રામ કથા : શા માટે ભગવાન રામે લીધી હતી જળ સમાધી, આવો જાણીએ શ્રી રામના મૃત્યુ સાથે જોડાયેલી કથા
Ram Katha : શ્રી રામનો જન્મ પૃથ્વી પર મર્યાદા પુરુષોત્તમ તરીકે થયો હતો, તેથી જ તેમનું મૃત્યુ પણ નિશ્ચિત હતું. શ્રી રામના મૃત્યુને લઈને વિવિધ કથાઓ પ્રચલિત છે. પદ્મ પુરાણ અનુસાર ભગવાન શ્રી રામે પોતાની મરજીથી સરયૂ નદીમાં સમાધિ લીધી હતી. આવો જાણીએ શ્રી રામના મૃત્યુ સાથે જોડાયેલી કથા.

શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં અયોધ્યાના રાજા દશરથને ત્યાં થયો હતો. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં મૂર્તિ સ્થાપનનો કાર્યક્રમ પણ યોજાશે. પૌરાણિક કથાઓ અનુસાર લંકાપતિ રાવણના અત્યાચારનો અંત લાવવા માટે ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી રામના રૂપમાં પૃથ્વી પર આવ્યા હતા.

શ્રી રામનો જન્મ પૃથ્વી પર મર્યાદા પુરુષોત્તમ તરીકે થયો હતો, તેથી જ તેમનું મૃત્યુ પણ નિશ્ચિત હતું. શ્રી રામના મૃત્યુને લઈને વિવિધ કથાઓ પ્રચલિત છે. પદ્મ પુરાણ અનુસાર ભગવાન શ્રી રામે પોતાની મરજીથી સરયૂ નદીમાં સમાધિ લીધી હતી. આવો જાણીએ શ્રી રામના મૃત્યુ સાથે જોડાયેલી કથા.

શ્રી રામે સરયુમાં સમાધિ લીધી હતી - પ્રથમ કથા અનુસાર જ્યારે શ્રી રામે માતા સીતાનો ત્યાગ કર્યો માતા સીતાએ અગ્નિ પરીક્ષા આપી પોતાની પવિત્રતા પુરવાર કરી હતી અને પછી માતા સીતાએ પુત્રો લવ અને કુશને ભગવાન શ્રી રામને સોંપી દીધા હતા અને ધરતીમાં સમાય ગયા હતા. એવું કહેવાય છે કે સીતાના જવાથી ભગવાન શ્રી રામ દુઃખી થયા અને યમરાજની સંમતિથી તેમણે સરયૂ નદીના ગુપ્તર ઘાટ પર જલ સમાધિ લીધી.

લક્ષ્મણના વિયોગમાં શ્રી રામે જળ સમાધિ લીધી - એક અન્ય કથા અનુસાર, એકવાર યમદેવ સંતનું રૂપ ધારણ કરીને અયોધ્યામાં પ્રવેશ્યા. યમદેવે સંતનું રૂપ ધારણ કરીને ભગવાન શ્રી રામને કહ્યું કે આપણી વચ્ચે ગુપ્ત વાતચીત થશે. યમરાજે શ્રી રામ સમક્ષ શરત મૂકી કે આપણી વાતચીત દરમિયાન જો કોઈ કક્ષમાં આવશે તો દ્વારપાલને મૃત્યુદંડ મળશે. ભગવાન રામે યમરાજને વચન આપ્યું અને લક્ષ્મણને દ્વારપાળ તરીકે નિયુક્ત કર્યા.

આ દરમિયાન, ઋષિ દુર્વાસા ત્યાં પહોંચ્યા અને શ્રી રામને મળવાનો આગ્રહ કરે કર્યો, પરંતુ લક્ષ્મણે તેમને અંદર જવા દેવાનો ઇનકાર કર્યો કારણ કે તે પ્રતિબદ્ધ હતા. આના પર દુર્વાસા ઋષિ ગુસ્સે થાયા અને ભગવાન રામને શ્રાપ આપવાની વાત કરી. આવી સ્થિતિમાં લક્ષ્મણે પોતાના જીવની ચિંતા કર્યા વિના દુર્વાસા ઋષિને કક્ષમાં જવા દીધા.

ભગવાન શ્રી રામ અને યમરાજ વચ્ચેની વાતચીતમાં વિક્ષેપ આવે છે. વચન તોડવાને કારણે શ્રી રામે લક્ષ્મણને દેશ નિકાલ આપ્યો. પોતાના ભાઈ રામના વચનને પૂર્ણ કરવા માટે લક્ષ્મણે સરયુ નદીમાં જળ સમાધિ લીધી. લક્ષ્મણે જળ સમાધિ લીધી ત્યારે ભગવાન રામ ખૂબ જ દુઃખી થયા અને તેમણે પણ જળ સમાધિ લેવાનું નક્કી કર્યું. ભગવાન રામે જલ સમાધિ લીધી તે સમયે હનુમાન, જામવંત, સુગ્રીવ, ભરત, શત્રુઘ્ન વગેરે ત્યાં હાજર હતા.
