સીએએ

સીએએ

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ કર્યો છે. નાગરિકતા સંશોધન બિલ 2016 માં પહેલીવાર સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 2019 માં બંને ગૃહો દ્વારા પસાર થયા પછી તે કાયદો બની ગયો હતો, પરંતુ તેનો અમલ થઈ શક્યો ન હતો, પરંતુ 2024 લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે. સૌથી પહેલા કેન્દ્ર સરકારે CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું.

નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 માં, ત્રણ દેશોના ઇમિગ્રન્ટ્સને ભારતમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. આ કાયદા દ્વારા જે બિન-મુસ્લિમ લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે તેમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોનો સમાવેશ થાય છે જેમને તેમના દેશમાં ધાર્મિક રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે.

આ કાયદાનો અર્થ એ નથી કે આ દેશો (પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન)માંથી ભારત આવનાર કોઈપણ બિન-મુસ્લિમને નાગરિકતા મળશે. આ માટે સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો કોઈ ધાર્મિક રીતે પીડિત બિન-મુસ્લિમ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં રહેતો હોય, તો તે આ કાયદા હેઠળ નાગરિકતા માટે અરજી કરી શકે છે.

Read More

CAA હેઠળ પહેલીવાર 300 શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, કેન્દ્રીય ગૃહ સચિવે 14ને આપ્યા પ્રમાણપત્ર

CAA લાગુ થયા બાદ પ્રથમ વખત કેન્દ્ર સરકાર દ્વારા 300 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવે આવા 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર પણ આપ્યા હતા. આ શરણાર્થીઓ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય નાગરિકતા મેળવવાની લડાઈ લડી રહ્યાં હતા.

ઋષિ સુનક ભારતમાં રહેતા ઘુષણખોરો માટે શોધ્યો જોરદાર રસ્તો! શું મોદી-શાહ ઈગ્લેંડની જેમ આ લોકોને કરી શકશે દેશની બહાર, જાણો

ભારતની વસ્તી 1 અબજ 40 કરોડને વટાવી ગઈ છે. જો આપણે ચીનનો સમાવેશ કરીએ તો વિશ્વની એક તૃતીયાંશ વસ્તી આ બે દેશોમાં છે. જો કે દેશની કુલ વસ્તીમાં ઘણા લોકોનો સમાવેશ થતો નથી. તેમાંના ઘણા શરણાર્થી છે, કેટલાક વિદેશી છે, જેઓ અહીં કામ માટે આવ્યા છે, અને ઘણા લોકો એવા છે જેમને ગેરકાયદેસર ઘૂસણખોરી કહેવામાં આવે છે.

Ahmedabad Video : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 18 શરણાર્થીઓને આપી ભારતીય નાગરિકતા

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ કલેકટર કચેરી ખાતે 18 અરજદારોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે. મહત્વનું છે વર્ષ 2001 થી 2024 સુધી કુલ 1168 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા

CAA મામલે વચ્ચે ન પડે અમેરિકા, આ ભારતનો આંતરિક મામલો: વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયએ કહ્યું કે CAA મુદ્દે અમેરિકાની ટિપ્પણી અયોગ્ય અને ખોટી છે. આ કાયદો ભારતનો આંતરિક મામલો છે. તેના અમલીકરણથી લોકોને નાગરિકતા મળશે, કોઈની નાગરિકતા છીનવાશે નહીં. ભારતના ભાગીદારો અને શુભેચ્છકોએ આ હેતુને આવકારવો જોઈએ.

CAAનું નોટિફિકેશન બહાર પાડ્યા પછી અમિત શાહનું પહેલું ઈન્ટરવ્યું, જાણો બંધારણ બદલવા પર શું બોલ્યા શાહ

અમિત શાહે કહ્યું કે ભાજપ 400 સીટો જીતે તો પણ બંધારણમાં કોઈ ફેરફાર નહીં કરે. જો આપણે ઈન્દિરાની જેમ કરીશું તો દેશના લોકો બદલી દેશે. તે જ સમયે, CAA અંગે, તેમણે કહ્યું કે આ કાયદાને રદ કરવો અશક્ય છે. આ બંધારણીય રીતે માન્ય કાયદો છે. કોઈની પાસેથી નાગરિકતા લેવાની કોઈ જોગવાઈ નથી.

ગુજરાતમાં વસતા શરણાર્થીઓએ ગૃહ રાજ્યપ્રધાન સાથે કરી મુલાકાત, CAAના કાયદાને લઇને સરકારનો આભાર માન્યો, જુઓ Video

ગુજરાતમાં વસતા શરણાર્થીઓની ગૃહ રાજ્યપ્રધાન સાથે મુલાકાત કરી CAAના કાયદાને લઇને આભાર માન્યો છે. ભારતની નાગરિકતા મળવાની વાતને લઇને તેમણે ખુશી વ્યક્ત કરી છે. Tv9 સાથે વાતચીત દરમિયાન આ શરણાર્થીઓએ ગુજરાતમાં જીવન કેટલું સરળ થયું હોવાનો અનુભવ વર્ણવ્યો.

One Nation One Election: ‘જો સરકાર પડી જશે તો બાકીની મુદત માટે ચૂંટણી યોજાશે’, સમિતિએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો

આ સમિતિની રચના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી અને તેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. કોવિંદના વડપણ હેઠળની આ સમિતિએ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે બંધારણના છેલ્લા પાંચ અનુચ્છેદમાં સુધારો કરવાની ભલામણ રાષ્ટ્રપતિને કરી છે.

સીએએ અને કલમ 370 પર સવાલ ઉઠાવતા વિદેશી મીડિયાને શાહે આપ્યો જવાબ, જુઓ વીડિયો

સીએએ સાથે જોડાયેલી ચિંતાઓ અને આશંકાઓ પર સ્પષ્ટતા કરતા ગૃહ પ્રધાન અમિત શાહે એએનઆઈને એક ઈન્ટરવ્યું આપ્યું છે. જેમાં તેમણે વિપક્ષની નારજગી અને મુસલમાનોની ચિંતાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે CAA હેઠળ નાગરિકતા મેળવનારાઓને કેવા પ્રકારના અધિકારો હશે.

CAA અંતર્ગત ભારતીય નાગરિકતા મેળવવા કયાં અને કેવી રીતે અરજી કરવી ? જાણો પ્રોસેસ

કેન્દ્ર સરકારે 11 માર્ચ, 2024 ના રોજ નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.કાયદા અનુસાર, 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે. તેના માટે 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે.જાણો નાગરિકતા મેળવવા ક્યાં પોર્ટલ પર અરજી કરી શકાશે અને પ્રોસેસ શું છે.

અમિત શાહે જણાવ્યુ કે, દેશના ક્યા વિસ્તારોમાં CAA લાગુ નહીં થાય, આદિવાસી સંરચના અંગેની પણ માહિતી આપી

કેન્દ્ર સરકારે 11 માર્ચે, સોમવારે સાંજે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નું જાહેરનામું બહાર પાડ્યુ છે. જો કે CAAને લઇને લોકોના મનમાં હજુ પણ અનેક સવાલ છે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકોના મનમાં ઉઠનારા આ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેમણે જણાવ્યુ કે ભારતમાં ક્યા વિસ્તારોમાં CAA લાગુ નહીં થાય.

CAA કાયદો હેઠળ ભારતની નાગરિકતા મેળવનાર વ્યક્તિ ચૂંટણી લડી શકશે – અમિત શાહ

CAA અંગે જાગૃતિ લાવવા માટે દેશના ગૃહપ્રધાન અમિત શાહે ANIને એક ઈન્ટરવ્યુ આપ્યુ છે. જેમાં તેમણે CAA અંગે માહિતી આપી છે. તેમણે ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે CAAનો કાયદો ક્યારે પણ પાછો લેવામાં આવશે નહીં. તેમજ CAA કાયદો હેઠળ ભારતની નાગરિકતા મેળવનાર વ્યક્તિને સમાન હકો પ્રાપ્ત થશે.

મુસ્લિમોને શા માટે CAA માંથી બાકાત રખાયા? ‘મુસ્લિમ વિરોધી’ કાયદાના સવાલ પર અમિત શાહે આપ્યો જવાબ

અમિત શાહે કહ્યું કે, CAA ક્યારેય પાછી ખેંચાશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ ભારતીય વિષય છે અને ભારતની સાર્વભૌમત્વનો નિર્ણય છે, અમે તેની સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં. આ દરમિયાન દેશના લઘુમતીઓને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને પણ સંદેશ આપવામાં આવ્યો છે.

CAA અંતર્ગત નાગરિકતા મેળવવાનું પોર્ટલ કેટલુ સુરક્ષિત? દસ્તાવેજ વિના નાગરિકતા મળી શકે ? જાણો અમિત શાહે શું કહ્યુ

31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતીઓ કે જે હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી હોય તેઓ ભારતમાં નાગરિકતા માટે અરજી કરી શકશે.જો કે જો દસ્તાવેજ ન હોય તો લોકો અરજી કરી શકશે તે કેમ , કયા લોકો અરજી કરી શકશે અને કયાં સુધી અરજી કરી શકાશે જેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં છે, જેનો અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યો છે.

CAA પર દુષ્પ્રચાર કરતા વિપક્ષને અમિત શાહે આડે હાથે લીધી, કહ્યું – કેજરીવાલ વોટબેંકની રાજનીતિ કરી રહ્યા છે

ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષની સરકારને આડે હાથે લીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે નાગરિકતા સંશોધન કાયદા એટલે કે CAAને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે CAA દેશમાં ચોરી, લૂંટ અને બળાત્કાર વધારશે. કેજરીવાલના આ નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વળતો પ્રહાર કર્યો છે.

CAA કાયદો ક્યારેય પાછો ખેંચાશે નહીં, વિપક્ષો રાજકીય રોટલા ન શેકે- અમિત શાહ

અમિત શાહે CAA સ્થાયીતા પર ભાર મૂક્યો: 11 માર્ચે, કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કર્યો છે. બંગાળ અને કેરળ સહિત ઘણા રાજ્યોમાં આને લઈને વિરોધ થયો હતો. આ સાથે જ વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">