MONEY9: એજ્યુકેશન લોન ખરેખર સસ્તી હોય છે ખરી ? સમજો આ વીડિયોમાં

એજ્યુકેશન લોન લેતા પહેલાં તમારે જાણવું જોઇએ કે તેની પર વ્યાજ કેવી રીતે નક્કી થાય છે. ભલે એજ્યુકેશન લોન હેઠળ તેના રિપેમેન્ટમાં લાંબી છૂટ મળતી હોય પરંતુ આ સમયગાળા દરમિયાન વ્યાજનું મીટર ચાલતું રહે છે. આ વીડિયોમાં સમજો એજ્યુકેશન લોન વ્યાજનું ગણિત.

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 09, 2022 | 9:30 AM

તમારા બાળકના ઉચ્ચ શિક્ષણ (STUDY) માટે તમે જો એમ વિચારતા હોવ, કે એજ્યુકેશન લોન (EDUCATION LOAN)નો વ્યાજદર (INTEREST RATE) સસ્તો હોય છે, તો તમારે એક વખત વિચાર કરવાની જરૂર છે. એજ્યુકેશન લોનનું વ્યાજ ઘણી બાબતો પર નિર્ભર કરે છે. જેમ કે કેટલી રકમની લોન લેવામાં આવી રહી છે. શિક્ષણ સંસ્થાનની પ્રતિષ્ઠા કેવી છે. અને જે કોર્સ માટે લોન લઇ રહ્યા છો તેમાં નોકરી મળવાની સંભાવના કેટલી છે. ઉદાહરણ તરીકે એન્જિનિયરિંગ માટે જાણીતી IITમાં અભ્યાસ માટે એજ્યુકેશન લોનનો વ્યાજ દર સૌથી ઓછો હશે. જ્યારે NITમાં એ જ લોન માટે વ્યાજ દર વધારે હશે. સામાન્ય કોલેજમાં અભ્યાસ માટે બની શકે કે બેંક લોન ન પણ આપે.

એજ્યુકેશન લોન સ્ટુડન્ટના નામે હોય છે. પરંતુ તેમાં ગેરન્ટરની જરૂર પડે છે. જે સામાન્ય રીતે વિદ્યાર્થીના માતા-પિતા હોય છે. આ લોન કોઇપણ જાતની સિક્યોરિટી વિના આપવામાં આવે છે. પરંતુ સિક્યોરિટી વિના લોન ત્યારે જ મળે છે જ્યારે લોન લેનારની લોન ચૂકવવાની ક્ષમતા ઘણી સારી હોય. આવા સંજોગોમાં બેંકને લાગે છે કે લોન લેનારો વિદ્યાર્થી ડિફોલ્ટ થઇ પણ જાય તો તેમના વાલી લોન ચૂકવી દેશે અથવા તો બેંક તેમની પાસેથી વસૂલી કરી શકશે. આવી સ્થિતિમાં જ સિક્યોરિટી વગર લોન અપ્રુવ થાય છે.

જો કે 7.5 લાખ રૂપિયાથી ઓછી લોન સિક્યોરિટી વિના મળી શકે છે પરંતુ તેનાથી વધારે લોનમાં બેંક સિક્યોરિટી તરીકે પ્રોપર્ટી, એફડી, જીવન વીમો, ગોલ્ડ બોન્ડ વગેરે પેપર ગિરવે રાખે છે. સિક્યોરિટીના રેશિયોમાં લોનની રકમ નક્કી થાય છે.

આ પણ જુઓ

એજ્યુકેશન લોન ડિફૉલ્ટ- વાલી કે વિદ્યાર્થી, કોનો ક્રેડિટ સ્કોર થશે ખરાબ?

આ પણ જુઓ

ક્યાંક તમે ગેરકાયદે લોન એપની જાળમાં તો નથી ફસાઇ ગયા ને!

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">