવ્યું છે અને હાલમાં મોટી સંખ્યામાં વેપારીઓ તેમના વ્યવસાયમાં મોટાપાયે ડિજિટલ પેમેન્ટથી વ્યવહારો કરી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન મોટાપાયે થયા હતા.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જેના કારણે લોકો કાર્ડ પેમેન્ટમાં અચકાય 

કૈટના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે દેશમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ મોટાપાયે થાય છે, પરંતુ તેના પર લાગતા ટેક્સને કારણે હજુ પણ ઘણા લોકો કાર્ડથી ચૂકવણી કરવામાં અચકાય છે. ખંડેલવાલે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે જો સરકાર સબસિડીના રૂપમાં બેંકોને સીધા બેંક ચાર્જ આપવાનું શરૂ કરે અને વેપારી અથવા ગ્રાહકને બેંક ચાર્જ સહન ન કરવો પડે તો ચોક્કસપણે આપણા દેશમાં રોકડનો ઉપયોગ ઓછો થશે.

પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે રોકડનો ઓછો ઉપયોગ અને ડિજિટલ પેમેન્ટમાં વધારાને કારણે આપણો દેશ મજબૂત અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધશે. તેમણે કહ્યું કે સરકાર દર વર્ષે નોટો છાપવા માટે લગભગ 30 હજાર કરોડ રૂપિયા ખર્ચે છે અને લગભગ 5 હજાર કરોડ રૂપિયા ચલણની સુરક્ષા અને લોજિસ્ટિક્સમાં ખર્ચવામાં આવે છે. ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધવાથી સરકારના આ ખર્ચમાં પણ ઘટાડો થશે. આ અર્થમાં બેંકોને સબસિડી આપવા માટે સરકાર પર કોઈ વધારાનો ખર્ચ થશે નહીં અને દેશમાં રોકડનો પ્રવાહ ઘણા હદ સુધી ઘટશે.

આ પણ વાંચો :  Sensex ની Top – 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.18 લાખ કરોડનો વધારો થયો, આ સપ્તાહે કેવો રહેશે બજારનો મૂડ?

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">